Posts

Showing posts from January, 2018

બાળકો ની ખાંસી – ઊટાટીયું

બાળક અને વૃધ્ધ બને એકસરખા. તફાવત માત્ર ચિંતાનો. આદ્ય શંકરાચાર્ય કહે છે ને કે “ બાલ સ્તાવત ક્રીડા સકત: , તરુણ સ્તાવત તરુણી શકત: , વૃધ્ધ સ્તાવત ચિંતા મગ્ન:”   પરંતુ બીમારી માં બનેને ખુબ જ સાચવવા પડે. ક્યારે કઈ બિમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તે કહી ન શકાય. ખાંસી – ઉધરસ માટે પણ આવું જ છે. સામાન્યતઃ ખાંસી કફ થી   થાય , ગરમી માં કે ગરમી થી પિત ની   ખાંસી થાય પરંતુ બાળક ને ઊટાટીયા ની ખાંસી અને ઘરડા માણસો ને ઉમર ના કારણે અથવા રોગ વધી જવાથી થતી ખાંસી તે વાયુ ની. ઊટાટીયું  –  આધુનિક ભાષા માં હુપીંગ કફ( whooping cough) અથવા તો pertussis  તેને કહે છે. આ ચેપી રોગ છે. આ રોગ નું કારણ Bordetella pertussis નામ ના જીવાણું મનાય છે. આ રોગ થાય એટલે ૭ થી ૧૫ દિવસ તાવ રહે છે. તે દસ વર્ષ થી નાની ઉમર ના બાળકો માં જોવા મળે છે. આ રોગ નો ફેલાવો થુંક , શ્વાસ થી થાય છે. ઊટાટીયું થવા પહેલા ઝીણો તાવ આવે છે સાથે સાથે તીવ્ર ખાંસી પણ થાય છે. ખાંસી સુકી હોય છે અને તેનો વેગ ક્યારેક એટલો તીવ્ર હોય છે કે બાળક ખાંસી કરતા ઉલટી પણ કરી દે છે. ઘણું કરી ને ઊટાટીયું ખાંસી રાત્ર...

વાંઝીયા મહેણું ભાંગે – રસોનતેલ

સ્ત્રી જીવન નું પરમોરસ સુખ એટલે અપત્ય.   કુળ ના સંસ્કારો ને વધારી ને તેની સુગંધ પ્રસરાવે છે તે એટલે સંતાન. પૂર્વજોની કીર્તિ વધારે તે પુત્ર. આ બધી વ્યાખ્યા અને ભાવનાઓ ને  કારણે ખોળોનો ખુંદનાર ની ઝંખના એટલી તીવ્ર હોય છે કે તે વિના નું જીવન અધૂરું કે મહેણું લાગે છે. વંધ્યત્વ એટલે કે વાંઝીયા પણું મુખ્યત્વે પુરુષ ના કારણે થાય છે અને તેના કારણ ની તપાસ અને સારવાર પણ સહેલી છે. પરંતુ કેટલીક સ્થિતિમાં સ્ત્રી પણ વંધ્યત્વ નું કારણ હોય છે સ્ત્રી વંધ્યત્વ ના કારણો માટે આયુર્વેદ  માં એક સ્વતંત્ર અધ્યાય લખ્યો છે અને તેના ૩૦ કારણો જણાવ્યા છે. તેમના કેટલાક કારણો અને તેના ઘરેલું ઉપચાર વિષે અહી શાસ્ત્ર નો વિચાર અને અમારા અનુભવ વાગોળીએ. ૧. વામીની   યોની  – એટલે કે જે યોની શુક્રધાતુ નું વમન- ઉલટી કરી નાખે તે વામીની યોની. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ નો વ્યવાયિક સબંધ થયા પછી દોઢ કલાક પછી શુક્ર અને આર્તવબીજ (રજ) નું ફેલોપીયન ટયુબ માં મિલન થતું હોય છે. તેથી જો યોની શુક્રધાતુ નું દોઢ કલાક ની પહેલા વમન – ઉલટી કરી નાખે તો ગર્ભપ્રાપ્તિ સંભવ નથી. અહી શુક્ર ધાતુ નું વમન થવું એ ય...

જીર્ણાતિસાર માં માત્રા બસ્તિ

गुदेन बहु द्रव मल सरणमतिसार – मधुकोष ગુદામાર્ગ થી અધિકમાત્રા માં દ્રવપ્રધાન મળપ્રવૃત્તિ થવી અર્થાત વધુ વખત અને વધુ માત્રા માં શરીર ની પ્રવાહી ધાતુ પુરીષ ની સાથે મળી ને ગુદામાર્ગથી બહાર નીકળે છે તેને અતિસાર – ઝાડા-ડાયેરિયા કહે છે.     અતિસાર માં અગ્નિની મંદતા અને વાયુ નો પ્રકોપ થાય તે મુખ્ય છે. આજકાલ લોકો અજીર્ણ , અધ્યસન ( વારંવાર નું ભોજન અને ટેન્શન સાથે લોકો જીવે છે. ફાસ્ટફૂડ , દુષિતાહાર અને પૈસા ની પાછળ દોડતો રહેલો માનસ શું થયું અને શું થશે ની ચિંતા અને ભય ની સાથે જીવે છે. તેની સાથે દિવસ માં ૨-૪ વખત મળ પ્રવૃત્તિ માટે જવું , ભૂખ ન લાગવી , અપચો યા વેગો ને રોકવાથી આનાહ – આટોપ (ગેસ-આફરો-કબજીયાત) થાય છે અને તે દર્દો કાયમીના બની જાય છે ત્યારે લોકો કઈ ન કઈ ઔષધી લઇ ને તત્કાળ ફાયદો લઇ લે છે. પરંતુ મંદાગ્ની માં અહિતાશન – અહિત આહાર વિહાર ના સેવન થી અજીર્ણ અને અતિસાર જીર્ણ બની જાય છે અને ત્રણેય દોષ ના પ્રકોપ સાથે રોગ બળવાન બને છે ત્યારે ઋતુ , પ્રકૃતિ , આહાર અને અવસ્થાના કારણે આમાતિસાર , પિતાતિસાર , ભય-શોકાતિસાર , ગ્રહણી ના રોગો ઉત્પન્ન થાય છે. જીર્ણાતિસાર ના સામાન્ય લ...