Posts

આમદોષ નું પાચન કેવી રીતે ?

આપણે હવાની શુદ્ધિ માટે માઉન્ટ , લોનાવાલા , ગોવા કે ખુલ્લા ખેતરોમાં ફરવા માટે જઈએ છીએ. પાણી શુદ્ધ મળી રહે તે માટે વરસાદી પાણી નો સંગ્રહ કરીએ છીએ ને કપડાથી પાણી ગાળીએ છીએ. ખોરાક શુદ્ધ , સાત્વિક ને કોઈપણ જાતના રાસાયણિક ખાતર વિનાનો એટલેકે દેશી ગાય ના છાણ , મૂત્ર થી તૈયાર થતો હોય તેવી ખેતીનું અનાજ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ હવા , પાણી ને ખોરાક માં થી જે ધાતુ ને મળ બનેછે તે શુદ્ધ છે કે કેમ તે વિષે તો ક્યારેય વિચાર્યું જ નથી ને ?.   રોગા: સર્વે અપિ મંદેગ્નો || બધાજ રોગો ઓછી ભૂખ , પાચન ની નબળાઈ ને ભૂખ વિના ખાવાથી થાયછે. ભૂખ હોય છતાં ખોરાક નહિ ખાવાથી પણ શોષજન્ય બીમારી થાયછે. પરંતુ આ આમદોષ થી થતી બીમારી નું મુખ્ય કારણ છે. જેમાં ખોરાક માં થી ધાતુ નહિ બનતા આમ બને છે જેને ઋષિ એ વિષ ની ઉપમા આપી છે.   ધારણાત ધાતવ: | શરીર નું જે ધારણ કરેછે તે ધાતુ. શરીર માં રસ , લોહી , માંસ , ચરબી , અસ્થિ , મજ્જા ને શુક્ર એમ સાત ધાતુઓ છે. આ સાતેય ધાતુઓ સરખા પ્રમાણ માં છે ને શુદ્ધ છે તો શરીર તંદુરસ્ત છે અન્યથા બીમાર. તેવી જ રીતે મળ , મૂત્ર ને પરસેવો એમ ત્રણ મળ છે. ઉપરાંત માં સાતેય ધાતુઓના સાત મ...

ફળ- હૃદય ને હિતકારી

શરદ ને હેમંત ઋતુ માં દૂધ નું મહત્વ છે. હેમંત ને શિશિર માં સૂકા મેવા નું મહત્વ છે. શિશિર ને વસંત ઋતુ માં ચણા , ધાણી , ખજૂર નું મહત્વ છે. વસંત અને ગ્રીષ્મ માં લીમડો , બીલી , ગુલાબ ના પાન અને ફળો નું મહત્વ છે. ગ્રીષ્મ ને વર્ષા ઋતુ માં લીલા ફળ , ધાણા , કોથમી , સૂંઠ નું મહત્વ છે. જે ગરમી દૂર કરે ને પાચન સુધારે , લૂ લાગે નહિ ને શક્તિ આપે તેવા ફળ , અનાજ , ઔષધ નું મહત્વ છે. વર્ષા ને શરદ માં તાવ આવે નહિ , ગરમી લાગે નહિ તેવા સૂંઠ + ગોળ + ઘી , દૂધ + સૂંઠ , સૂંઠ થી ઉકાળેલું પાણી , ઉપવાસ અને મન ની શાંતિ નું મહત્વ છે.   કેરી , દ્રાક્ષ , દાડમ , બોર , ફાલસા... આ બધા જ ફળ હૃદય ને હિતકારી છે. હૃદય ને બળ આપનાર , હૃદય ના રોગો મટાડનાર છે. તેથી તે દ્રવ્યો માટે   હૃદ્ય શબ્દ વાપર્યો છે.   સંપૂર્ણ શરીરને લોહી પહોચાડનાર હૃદય ને , પોતાને પોષણ ને માટે લોહી જોઈએ ને !!! . અને આ લોહી શુદ્ધ હોવું જોઈએ. પરંતુ આપણી રહેણી- કરણી ને કારણે   ઉત્પન્ન થતો આમદોષ , જે હૃદય માં જમા થાયછે જેને આપણે L.D.L, બ્લોકેજ , M.I જેવા કારણો કહીએ. ... આ બધા કારણો થી હૃદય નું પૂરતું પોષણ મળે નહિ. વળી લોહી નો ગુ...

સુવર્ણપ્રાશ એટલે વેક્શીન થી ય વિશેષ

૫૦ વર્ષ પહેલાં શીતળા અને ક્ષય .... આ બે જ દર્દ ની વેક્શીન ફરજીયાત મુકવામાં આવતી. આજે પચાસ વર્ષે શીતળા નાબુદ થયા નું ગૌરવ   તબીબો ને આજનું વિજ્ઞાન લ્યે છે. જેમકે પહેલા ત્રાસવાદ   મોગલો ના સ્વરૂપે હતો , પછી અંગ્રેજો ના અને હવે પાકિસ્તાન સ્વરૂપે આવ્યો. નામ , જગ્યા ને રૂપ બદલાયા પણ ત્રાસવાદ દૂર થયો છે ખરો ?. મોગલો નો ત્રાસવાદ નાથવામાં સમર્થ ગુરુ રામદાસ અને શિવાજી થી શક્ય બન્યું જે આઝાદી પછી તેવું ગુરુ રામદાસ જેવું વૈદિક ધર્મ નું સાચું પીઠબળ ના મળ્યું ને ઉલટું આપણો ઇતિહાસ ને ખોટી રીતે ભણાવવામાં આવ્યો..... તેનું આપણે આજે આ પરિણામ ભોગવીએ છીએ.   આવું જ કઇક આયુર્વેદ માટે થયું છે. આજે હજુ ક્ષય નાબુદ તો થયો નથી બલકે ત્રણ- ત્રણ વખત ટી.બી નો AKT નો કોર્સ કરવા છતાં ફરી ટી.બી થતા જોવા મળેછે. અને શીતળા નવા રૂપ રંગે... ઝેરી કમળો , AIDS જેવા નામથી આવવા લાગ્યો છે. ત્યારે આયુર્વેદ ને તેના મૂળભૂત સ્વરૂપે સ્વીકારવામાં આવે.. તો... સુવર્ણપ્રાશ ને સ્વીકારવામાં આવે.. તો.. તે વિશેષ ગુણકારી સાબિત થાય તેવું આયુર્વેદ ના તમામ ગ્રંથો માં લખાણ મળી આવેછે. “ નિશાન ચૂક માફ નહિ , નહીં માફ નીચું નિ...

રાજવૃક્ષ કેટલું ઉપયોગી !!!

  અહીં ઉપયોગી શબ્દ માં વૃક્ષ- વનસ્પતિ તરફ જોવાનો આપણો સ્વાર્થી ડહોળો નજરમાં આવેછે. છોડ માં રણછોડ છે. વૃક્ષ માં વાસુદેવ છે. પાંડે- પાંદડે પરમેશ્વર છે. આ શ્રીમદ્ભગવદ્ગીતા ની વિભૂતિ યોગ ની દ્રષ્ટી છે. આ દ્રષ્ટી ધીરે ધીરે જીવનના પ્રત્યેક વ્યવહારમાં આવે તો જીવન પણ ખીલી ઉઠે.   રાજતે શોભતે નામ રાજા. જે આસપાસના બધાજ વૃક્ષોમાં શોભાયમાન છે તે વૃક્ષ એટલે ગરમાળો. તેને રાજવૃક્ષ , આરગ્વધ કહેછે. ઉનાળાની બળબળતી બપોરમાં પણ પીળા ફૂલોના હાર થી તે હસતો સૌને આવકારે છે અને તન- મન ની ગરમી દૂર કરવાની ખાતરી આપેછે.                        ગરમાળાની કાળી , લાંબી , જાડી શીંગ ને આરોગ્યશીમ્બી કહેછે. એટલું જ નહિ આ આખુંય વૃક્ષ આરોગ્ય આપનાર છે. તેના પાન , છાલ , મૂળ બધું જ ઔષધ ઉપયોગી છે. પરંતુ તેની શીંગ ની જૂદીજ વિશેષતા છે. આ શીંગ આખા વર્ષમાં મે- જૂન માં જ મળી શકે અને ગરમી પણ સૌથી વધુ   આ બે મહિનામાં જ વધુ હોયછે ને ! ! !   ભગવાન પણ કેટલો કૃપાળુ છે કે માણસોના તન- મન ની ગરમી મળ દ્વારા દૂર કરવા માટે જ...

ગરમી માં ઉપયોગી----- ફટકડી

  સૌરાષ્ટ્રી નામથી જે જાણીતી છે તે ફટકડી પરંતુ   હેરકટિંગ સલુન સિવાય ભાગ્યે જ વપરાતી ફટકડીની સ્થિતિ જાણે કાખમાં છોકરું ને ગામમાં શોધવા જેવી છે. જો કે મિનરલ પાણી પાછળ પાગલ પ્રજા હવે પસ્તાઈ ને પારોઠના પગલા ભરીને સાદું પાણી માં ફટકડી નાંખી , પાણી શુદ્ધ કરી ને પીવા લાગી છે ને તેથી ફટકડી સાથે તેનો સંબંધ બાંધવા લાગ્યો છે.       હેર કટિંગ સલૂન માં તમે જાઓ ને ભૂલતા જો લોહી નીકળે તો નાયી તરતજ ફટકડી ને પાણી માં પલાળી ને ઘા ના સ્થાને લગાવી દે છે અને તાત્કાલિક લોહી નીકળતું બંધ થઈ જશે.                   ફટકડી સ્વાદમાં તુરી છે. ગુણ માં ઠંડી છે. વહેતું લોહી અટકાવનાર છે. સોજો મટાડનાર ને સંકોચ કરનાર છે. તત્કાલ પરિણામદાયી છે છતાં ખૂબજ સસ્તી છે. આપણે   જો તેનો ઉપયોગ નહિ કર્યો તો લીંબડા જેવી સ્થિતિ થશે. આપણા જ ઘર આંગણે ઉગતા લીમડામાં થી ઔષધી બનાવીને કંપનીઓ આપણ ને જેમ ખવડાવે છે તેમ એક દિવસ ફટકડી આપશે.               ...

બાળ તંદુરસ્તી – ૨

આયુર્વેદ શાસ્ત્ર છે. તે અનાદી છે. ત્રિકાલાબાધિત છે. જે સૃષ્ટી ની સમગ્ર માનવ જાતિ ને માર્ગદર્શન કરેછે તેથી તે શાસ્ત્ર છે. સૃષ્ટી ની ઉત્પતિ થઈ ત્યારથી આયુર્વેદ ની ઉત્પતિ થઈ હોવાથી તે અનાદી છે.   તેના શબ્દો માં છેલ્લા પાંચહજાર વર્ષો માં કોઈ ફેરફાર હજુ સુધી થઈ શક્યો નથી , તેથી ભવિષ્યમાં ફેરફારની શક્યતા નથી તેથી તે ત્રિકાલાબાધિત છે.    તેથી તંદુરસ્તી જાળવવા અને થયેલા દર્દ ને દૂર કરવા માટે આયુર્વેદના શબ્દો નું પૂરેપૂરું અનુસરણ કરવું તેમાંજ આપણું ડહાપણ છે.   વિરુદ્ધઆહાર ની સમજ એ આયુર્વેદ ની એક અનોખી દેન છે. આજનું આધુનિક સંશોધન ને સંસાધનો થી ભરપૂર વિજ્ઞાન હજુ સુધી આયુર્વેદ ની આ સમજણ સુધી પહોંચી શક્યું નથી તે મોટી નવાઈ છે. જે વાત આપણા ગામડા નો અભણ પણ સમજે છે.   હું પાંચ- સાત વર્ષ નો હતો ત્યારે મારી દાદી કહેતી કે રાત્રે દહીં , ડુંગળી કે દૂધ ને ખટાશ ખવાય નહિ .... તેનાથી વિકાર આવે. જે આયુર્વેદ ની વિરુદ્ધાહાર ની વાત છે.        •              બાળકો ને વિરુદ્ધાહાર આપશો નહિ. દૂધ...

આવો...અંતરીક્ષ જળ સંગ્રહ નું આયોજન કરીએ (Rainwater Harvesting)

સમુદ્રવસને દેવી , પર્વતસ્તન મંડલે |   વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ , પાદસ્પર્શં ક્ષમસ્વમે ||   હે , સમુદ્ર રૂપી કપડા ધારણ કરેલી પૃથ્વી માતા , પર્વતો તારી શોભા છે , પ્રભુ પ્રેમ સ્વરૂપી વર્ષા ની ધારા પર્વતો દ્વારા તું અમને નદી ના માધ્યમ થી મોકલાવે છે . અને અમે હંમેશા તારા ખોળે જ નાચતા , કૂદતા ને ખેતી , વેપાર ને ધર્મ કાર્ય કરતા રહીએ છીએ , આમારા પગ નો તને સ્પર્શ થાય છે તો હે ... “ માં ” તું અમને ક્ષમા કરજે . તને અમારા વંદન હો .               પ્રભુ , પોતાનો પ્રેમ પૃથ્વી પર વર્ષા દ્વારા પ્રગટ કરેછે . પરંતુ   આપણે તે પરમ પિતા નો પ્રેમ   “ મા ”   પૃથ્વી સુધી લઈ જઈએ છીએ ખરા ? અંતરીક્ષ જળ નો સંગ્રહ કરી ને આખું વર્ષ તે જ પાણી પીવા માટે ઉપયોગ કરીશું તો તેટલું પાણી આપણે ધરતી માંથી ઓછું ખેંચીશું ને .. તે પણ આપણે માતા પૃથ્વી ને મદદ કરી ગણાય . ખેત તલાવડી દ્વારા પાણી નો સંગ્રહ કરીએ . કુવા , તળાવ , પાણી ના બોર રીચાર્જ ...