Posts

તુલસી+ મરી + મધ = શરદી ગાયબ

શરદી ને સામાન્ય રોગ સમજવાની ભૂલ કરવી નહિ. શરદી માં થી ખાંસી થાય , ખાંસી માં થી સ્વરભેદ , સ્વરભેદ થી શ્વાસ નીપજે , તેમાંથી થાય ક્ષય , ક્ષય એ બધા જ રોગો નું કારણ છે જે મરણ તરફ લઈ જાય છે. આચાર્ય ચરક ઋષિ એ પણ ક્ષય ના સામાન્ય છ લક્ષણો માં પ્રથમ શરદી નું વર્ણન કર્યું છે. શરદી ને આયુર્વેદ માં પ્રતિશ્યાય કહેછે. એટલેકે ઉલટો થયેલો વાયુ જયારે નાક માં રહેલા કુદરતી કફ ના સ્રાવ ને નાક માં થી બહાર કાઢે છે તેને શરદી કહેછે. માથા માં કફ વધી જાય , અપાન વાયુ ઉલટો થાય , પાચન નબળું પડે , રોગ પ્રતિકાર શક્તિ ઘટે , ભોજન કરી ને સૂઈ જવામાં આવે ,   રાત્રે ભોજન હોય ને તેમાં દહીં ખાવા માં આવે , ભેંસ નું દૂધ વધુ પીવાય , શિશિર , વસંત કે વર્ષા ઋતુ ના કારણે અગ્નિ નબળો પડે ને કફ નો પ્રકોપ થાય ત્યારે શરદી થાયછે.     નાક કફ થી ભરાઈ જાય , શ્વાસ લેવામાં તકલીફ પડે , નાક માં થી પાણી પડે , ગળા માં શોષ બને , તરસ વધુ લાગે , ઝીણો તાવ કે તાપ શરીર ની અંદર લાગે જેને સંતાપ કહેછે. છીંક આવે , ક્યારેક નાક માં નાની પીળી ફોલ્લીઓ થાય ,   ગળા થી ઉપર ના ભાગે ખંજવાળ આવે , વિશેષ કરીને આંખો ભારે લાગે , આંખ ની...

“કંપીલા” એ ખરજવું મટાડ્યું

ઘણા વર્ષ પછી સોમાભાઈ મળવા આવ્યા , આભાર વ્યક્ત કરવા આવ્યા અને કહેવા લાગ્યા સાહેબ , તમારા કંપીલા એ તો રંગ રાખ્યો હો.......”મારો પગ બચાવ્યો”... તેમના ડાબા પગ માંથી માંસ સડતું હોય તેવી દુર્ગંધ આવે , એક સ્થાને દબાવીએ તો બીજે થી પરુ નીકળે , બેઉ હાથે ખંજવાળે તોય થાકે નહિ ,   રોગ ના સ્થાને ચામડી નો મૂળ રંગ તો હતો જ નહિ , તેવું પગ ના તળિયે ચારેબાજુ ફેલાયેલું લીલું ખરજવું લઈને સોમાભાઈ કેટલાક વર્ષ પહેલા આવેલા. ત્યારે તેમને પહેલા તો દવા કરવાની ના પડવાનું મન થએલું , પરંતુ ચારેબાજુ થાકી હારી ને છેલ્લે આયુર્વેદ પાસે આવવાની સૌની મનોવૃત્તિ હોય ત્યાં આયુર્વેદ પણ જો ના પાડે તો દર્દી ની નિરાશા કેટલી વધી જાય તેમ સમજી ને નહી મટે તેવું કહી ને સારવાર શરુ કરી. નિયમિત નહી છતાં દર્દી ને ચાર મહિના સારવાર આપી સાથે કડક પરહેજ તો ખરી. નમક , દૂધ , દહીં , ગોળ , ખટાશ , મીઠાઈ , બધાજ ફળો બંધ કરાવ્યા છતાં ઝાઝું પરિણામ મળ્યું નહિ અને દર્દી વધુ ખર્ચ કરી શકે તેમ નહિ હોવાથી તથા પંચકર્મ કરવાની તૈયારી નહિ હોવાથી.... છેવટે એ સસ્તો , સરળ ને દર્દ ને મૂળથી જ મટાડે તેવો ઉપાય ભગવાન ધનવંતરી ની કૃપા થી સુઝ્યો..... અને...

સોરાયસીસ— શું માનસિક રોગ છે?

જે ચામડી ને બગાડે છે ,   ચામડી નો રંગ બદલે છે તેને કુષ્ઠ કહેછે. ખીલ , ખોડો , ખંજવાળ , લાલાશ , સોજો , પાક , પરુ , દાગ , ચામડી નું ફાટવું.. આ બધાજ ચામડી ના રોગો છે. તેમાં.... ખીલ , ખોડો કે ફોલ્લીઓ ક્ષુદ્ર કુષ્ઠ ગણાય , ખસ , ધાધર , ખંજવાળ તે લઘુ કુષ્ઠ અને જયારે કોઈપણ ચામડી નો રોગ વધી જાય , જુનો થાય , ત્રણેય દોષ અને રસ , રક્ત , માંસ , મેદ એમ ચારેય ધાતુઓ બગડે છે ત્યારે તે મહા કુષ્ઠ માં પરિવર્તિત થાયછે. સોરાયસીસ અત્યારે ચારે બાજુ વ્યાપક સ્વરૂપે જોવા મળેછે. તેની પ્રથમ અવસ્થામાં ક્ષુદ્ર કુષ્ઠ ના કિટીભ જેવાં એટલેકે નાની નાની ફોલ્લીઓ સ્વરૂપે માથામાં , કાનમાં , પીઠ ના ભાગે , પેટ ઉપર , હાથે-પગે જોવા મળે છે. તે જયારે વધી જાય ત્યારે દ્વિતીય અવસ્થા- લઘુ કુષ્ઠ માં એક કુષ્ઠ નામ ધારણ કરેછે. જેમાં ધાધર સમાન નાના નાના ચકામાં સ્વરૂપે ફેલાય છે. ત્યારબાદ વધી ને તે મહા કુષ્ઠ માં મંડલ કુષ્ઠ સ્વરૂપે દેખાય છે. ..... અહી ત્રણેય દોષ ભેગા થવાથી બળતરા , ખંજવાળ , ચામડી નું પડ સફેદ કે લાલ થવું , ફોતરી ઉખડવી , ચકામાં એકબીજા સાથે મળી જવાથી મોટા મંડલ આકાર માં ફેલાય છે. સોરાયસીસ એ ઝડપથી વધી જતો , ધીરે ધીરે આ...

કુદરતી વેગો ને રોકશો, બિમાર પડશો.

જેમ ગામ માં ચોર ઘૂસી ના જાય તે માટે પોલીસ થાણું હોય , તેમ શરીર માં રોગ ઘૂસી ના તે માટે મુખ્ય દરવાજા ઉપર કાકડા અને નીચે તરફ નો દરવાજો – ગુદા માર્ગ એ ચોકીદાર નું કામ કરેછે. પરંતુ બહાર ના ચોર માટે પોલીસ કે ચોકીદાર હોય તેમ ઘર કે ગામ ની અંદર ના ચોર માટે કોણ .....તેના માટે સમજદારી , સમજણ ની જરૂર છે. તેમ શરીર ની અંદર થતા રોગો માટે પણ કેટલીક સમજદારી ની જરૂર હોયછે      પશુ ની જેમ જે  પ્રમાણ થી અધિક ખાય છે તેને તમામ રોગો નું મૂળ એવો અપચો થાય છે , અને  મળ , મૂત્ર , અપાન વાયુ ના  વેગ ને જે રોકે છે તેને ઉદાવર્ત , કબજિયાત , મસા. મરડો , ભગંદર જેવા ભયંકર રોગો ને તે આમંત્રણ આપેછે. રોજીંદા જીવન માં એવા તેર વેગ છે જેને રોકવા જોઈએ નહી. અને છ વેગ એવા છે કે જેને રોકવા જોઈએ.               વાયુ , મળ , મૂત્ર , છીંક , તરસ , ભૂખ , ઉંઘ , ખાંસી , થાક , શ્વાસ , બગાસું , ઉલટી , શુક્ર .... આ તેર વેગ ને રોકવા જોઈએ નહિ. અને લોભ , ઈર્ષ્યા , દ્વેષ , મત્સર , ક્રોધ અને આસક્તિ  જે માણસ આ લોક ને પરલોક માં પોતાનું ભલુ...

બાળકો ની ખાંસી – ઊટાટીયું

બાળક અને વૃધ્ધ બને એકસરખા. તફાવત માત્ર ચિંતાનો. આદ્ય શંકરાચાર્ય કહે છે ને કે “ બાલ સ્તાવત ક્રીડા સકત: , તરુણ સ્તાવત તરુણી શકત: , વૃધ્ધ સ્તાવત ચિંતા મગ્ન:”   પરંતુ બીમારી માં બનેને ખુબ જ સાચવવા પડે. ક્યારે કઈ બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તે કહી ન શકાય. ખાંસી – ઉધરસ માટે પણ આવું જ છે. સામાન્યતઃ ખાંસી કફ થી   થાય , ગરમી માં કે ગરમી થી પિત ની   ખાંસી થાય પરંતુ બાળક ને ઊટાટીયા ની ખાંસી અને ઘરડા માણસો ને ઉમર ના કારણે અથવા રોગ વધી જવાથી થતી ખાંસી તે વાયુ ની. ઊટાટીયું  –  આધુનિક ભાષા માં હુપીંગ કફ( whooping cough) અથવા તો pertussis  તેને કહે છે. આ ચેપી રોગ છે. આ રોગ નું કારણ Bordetella pertussis નામ ના જીવાણું મનાય છે. આ રોગ થાય એટલે ૭ થી ૧૫ દિવસ તાવ રહે છે. તે દસ વર્ષ થી નાની ઉમર ના બાળકો માં જોવા મળે છે. આ રોગ નો ફેલાવો થુંક , શ્વાસ થી થાય છે. ઊટાટીયું થવા પહેલા ઝીણો તાવ આવે છે સાથે સાથે તીવ્ર ખાંસી પણ થાય છે. ખાંસી સુકી હોય છે અને તેનો વેગ ક્યારેક એટલો તીવ્ર હોય છે કે બાળક ખાંસી કરતા ઉલટી પણ કરી દે છે. ઘણું કરી ને ઊટાટીયું ખાંસી રાત્ર...

વાંઝીયા મહેણું ભાંગે – રસોનતેલ

સ્ત્રી જીવન નું પરમોરસ સુખ એટલે અપત્ય.   કુળ ના સંસ્કારો ને વધારી ને તેની સુગંધ પ્રસરાવે છે તે એટલે સંતાન. પૂર્વજોની કીર્તિ વધારે તે પુત્ર. આ બધી વ્યાખ્યા અને ભાવનાઓ ને  કારણે ખોળોનો ખુંદનાર ની ઝંખના એટલી તીવ્ર હોય છે કે તે વિના નું જીવન અધૂરું કે મહેણું લાગે છે. વંધ્યત્વ એટલે કે વાંઝીયા પણું મુખ્યત્વે પુરુષ ના કારણે થાય છે અને તેના કારણ ની તપાસ અને સારવાર પણ સહેલી છે. પરંતુ કેટલીક સ્થિતિમાં સ્ત્રી પણ વંધ્યત્વ નું કારણ હોય છે સ્ત્રી વંધ્યત્વ ના કારણો માટે આયુર્વેદ  માં એક સ્વતંત્ર અધ્યાય લખ્યો છે અને તેના ૩૦ કારણો જણાવ્યા છે. તેમના કેટલાક કારણો અને તેના ઘરેલું ઉપચાર વિષે અહી શાસ્ત્ર નો વિચાર અને અમારા અનુભવ વાગોળીએ. ૧. વામીની   યોની  – એટલે કે જે યોની શુક્રધાતુ નું વમન- ઉલટી કરી નાખે તે વામીની યોની. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ નો વ્યવાયિક સબંધ થયા પછી દોઢ કલાક પછી શુક્ર અને આર્તવબીજ (રજ) નું ફેલોપીયન ટયુબ માં મિલન થતું હોય છે. તેથી જો યોની શુક્રધાતુ નું દોઢ કલાક ની પહેલા વમન – ઉલટી કરી નાખે તો ગર્ભપ્રાપ્તિ સંભવ નથી. અહી શુક્ર ધાતુ નું વમન થવું એ ય...