સુકુમાર એટલે શુદ્ધ મેદ
નિંદા કરવા જેવી સ્થિતિ એટલે મેદસ્વી , સ્થૂળતા , જાડિયાપણું અને કૃશતા , સુકલકડી શરીર પણ. આયુર્વેદે આ બંને સ્થિતિ ને નિંદ્ય ગણી છે. અહી નિંદ્ય કે નિંદા કરવી નો અર્થ... ચારે-બાજુ તેની ટીકા કરવી તેવો નથી પરંતુ આ સ્થિતિ અનારોગ્યકારક છે. તેથી વ્યક્તિએ પ્રયત્ન પૂર્વક શરીર ની સ્થૂળતા કે કૃશતા થાય નહીં તે રીતે આહાર , વિહાર ની વ્યવસ્થા કરવી જોઈએ. વખાણવા જેવી સ્થિતિ એટલે શુદ્ધ મેદ. શરીર માં મેદ- ચરબી હોવી તે સારી નિશાની છે. તે પ્રમાણસર હોવો જોઈએ. શુદ્ધ મેદ કે મેદ સાર તે છે કે , જે સૌંદર્યવાન છે , તે દાનેશ્વરી છે , તે સુખ ભોગવી શકેછે , સ્વભાવ માં સરળ છે , સુકુમાર છે , આરામપ્રિય છે , પરિશ્રમ કે મુશ્કેલી કે દર્દ- દવાની તીક્ષ્ણતા સહન કરી શકતા નથી , શરીર માં સ્નીગ્ધતા- ચીકાશ વ્યાપેલી હોયછે , શરીર નો રંગ- વર્ણ , સ્વર , આંખો , વાળ , રૂવાંટા , નાખ , દાંત , હોઠ , મળ તથા મૂત્ર માં ચીકાશ જોવા મળેછે. પરંતુ આવી વ્યક્તિ જયારે આળસુ બની જાય , તેમનો મધુર રસ- મીઠાઈ ખાવા નો સ્વભાવ હોય , પરિશ્રમ કે વ્યાયામ માં આળસ હોય , ખાઈ- પી ને નિરાંતે ઊંઘવાનો સ્વભાવ હોય તો આ શુદ્ધ , સાર રૂપ , ...