Posts

કેન્સર ને ઓળખો

જંગલની ગાઢ ઝાડીની વચ્ચે જ્યાં પાણી ભરાઈ રહે ત્યાં શરીર પર ચોંટી જનાર કરચલા ને તમે જોયો હશે. તેને અંગ્રેજી માં CANCER કેન્સર કહેછે. આપણા શરીર માં થતા આવા જ રોગ ને કેન્સર કહેછે. તેના માટે આયુર્વેદ માં અર્બુદ શબ્દ છે. અર્બુદ એટલે આબુપર્વત. જેને TUMOUR કે NEOPLASM કહેછે. જે સોજો ઉપસી ગયેલ હોય , કઠણ હોય , પાકવાવાળો ના હોય , ધીરે- ધીરે વધતો હોય ને માંસ ધાતુ માં સ્થિર થયેલ હોય તેને અર્બુદ કહેછે. પ્રકાર: ૧. વાતજ ,   ૨. પિત્તજ , ૩. કફજ , ૪. મેદજ અર્બુદ ના લક્ષણો ADENITIS થી મળતા આવેછે. ૫.રક્તજ અર્બુદ , ૬. માંસ અર્બુદ એ MALIGNANT TUMOR થી મળતા આવેછે. જ્યારે ૭.અધ્યાર્બુદ અને ૮.દ્વિરાર્બુદ આ બંને METASTATIC અને MALIGNANT TUMOR કહેવાય છે.       આમ , શરીરમાં થતાં કોઈપણ અર્બુદ કે ગાંઠ ની જ્યારે શરૂઆત થાય ત્યારે તેનાં વાત , પિત્ત , કફ કે મેદજ ના આધારે પ્રકાર પાડી ને સમજીને આયુર્વેદની યોગ્ય સારવાર લેવામાં આવેતો... અર્બુદ ની પ્રાથમિક અવસ્થા-ગ્રંથી અવસ્થા ADENITIS ની સ્થિતિમાં જ કાબુમાં લઈ શકાય કે મટાડી પણ શકાય અન્યથા આ રોગ ઉત્તરોત્તર ઝડપ થી MALIGNANT ની ...

કુષ્ઠ, વાતરક્ત, વિવર્ણતા, વિબંધ, પાંડુ નું ઔષધ- મંજીષ્ઠાદિ

નહિ જાહેરાત , નહિ પ્રચાર , નહિ વૈદ્ય છતાં પણ લોકમાનસમાં વિરુદ્ધાહાર અને લોહીબગાડના કારણે થતાં ચામડીના રોગો અને અન્ય મોઢાનાં ચાંદા , વંધ્યત્વ જેવા રોગોની સારવારમાં મજીઠ એ પ્રસિદ્ધ ઔષધ છે.   મજીઠ માંથી બનતું ને બજારમાં સુલભતાથી મળતું ઔષધ મહામંજીસ્થાદિ કવાથ કે જે ત્રણ સ્વરૂપે મળેછે. 1. ભૂકો ઉકાળો , 2. તૈયાર કવાથ , 3. ઉકાળામાં થી બનતી ઘનવટી.    આ ત્રણેય માં ઉત્તમ પરિણામ ભૂકા ઉકાળામાં થી જાતે ઘરે બનાવાતો ઉકાળો.   આ ઉકાળામાં મજીઠ , નાગરમોથ , કડાછાલ , ગળો , ઉપલેટ , સૂંઠ , ભારંગમૂળ , બેઠીભોરીંગણી , વજ , લીમડાની અંતરછાલ , હળદર , દારુહળદર , ત્રિફલા , પટોલપત્ર , કડુ , મોરવેલ , વાવડીંગ , અશ્વગંધા , ચિત્રકમૂળ , શતાવરી , ત્રાયમાણ જેવા ૪૫ ઔષધોના ઉકાળામાં ગુગળ ને લીંડીપીપર થી બનતો ઉકાળો એટલે મહામન્જીસ્થાદિ ઉકાળો.       આ ઉકાળો................ ➖          વર્ણ ને સારો કરનાર: મજીઠ , આમળાં , જેઠીમધ , ચંદન , શતાવરી જેવા ઔષધો ગરમ નથી. ગળો , હળદર થોડાક ગરમ છે છતાં આ બધાજ લોહીને શુદ્ધ કરનાર , ચામડીનો વર...

નૂતન વર્ષે નિયમિત બનીએ

અત્યારે જેમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહીછે તેમણે –   પૂજ્ય પાંડુરંગદાદાજીએ - પ્રવચનમાં કહેલું કે , જીવનમાં મોટા માં મોટો જો કોઈ ગુણ ની જરૂર હોયતો તે છે “ શીલ ”. જેના જીવનમાં શીલ છે તેના જીવનમાં ગયેલા બધાજ ગુણો પાછા આવી જશે.   શીલ એટલે ચારિત્ર્ય. શીલવાન બની રહેવા માટે જરૂરી છે - સંયમ , અભ્યાસ , અધ્યાત્મ , ભક્તિ , વ્રત , ઉપવાસ , સત્સંગ , સ્વાધ્યાય , નિયમિતતા આ બધું જ જરુરી છે. આજે નૂતન વર્ષારંભે નિયમિતતા વિષે વાત કરીએ.   આયુર્વેદમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ને પ્રથમ વર્ષના પ્રથમ દિવસે જ શાસ્ત્ર અભ્યાસમાં પ્રથમ જ એક વાક્ય જરૂર થી ભણાવવામાં આવેછે કે , બ્રાહ્મે મુહુર્તે ઉત્તિષ્ઠેત્ સ્વસ્થ: રક્ષાર્થમ આયુષ: |   તંદુરસ્તી અને આયુષ્ય નું રક્ષણ કરવું હોયતો .......... બ્રાહ્મ મુહુર્તમાં એટલેકે સવારે ચાર વાગે ઉઠવાની ટેવ પાડવી જ જોઈએ.   સંત કવિ નરસિહ મહેતા કહેછે કે , રાત રહે જાહરે પાછલી ષટ ઘડી સાધુ પુરુષે સુઈ ના રહેવું. નિંદ્રા ને પરહરી , સમરવા શ્રીહરિ એક તું એક તું એમ કહેવું.   ષટ ઘડી એટલે છ ઘડી. એક ઘડી= ૨૪ મિનીટ. સૂર્યોદય ના છ ઘડી= લગભગ અઢી કલા...

ગાય નું દૂધ --- સગર્ભા નું અમૃત

          આયુર્વેદ માં જ્યાં ને જ્યારે દૂધ શબ્દ નો ઉપયોગ થાયછે ત્યાં ને ત્યારે ગાયનું દૂધ જ સમજવું. આપણા ઋષીઓ તો દરરોજ સવાર ની પ્રાર્થના માં ગાય ની મધ્ય માં જ રહેવાની માગણી કરેછે. આજે પણ ખેડૂતો ગાય તો પોતાના ખેતર માં રાખેછે છતાં પણ બીમાર ને નબળી બુદ્ધી ના બાળકો ને યુવાનો કેમ પેદા થાયછે ?  ·          કારણકે.... હવે પશુપાલક   હિરણ્યકશિપુ કે હિરણ્યાક્ષ બનીને સંકર કે એચ.એફ ગાયો વધુ રાખેછે કે જે કેન્સર ને નબળાઈ નું કારણ છે. સમાજ જ્યારે સ્વાર્થી , ભોગલંપટ ને હિરણ્યાક્ષ બને તો પછી ખેડૂત કેમ ના બને ?.. જે ગાય ભારતીય નથી તે ગાય જ નથી. તેને કદાચ કાઉ કહી શકાય. ગાય નું અંગ્રેજી GAAY થાય. કાઉ એટલે ગાય જેવું પ્રાણી. જેમકે નીલગાય તે ગાય નથી. તે ગાય જેવું એક પ્રાણી છે.   ·          આવી આપણી કાંકરેજી કે ગીર ગાય નું દૂધ જે સગર્ભા બેન પીએછે તેનું બાળક બળ , બુદ્ધિ , સૌંદર્ય ને રોગ પ્રતિકાર શક્તિ માં શ્રેષ્ઠ હોયછે. ભેંસ નું દૂધ પીનાર નું બાળક વજનદાર , સ્થૂળ , વધુ ચરબી ધરાવનાર કે...