ઓળખો ....... થાયરોઇડ ને (Identify ....... Thyroid)
યુવાન રહેવું અને બનવું સૌને ગમેછે. આયુર્વેદ માં પંચકર્મ કરાવ્યા બાદ રસાયણ કર્મ કરવામાં આવેતો તે વૃદ્ધ ને પણ યુવાન બનાવે છે. જે સતત ઉત્સાહી છે, સ્ફૂર્તિલો છે અને ચૈતન્ય થી ભરેલો છે તે યુવાન. આરોગ્ય ની પણ આ જ પરિભાષા છે કે આપણા શરીર ના હોર્મોન – અંત્સ્ત્રાવી ગ્રંથીઓ .... (હાયપોથેલેમસ, પિચ્યુટરી, થાયરોઈડ, પેરા થાયરોઈડ, થાયમસ, પેન્ક્રીયાસ, એડ્રીનલ, ઓવરી, ટેસ્ટીઝ) જેમના શરીર માં યોગ્ય રીતે કામ કરેછે તે આરોગ્ય ની દ્રષ્ટિએ યુવાન છે. અન્યથા યુવાની તો માનસિક અને વૈચારિક છે. મહાભારત ના યુદ્ધ માં સૌ પ્રથમ શંખ ફૂંકનાર ૧૮૦ વર્ષ ના ભીષ્મપિતામહ યુવાન હતા અને આજે સ્વાર્થ વિના ડગલું નહિ ભરતો ને મારા થી શું થાય તેવું વિચારતો ૧૮ વર્ષ નો ઘરડો જોવા મળેછે. આયુર્વેદ ની દ્રષ્ટીએ આપણને સતત ઉત્સાહી ને ચેતનવંતુ રાખનાર છે જઠરાગ્ની , વૈશ્વાનર, ભૂખ. આજે આપણને સાચી ભૂખ જ લાગતી નથી અને ભૂખ વિના નું ભોજન કરવાથી જ અગ્નિ નબળો પડેછે તેથી થાયરોડીઝમ જેવા આમદોષ જન્ય રોગો થાયછે. અગ્નિ શાંત થાય તો મૃત્યુ નિશ્ચિત છે. અગ્નિ નબળો પડે તો બીમારી, આમદોષ થાય. રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા ને શુક્ર એ સાતેય ધાતુઓ ન...