Posts

Showing posts from August, 2019

માંસલ શરીરધારી – દીર્ઘજીવી

    કોઈ કલાકાર કે વ્યાયામ વીર જીમખાના માં જઈ ને અતિભારે કસરત કરીને અને સાથે યોગ્ય આહાર – વિહાર થી સિક્સ પેક જેવું માંસલ શરીર બનાવે , રથયાત્રા ના જૂલુસ માં જયારે આપણે વ્યાયામ વીરો ના માંસલ શરીર ના અંગ પ્રદર્શન જોઈએ છીએ ત્યારે આપણ ને તેમના માટે કેવો સરસ અહોભાવ થાયછે.   વ્યાયામ અને યોગ્ય આહાર – વિહાર થી માંસલ શરીર બને તે ચોક્કસ છે , સાથે તેનો સંબંધ માતા – પિતા સાથે , સ્વભાવ ને રહેણીકરણી સાથે , સહનશીલતા ને તેના સત્વ- આત્મબળ સાથે પણ તેટલો જ સંકળાયેલો છે.   જેઓના શરીર માંસલ છે એટલેકે જેમની માંસ ધાતુ શુદ્ધ સ્વરૂપ માં છે તેઓના કપાળ , કપાળ નો મધ્ય ભાગ , બંને કાન ની પાસેનો લમણા નો ભાગ , ગળાનો ભાગ , બંને આંખો , ગાલ , હડપચી , ડોક , ખભા , પેટ , બગલ , છાતી તથા હાથ , પગ ને બધાજ સાંધાઓ સ્થિર , ભારે , માંસ થી ભરાવદાર પુષ્ટ હોયછે , ઉત્તમ હોયછે. આવી વ્યક્તિઓ નો સ્વભાવ ક્ષમા આપવાને યોગ્ય , સહનશીલ તથા ધીરજ યુક્ત   હોયછે. તેઓ એકદમ સરળ , કપટરહિત હોયછે . આવા લોકો સુખ , શાંતિ , સમાધાની ને તંદુરસ્ત હોયછે. તેઓ ઉત્તમ બળવાળા તથા દીર્ઘજીવી હોયછે.   મન ની શાંતિ , સમ...

શક્તિ મેળવો.... ક્ષય ભગાવો, સ્વસ્થ રહો.

તપસ્વી , કર્તૃત્વવાન , સૌને સુખ , શાંતિ ને સમાધાન આપવા માટે સતત પ્રયત્નશીલ એવા ચંદ્ર રાજા નું બહુમાન સ્વરૂપે લોકોએ આકાશ ના ચંદ્ર સાથે સરખાવી ને તેને અમર બનાવી દીધો. આવા ચંદ્ર રાજા ને ક્ષય લાગુ થયો ત્યારે તેને શક્તિ આપવા સૌરાષ્ટ્રે સોમ[ચંદ્ર]નાથ – મહાદેવ પ્રગટ થયા પુષ્ણામિ: ચૌશધી: સર્વાં , સોમો ભૂત્વા રસાત્મક: || ગીતા || પ્રત્યેક વનસ્પતી - ઔષધી માં રસ ચંદ્ર પૂરો પાડે છે. તેથી જયારે શરીર નબળું પડે , અશક્તિ જણાય એટલેકે ધાતુઓ નો ક્ષય જણાય ત્યારે પાચક શક્તિ ને ધ્યાન માં રાખી યોગ્ય આહાર , આયુર્વેદ ની વનસ્પતિ ના ઔષધો નો ઉપયોગ કરવો. શરીર ની રસ , રક્ત , માંસ , મેદ , અસ્થિ , મજ્જા , શુક્ર ધાતુ. આ સાતેય ધાતુ માંથી કોઈ એક ધાતુ કે પછી બધી જ ધાતુ નો ક્ષય થવાથી પણ ટીબી કે ક્ષય રોગ ની ઉત્પતિ થતી હોય છે. ક્ષય યુક્ત ધાતુ ના જોવા મળતા લક્ષણો રસ ધાતુ – શરીર માં રુક્ષતા , થાક લાગી જવો , ગળા માં શોષ પડવો , ગ્લાની તથા કોઈની પણ જોડે વાતચીત કરવી ન ગમે. રક્ત ધાતુ – ખાટા પદાર્થો કે ઠંડા પદાર્થો ના સેવન કરવાની ઈચ્છા વધુ થાય. આ ઉપરાંત શરીર ની શિરાઓ માં શિથીલતા થઇ જાય અને શરીર માં રુક્ષતા...

પ્રસન્નતા નો પર્યાય --- રક્ત સાર

કોઈપણ   બાળક દિવસ માં ૨૦૦ થી વધુ વખત હસે છે. જયારે પુખ્ત વયની વ્યક્તિ દિવસમાં મુશ્કેલી થી ૨૦ વખત હસે છે. . .. ભૂલી જવું , હસતા રહેવું અને વિકાસ કરવો આ બાળક નો સહજ સિદ્ધાંત છે અને તેથી જ તેની બુદ્ધી સત્તેજ હોય છે , તેનું મુખ પ્રસન્ન હોય છે એટલેકે બાળક ને તંદુરસ્તી સહજ હોય છે ને બીમારી ક્ષણિક હોય છે. આવી પ્રસન્નતા જેમ હાસ્ય થી આવે છે અને પ્રસન્નતા થી તંદુરસ્તી આવેછે તેમ શુદ્ધ રક્ત થી પણ પ્રસન્નતા અને તંદુરસ્તી સહજ આવેછે તેથી એમ કહી શકાય કે હાસ્ય થી રક્તશુદ્ધિ થાયછે.   હસે તેનું ઘર વસે , હસતા ના સૌ મિત્રો બને ને રડતા નો તો રામ પણ નથી. દીવેલ પીધેલા જેવા મોઢા વાળાને રક્તદોષ જન્ય રોગો થાય. અરે ! સોરાયસીસ જેવા ચામડી ના મોટા રોગો થવાનું મુખ્ય કારણ ચિંતા ને વિચારો છે. હસતા ને ખીલતા માણસ ને ચામડીના તો શું અન્ય હાર્ટ એટેક જેવા રોગો પણ તેની પાસે આવતા નથી.   રોગ ના સ્થાન બે. શરીર અને મન. કોઈપણ રોગ શરીર ને થાય તો તેની મન ઉપર અસર થાય જ. અને મન માં થયેલા તમામ રોગો ની અસર શરીર ઉપર થાય જ. તેથી મન ને સ્વસ્થ રાખવા માટે બાળક પાસે થી શીખવા જેવું છે..... ભૂલી જવું , હસતા રહેવ...