પૂર – મૃત્યુ – કારણ- રોગ અને ઉપાય

બનાસકાંઠા માં દાંતીવાડા ડેમ માંથી એકાએક [જો કે ૩ કલાક પહેલા સૌને જાણ સરકારે કરેલી] પાણી છોડવાથી થયેલી હોનારત તેમાં હજારો પશુઓ અને ૬૫ થી અધિક માણસો મૃત્યુ પામ્યા તેનું અત્યંત દુઃખ સૌને થાય તે સ્વાભાવિક છે. ત્યારે આ વિષે આયુર્વેદ માં ચરક સંહિતા માં ઋષિ ને પણ ચિંતા થઈ છે ને તેના ઉપાય બતાવ્યા છે.

        વડ નું બીજ વાવ્યું હોય તો તેને મોટું થતાં સમય લાગે તેમ આજની સ્થિતિ માટે કારણ ઘણું જુનું હોય. જો રાજા અધર્મ નું આચરણ કરે તો મંત્રીઓ, નોકર અને પ્રજા પણ અધર્મ નું આચરણ કરે છેવટે લોકો ના સમૂહ નો નાશ થાય. આજ વાત ને મહાભારત પણ કહેછે કે  राजा कालस्य कारणं | જો કે અત્યારના આપણા દેશ અને રાજ્ય ના P.M અને  C.M  બંને ધાર્મિક છે પરંતુ સ્થિતિ વડ જેવી છે. રોગ બહુ જુનો છે. તેથી આજે હવે માત્ર ધાર્મિક હોવું પૂરતું નથી સાથે પ્રત્યેક વ્યક્તિ માં મારામાં રામ, તારામાં રામ, સૌના હૃદય માં વસે છે ઘનશ્યામ. આ ભાવના પ્રત્યેક દેશવાસીઓ માં સાકાર થાય તેવો પ્રયત્ન સૌ તરફ થી થાય ત્યારે પ્રકૃતિ પણ અનુકુળ બની રહે, કોઈ નું અકાળ મૃત્યુ થાય નહિ. આ જ વાત ને શ્રીમદ ભગવત ગીતા सर्वस्यचाहं ह्रदि संनिविष्टः | અને અંગ્રેજી માં INDWELLING GOD ની ભાવના નું સાર્વત્રીકરણ કહેછે.
        
         પ્રાકૃતિક આપદા નો પડકાર ઝીલી ને માણસ ઉભો થવા પ્રયત્ન કરેછે ત્યારે દર્દો પરેશાન કરેછે. તાવ, ઝાડા, ઉલટી, અપચો, મરડો, માનસિક રોગો, મલેરિયા..ડેન્ગ્યું... જેવા મારક રોગો થવા લાગે ત્યારે સૌએ સચેત બનીને કેટલીક કાળજી લેવી જોઈએ અને એક ઔષધ પેટી ઘર માં વસાવવી જોઈએ.

·         સ્વચ્છતા રાખવી. સર્વત્ર લીમડો, હળદર, ગુગળ, ગાય ના ઘી નો ધૂપ કરવો.

·         સૌએ સુંઠ, ધાણા થી ઉકાળેલું પાણી જ આખો દિવસ પીવું. ભૂખ થી ઓછું ખાવું, ખોરાક માં આદુ નો ઉપયોગ વધુ કરવો. દૂધનો ઉપયોગ ઓછો કરવો, દૂધ પણ સુંઠ, હળદર વિના પીવું નહિ. કોઇપણ બીમારી આવે કે તરતજ લંઘન એટલેકે ભૂખ થી અડધું જ ખાવું.  મગ, મગ નું પાણી, ભાત નું ઓસામણ, આદું સાથે ના મગ- ભાત જ  ખાવા અને તરતજ વૈદ્ય ને મળી ને આયુર્વેદ ઔષધ લેવા.

·         ઘર માં ઔષધ પેટી માં ચાર ‘સ’ કાર સંઘરી રાખવા.

૧, સુંઠ.. જેનું બીજું નામ છે વિશ્વ ભેષજ એટલેકે તમામ દર્દો ની તે દવા છે. શરદી, અપચો, ઝાડા, છાતી માં દુખાવો, માથાનો દુઃખાવો, હેડકી જેવા અનેક દર્દ તે દૂર કરનાર મહાન ઔષધ છે.

૨, સંજીવની વટી... અપચો, મરડો, ઝાડા, ઉલટી માં આદુ અને લીંબુ ના રસ સાથે વારંવાર ૧-૧ ટીકડી આપવી.

૩, સુદર્શનઘનવટી..... તાવ, શરદી, હાઈ બી.પી, સાંધા નો દુઃખાવો માં તાત્કાલિક પરિણામ આપતું ઔષધ છે.

        ૪, શંખવટી.... અપચો, ઉબકા, ઉલટી, અમ્લપિત, પેટ નો દુઃખાવો, ગેસ-વાયુ ને દુર કરનારછે.         
        આ ચારેય ઔષધ  તાત્કાલિક માં ઉપયોગ લઈ ને નજીક ના વૈદ્ય નો સંપર્ક કરવો.


           Amrut Ayurved Kendra & Panchkarma Hospital

visit & Subscribe - http://www.amrutayurvedkendra.com/

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)