Posts

Showing posts from August, 2017

સ્વાઇન ફ્લુ ના ઘરેલું ઔષધો - Indian herbs for swine flu

દર્દ કરતા પણ દર્દ નો ભય વધુ મોટો હોય છે. સર્પદંશ થી પણ જેને મૃત્યુ  ની સજા આપવાની છે તેવા કેદી ને અંધારી રાત્રે જયારે માત્ર સાપ નો ફુંફાળો સંભળાવી ને  ટાંકણી મારવા માં આવે ત્યારે તેનું મૃત્યુ થાય અને તેના લોહી માં સર્પ નું ઝેર આવે કારણ કે તે ઝેર તેના ભય થકી આવેલું હોય છે. विष्णो: पद निर्भयम | આજે માણસ ભય થી જ જીવતો રહેલો છે. સુખ ના શોફા ઉપર બેસી ને પણ જેમ ઉંદર ભય થી જ મીઠાઈ ખાતો હોય છે તેમ આજે માણસ અનેક પ્રકાર ના ભય હેઠળ જ  જીવતો રહેલો છે. તમામ પ્રકાર  ના ભય ને દૂર કરવા માટે માત્ર ને માત્ર ઈશ્વર નું ચિંતન, મનન અને ધ્યાન જ મદદરૂપ થાય. આયુર્વેદ વનસ્પતિ ના ઔષધો પ્રભુ ના પ્રતિનિધિ છે તેમ સમજી ને તેનો ઉપયોગ થશે તો દર્દ મટશે, દર્દ નો ભય જશે, ભક્તિ થશે, ભાવ વધશે , આરોગ્ય સુધરશે અને દીર્ઘાયુ પ્રાપ્ત થશે. ૧. તુલસી – વિષ્ણુ પ્રિયા તુલસી સૌની જાણીતી છે, જ્યાં હોય તુલસી ત્યાં પ્રભુ નો વાસ હોય. તુલસી સ્વાદ માં તીખી છે, કડવી છે, હૃદય ને ગમે તેવી છે, ગુણ માં ગરમ છે, ભૂખ લગાડનાર છે, પિત કરનાર છે, બળતરા કરે છે. તમામ પ્રકાર ના ચામડી ના રોગો મટાડે છે. પેશાબ ની અટકાવત ને દુર ...

મહામારી સ્વાઇન ફ્લુ ને અટકાવો

તમે રાત્રે રમાતી ક્રિકેટ મેચ જોઈ હશે, હજારો વોલ્ટ ના હેલોજન બલ્બ ના પ્રકાશ પાસે માણસ જાય તો શેકાઈ જાય પરંતુ તે બલ્બ પાસે અસંખ્ય જીવાત ઉડતી આપણને જોવા મળે. જયારે હજારો કી.મી દૂર રહેલા સૂરજદાદા ના પ્રકાશ થી બધીજ જીવાત દૂર થઈ જાય. મંદાગ્ની, કફ ને જીવાત જન્ય રોગો દૂર થઈ જાય. તેથીજ તો સૂર્ય એ માત્ર પ્રકાશ નો ગોળો નથી, તે તો છે જ્ઞાન, હુંફ- ઉષ્મા ને જીવન દાતા દેવ છે. દરરોજ સૂર્ય નમસ્કાર પ્રત્યેક વ્યક્તિએ કરવા એ ઉપાસના છે, કૃતગ્નતા છે, માણસાઈ છે. સતત વરસાદ ના વાતાવરણ થી ચારેબાજુ ફેલાતી ગંદકી ને જીવાત અને જયારે સૂર્ય ના દર્શન દુર્લભ થાય ત્યારે નીતનવા રોગો ફેલાય.  અગ્નિ નબળો પડે, પાચન બગડે, વાતાવરણ માં આખા વર્ષ માં સૌથી વધુ વાયુ નો પ્રકોપ થાય નર શરીર માં કફ નો પ્રકોપ થાય તેથી વાતકફ થી થતા રોગો થાય.  ફ્લુ ને આયુર્વેદ માં વાતકફજ જવર કહે. સ્વાઇન ફ્લુ એટલે  H1 N1   નામના વાયરસ થી ફેલાતો વ્યાધી . તેથી આપણે વાત કફ જવર ને સમજીએ ને  તો પણ સ્વાઇન ફ્લુ ને અટકાવી શકીએ.  વિશેષ કરી ને જયારે ઠંડી થી આવતો તાવ, ખાંસી, શરદી, ગળા માં અવરોધ સ્વરૂપે દેખાય છે તેને આપણે ફ્લુ કે વાત ક...

પૂર – મૃત્યુ – કારણ- રોગ અને ઉપાય

Image
બનાસકાંઠા માં દાંતીવાડા ડેમ માંથી એકાએક [જો કે ૩ કલાક પહેલા સૌને જાણ સરકારે કરેલી] પાણી છોડવાથી થયેલી હોનારત તેમાં હજારો પશુઓ અને ૬૫ થી અધિક માણસો મૃત્યુ પામ્યા તેનું અત્યંત દુઃખ સૌને થાય તે સ્વાભાવિક છે. ત્યારે આ વિષે આયુર્વેદ માં ચરક સંહિતા માં ઋષિ ને પણ ચિંતા થઈ છે ને તેના ઉપાય બતાવ્યા છે.         વડ નું બીજ વાવ્યું હોય તો તેને મોટું થતાં સમય લાગે તેમ આજની સ્થિતિ માટે કારણ ઘણું જુનું હોય. જો રાજા અધર્મ નું આચરણ કરે તો મંત્રીઓ, નોકર અને પ્રજા પણ અધર્મ નું આચરણ કરે છેવટે લોકો ના સમૂહ નો નાશ થાય. આજ વાત ને મહાભારત પણ કહેછે કે   राजा कालस्य कारणं | જો કે અત્યારના આપણા દેશ અને રાજ્ય ના P.M અને  C.M  બંને ધાર્મિક છે પરંતુ સ્થિતિ વડ જેવી છે. રોગ બહુ જુનો છે. તેથી આજે હવે માત્ર ધાર્મિક હોવું પૂરતું નથી સાથે પ્રત્યેક વ્યક્તિ માં મારામાં રામ, તારામાં રામ, સૌના હૃદય માં વસે છે ઘનશ્યામ. આ ભાવના પ્રત્યેક દેશવાસીઓ માં સાકાર થાય તેવો પ્રયત્ન સૌ તરફ થી થાય ત્યારે પ્રકૃતિ પણ અનુકુળ બની રહે, કોઈ નું અકાળ મૃત્યુ થાય નહિ. આ જ વાત ને શ્રીમદ ભગવત ગીતા सर्वस्यचाह...