Posts

બાળ તંદુરસ્તી

                 તંદુરસ્ત શરીર ને મન નો પાયો માતાના ઉદરમાં અને બાળપણ માં નંખાય છે. જેમકે સગર્ભાવસ્થામાં ત્રીજો મહિનો પૌરુષત્વ નો , ચોથો-  હૃદયનો, પાંચમો- મનનો, છઠો- બુદ્ધિનો, સાતમો- સર્વાંગી વિકાસનો, આઠમો- ઓજો વર્ધનનો મહિનો હોયછે. એટલેકે તે- તે મહિના માં તે- તે ગુણ નો વિકાસ થતો હોવાથી તે પ્રકારનું આયુર્વેદ નું માર્ગદર્શન, આહાર ને ઔષધ સેવન કરવામાં આવે તો ઉત્તમ , નીરોગી, બળ- બુદ્ધિમાં શ્રેષ્ઠ બાળક મેળવી શકાય છે. તેના માટે જ ઋષીઓએ ગર્ભાધાન સંસ્કાર અને માસાનુંમાસિક પરિચર્યા સમજાવી છે.                 તેવી જ રીતે બાળકના જન્મ પછી ની પ્રત્યેક પળ, દિવસો ને મહિના બાળકના ભવિષ્યના વિકાસ માટેના પાયાના પરિબળો છે. જેમકે બાળકનો જન્મ થાય ત્યારે તેની અવલોકન શક્તિ ખૂબજ ત્તેજ હોયછે. તે જે કઈ જુએછે, સાંભળેછે, તેના વિષે તે વિચાર કરેછે. તેના સુષુપ્ત મનમાં તે છાપ અંકિત થાયછે. જો બાળકના જન્મ સમયે બિલકુલ અવાજ કરવામાં આવે નહિ તો તેની અવલોકન ને બુદ્ધી શક્તિને વિકસવાનો માર્ગ મળશે. અત્યારે અહી આપણે જન્મ થી પાંચ વર્ષ સુધી...

કફ નાશક – મરી

મરી- મસાલા થી જ ભોજન માં ટેસ્ટ આવે ને ભોજન પચે. પરંતુ ખરેખર દાળ - શાક બનાવવા ના મસાલાના ડબા માં મરી નું સ્થાન છે ખરું ?.  મરચું, મીઠું, હળદર, જીરું, રાઈ ને સ્થાન આપ્યું છે. આ બધા જ  સાર...

ઓકી દાતણ જે કરે..........

             જૂના જમાના ની કહેવત છે કે.... ... “ ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય. દૂધે વાળું જે કરે તે ઘર દર્દ ના જાય. “ . . આ જ વિષયને મહર્ષિ વાગભટ્ટ સરસ સમજાવેછે કે.... “ શીતોદ્ભવમ દોષચયમ વસન્તે | વિશોધયન ગ્રીષ્મજમભ્ર કાલે ||”                      હેમંત ઋતુ ( ઠંડીમાં ) માં ચોંટી ગયેલા કફને વસંત ઋતુ ની શરૂઆતમાં શોધન કરીને, નિષ્ણાત પંચકર્મ વૈદ્ય પાસે વમનકર્મ- ઉલટી નું કર્મ કરાવવું જોઈએ. ગ્રીષ્મઋતુ ( ગરમી ) માં ભેગા થયેલા વાયુને ગરમી ઓછી થતાં જ એટલેકે ચોમાસાની વર્ષાઋતુ આવે તે પહેલા જ બસ્તિ કર્મ થી વાયુનું શમન કરાવવું જોઈએ. તથા વર્ષાઋતુ માં પાચન અને અન્ન- પાણી ભારે થવાથી ને બગડવાથી ભેગા થયેલા પિત્તને વર્ષાઋતુ પૂરી થયા બાદ એટલેકે શરદ પૂનમ ની આસપાસ પિત્ત નું પદ્ધતીસર વિરેચન કરાવવું જોઈએ. .................. આવું કરવાથી માણસ ઋતુઓથી થતી બીમારીઓથી દૂર રહેછે ને સંપૂર્ણ તંદુરસ્ત રહેછે.              સામાન્ય રીતે  દરરોજ સવારે, ભોજન પછી તરતજ અને રાત્રીની શરૂઆ...

શક્તિદાતા ચૂર્ણ જાતે બનાવો

  થાક, અશક્તિ ને સાંધાનો દુઃખાવો, બી.પી ની વધઘટ દેખાડે એ છે ઘડપણ ની ટકટક. સામાન્ય રીતે બાળપણ માં કફ વધે, યુવાની માં પિત્ત વધે ને ઘડપણ માં વાયુ વધે જ. વાયુ થી આવે રુક્ષતા- લુખાસ તેથી સાંધા નું ઉંજણ – તેલ ઘટે તેને સૌ કહે ગાદી ઘસાય. સાંધા માં અવાજ આવે, સોજા પણ થાય જે આમદોષ ના કારણે પણ હોઈ શકે. આમદોષ નું પાચન કરવા રેતી નો શેક ને સુંઠ- હરડે જેવા લૂખા ઔષધો જરૂરી છે. જયારે વાયુ ના શમન માટે તેલ નું ઉંજણ પૂરો. પરંતુ આપણે તો તેલ – ઘી બંધ ના જમાના માં જીવીએ છીએ ને !! તલતેલથી વાયુ નું શમન થાય, ગાય ના ઘી થી પિત્ત નું શમન થાય ને મધ થી કફ નું શમન થાયછે.  વાયુ દૂર કરે ને શક્તિ આપે- અસ્થિ ધાતુનું પોષણ કરે તેવા ખોરાક ને ઔષધો લ્યો, વૈદ્યના સૂચન થી યોગ્ય ચરી પાળો તો દર્દ દૂર થાય. કહ્યું છે ને કે, રોગના કારણ માં વાયુ બળવાન અને વાયુ ને નાથવામાં બસ્તિ બળવાન. પરંતુ બધ લોકોને બસ્તિ લેવા માટેની અનુકુળતા ના મળે અથવા યોગ્ય પંચકર્મ નિષ્ણાત વૈદ્ય સહેલાઈથી ના મળે તો તેવા લોકો ઘરે બેઠા જાતે ઔષધ બનાવીને વાયુ નું  શમન કરીને, શક્તિ મેળવીને દર્દ દૂર કરી શકેછે. અશ્વગંધા, ગંઠોડા ને ચોપચીની .. સહેલાઈ થી...

ઓ..હો...! આટલી બધી ઉપયોગી છે હળદર... !!!

હળદર , આંબા હળદર ને દારૂ હળદર એમ તેના મુખ્ય ત્રણ પ્રકાર છે. આપણે   ત્યાં ઘર વપરાશ માં પીળી હળદર ને સફેદ એટલે આંબા હળદર એમ બે જ વધુ વપરાય છે. દારૂ હળદર એ હિમાલય માં થાય છે. દારૂ હળદર ની છાલ નો માવો એટલે રસવંતી બજાર માં સહેલાઈ થી મળેછે. બધીજ હળદર ના ગુણ સરખા જ છે. પરંતુ વ્યવહાર માં વપરાતી આપણી પીળી હળદર ના જ આજે આપણે ગુણગાન ગાવા છે. ➖ હળદર તારા ગુણ છે અપાર , કેટલા ગુણ લખવા આ લેખમાં.   ➖ વજન ઘટાડે , ખંજવાળ મટાડે , સોજા મટાડે ને શીળસ પણ મટાડે. ➖ ઝેર ઉતારે , લોહી સુધારે , લોહી અટકાવે , ઘા રૂઝવે ને કેન્સર પણ મટાડે. ➖ વાળ ઉગાડે ને ઉંદરી પણ મટાડે , વાળ વધારે ને ખોડો પણ મટાડે. ➖ ખીલ , કરચલી હટાવે ને સુંદર બનાવે , યુવાની આપે ને કંચન વર્ણી કયા અર્પે. ➖ અસ્થિ સાંધે , દુઃખાવો મટાડે ને વળી મજબૂત પણ બનાવે છે. ➖ હળદર તારા ગુણ છે અપાર , કેટલા ગુણ લખવા આ લેખ માં.                     હળદર તીખી છે , કડવી છે , લુખી છે , ગરમ છે , વર્ણ ને સારો કરનાર છે , કફ , પિત્ત , ચામડીન...

નવજાત ની સંભાળ

વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુંદં મનસા સ્મરામિ. |   ઈશ્વર કેવો છે ?. નવજાત બાળક જેવો. ઉચ્ચ બુદ્ધિમતા અને તીવ્ર સ્મરણશક્તિ પ્રત્યેક નવજાત બાળક પાસે હોયછે. પરંતુ તે વ્યક્ત નથી કરી શકતો. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ સમજણ વધતી જાય. બાળક ની આ શક્તિઓ ને સંભાળી રાખવાની જવાબદારી , તેના સંપૂર્ણ ને સર્વાંગી વિકાસ ની જવાબદારી માતા-પિતા ને સમાજ ની છે. જન્મ થી તો તે પ્રાયઃ સંપૂર્ણ તંદુરસ્ત હોયછે. તેનો આત્મા , મન અને ઇન્દ્રિયો પ્રસન્ન હોયછે. તેથી જ તેને ઈશ્વર નું સ્વરૂપ કહી શકાય......  પરંતુ કડવું સત્ય એ છે કે બાળક ના જન્મ થતાં જ આપણે અજાણતા જ તેના વિકાસ ના સૌથી મોટા અવરોધક બનીએ છીએ. સંતો એમ કહે છે કે , બાળક નો જન્મ થતાં જ ત્રણ દિવસ સુધી તો તેના કાન પાસે ટાંકણી પડે તેટલો ય અવાજ થવા દેશો નહિ. આવું ૪૫ દિવસ સાચવી શકાય તો તે બાળક ની બુદ્ધિક્ષમતા અને ધારણાશક્તિ , કલ્પનાશક્તિ અને નિરીક્ષણશક્તિ એટલી બધી સુક્ષ્મ ને બળવાન બનેછે કે જાણે તે જાણે સ્વામી વિવેકાનંદ નો અંશ જ હોય. બાળક ના જન્મ થી જ તેનું માથું ચંદનતેલ , ચંદનબલાતેલ , લાક્ષાદીતેલ જેવા બળ વધારનાર , સૌમ્ય , શીતલ ઔષધ યુક્ત...

કફ નાશક – મરી

મરી- મસાલા થી જ ભોજન માં ટેસ્ટ આવે ને ભોજન પચે. પરંતુ ખરેખર દાળ - શાક બનાવવા ના મસાલાના ડબા માં મરી નું સ્થાન છે ખરું ?.   મરચું , મીઠું , હળદર , જીરું , રાઈ ને સ્થાન આપ્યું છે. આ બધા જ   સારા ઔષધો છે. બધાજ ગરમ દ્રવ્યો છે. મરી પણ ગરમ છે. છતાં ગરમી ના કેટલાક દર્દો તે સારી રીતે દૂર કરેછે. તેથી   આ બધામાં કોઈ મસાલા ને અગ્ર સ્થાન આપવું હોય તો મરી ને આપી શકાય ને બીજા સ્થાને હળદર આવે. અરે ! મરચા ના સ્થાને પણ મરી ને સ્થાન આપી શકાય. પરંતુ આપણે મરચા થી એવા તો ટેવાઈ ગયા છીએ કે મરી ના ગુણ ની ખબર જ નથી.                   મરી બે પ્રકારના છે. ૧. કાળા મરી. ૨. સફેદ મરી. આપણે ત્યાં વ્યવહાર માં વધુ કાળામરી જ વપરાય છે. બંને ના ગુણ સરખા છે.                   જયારે – જયારે બે ઋતુ ભેગી થાય ત્યારે માણસની રોગ પ્રતિકાર શક્તિ નબળી પડેછે. ત્યારે તે – તે ઋતુ ના રોગો થાયછે. ➖ શિયાળો ઉતરીને ઉનાળો આવે ત્યારે વસંતના કફના રોગો થાયછે....