Posts

Showing posts from January, 2019

ॐ અર્કાય નમ : ||

ભગવાન સૂર્ય નારાયણ ના બાર નામો માં એક નામ છે.. “ અર્ક ”. જે યુવાન છે તે , દરરોજ સવારે   સૂર્ય નમસ્કાર કરતાં આ મંત્ર નું ઉચારણ કરે જ છે. સૂર્ય ની સામે સવારે બેસવાથી જેમ ઠંડી , કફ , શરદી , ખંજવાળ   દૂર થાય ને સ્ફૂર્તિ આવે , પાચન સુધરે. વાતાવરણ માં થી જીવાત - મચ્છર- કૃમિ દૂર થાયછે. સૂર્ય ના પ્રતિનિધિ બનવાનું સૌને ગમે. સૂર્ય પાસે જવાથી જેમ રોગ જાય તેમ હુંફ ને સ્ફૂર્તિ મળે. જે   માણસો   એક- બીજાને હુંફ આપવા માટે સતત પ્રયત્નશીલ છે તે બધાજ   સૂર્ય ના   પ્રતિનિધિ છે તેમ સમજી શકાય.   વૃક્ષ- વનસ્પતિ પણ સૂર્યનું કામ કરનાર છે. તે સૌમાં અર્ક- એટલેકે આપણો સૌનો પરિચિત "આકડો" એ અગ્રેસર છે. તો આવો આજે આપણે આક્ડાભાઈ ને ઓળખીએ- સમજીએ. 😀   આકડો એટલે દુઃખાવાનો ને કફ ના રોગોનો દુશ્મન. શરીરના કોઈપણ ભાગમાં દુઃખાવો થાય કે ક્યાંય ક્ફના રોગો- ખંજવાળ , પાક- પરુ , સોજા , દમ નું દર્દ , કૃમી હોય ત્યાં આકડો અકસીર છે. અરે !! ખેતીમાં પણ આકડો ખેડૂત નો મિત્ર છે.   ખેતર માં પાક ઉપર જીવાત થાય કે હિમ પડવાથી પાક બળવાની સ્થિતિ ઉભી થાય , ઉધઈ થાય કે છોડ નો યોગ્ય વિકાસ થાય ...

ઓકી દાતણ જે કરે..........

જૂના જમાના ની કહેવત છે કે...... " ઓકી દાતણ જે કરે , નરણા હરડે ખાય. દૂધે વાળું જે કરે તે ઘર દર્દ ના જાય." . . આ જ વિષયને મહર્ષિ વાગભટ્ટ સરસ સમજાવેછે કે.... “ શીતોદ્ભવમ દોષચયમ વસન્તે | વિશોધયન ગ્રીષ્મજમભ્ર કાલે ||”   હેમંત ઋતુ ( ઠંડીમાં ) માં ચોંટી ગયેલા કફને વસંત ઋતુ ની શરૂઆત માં શોધન કરીને , નિષ્ણાત પંચકર્મ વૈદ્ય પાસે વમનકર્મ- ઉલટી નું કર્મ કરાવવું જોઈએ. ગ્રીષ્મઋતુ ( ગરમી ) માં ભેગા થયેલા વાયુને ગરમી ઓછી થતાં જ એટલેકે ચોમાસાની વર્ષાઋતુ આવે તે પહેલા જ બસ્તિ કર્મ થી વાયુનું શમન કરાવવું જોઈએ. તથા વર્ષાઋતુ માં પાચન અને અન્ન- પાણી ભારે થવાથી ને બગડવાથી ભેગા થયેલા પિત્તને વર્ષાઋતુ પૂરી થયા બાદ એટલેકે શરદ પૂનમ ની આસપાસ પિત્ત નું પદ્ધતીસર વિરેચન કરાવવું જોઈએ. .................. આવું કરવાથી માણસ ઋતુઓથી થતી બીમારીઓથી દૂર રહે છે ને સંપૂર્ણ તંદુરસ્ત રહે છે.   સામાન્ય રીતે દરરોજ સવારે , ભોજન પછી તરતજ અને રાત્રીની શરૂઆતમાં સૌને કફ વધે , બપોરે મધ્યાહ્ન કાળે , ભોજન પચવાના સમયે અને મધ્ય રાત્રીએ પિત્તનો વધારો થાય જ અને સાંજના સમયે , ભોજન પછી ગયા પછી અને સૂર્યોદયના બે થી ત્રણ કલ...

આજ થી ઉતરાયણ ........

ઋતુ કેટલી ? આ પ્રશ્ન ના ત્રણ જવાબ છે. ૧ , ઉતરાયણ અને દક્ષિણાયન.. ૨ ,   શિયાળો , ઉનાળો અને ચોમાસું... ૩ , શિશિર , વસંત , ગ્રીષ્મ , વર્ષા , શરદ અને હેમંત. .......... અત્યારે હવે ઉતરાયણ શરુ થશે. સૂર્ય મકર રાશી માં પ્રવેશ કરશે તેથી મકરસંક્રાંતિ. હવે દક્ષિણાયન ઋતુ પૂરી થઈ અને ઉતરાયણ ઋતુ શરુ થઈ. આ એક- એક ઋતુ છ- છ મહિના ની હોય. એટલે અત્યારનો સમય ઋતુસંધી- સંધ્યાનો એટલેકે સંક્રાંતિ નો સમય કહેવાય. અને હંમેશા રોગો , જીવાત અને શારીરિક- માનસિક નબળાઈ આ સંધીકાળમાં જ વિશેષ આવેછે.. તેથી આ સમય માં આપણે વિશેષ દક્ષ બનીને રહેવું જોઈએ.     કોઈએ સરસ કહ્યુંછે કે... “ સંક્રાંતિ નો કાળ ખરેખર ક્રાંતિ કેરો કાળ છે , ભક્તિ ની શક્તિ ધરસું આ વિશ્વ ઘણુંજ વિશાળ છે.... વંદે જગદગુરુમ... વંદે જગદગુરુમ ”.       અત્યારે શિયાળો , શિશિર ઋતુ ચાલેછે અને હવે ઉતરાયણ શરુ થશે. આજથી.. સૂર્ય પૃથ્વીથી ધીરે ધીરે નજીક આવશે , તેથી સૂર્યનારાયણ નું સ્વાગત કરવામાટે શાળા- મહાશાળાઓમાં ને સરકાર ને સંસ્થાઓ દ્વારા સમૂહમાં સૌ યુવાનો સૂર્યનમસ્કાર કરશે. એમ કહેવું હોયતો કહી શકાયકે.. જે સુર્યનમ...

ઝેર સમાન આમ દોષ

  તમે હાથ માં દડો લીધો અને ફેંક્યો તેથી દડા ને ગતિ મળી.   પરંતુ તે ગતિ ધીમી થવી એ સ્વભાવ છે , પ્રકૃતિ છે. દડા ને ગતિ આપવી તે પુરૂષાર્થ- પ્રયત્ન છે. જયારે માણસ નો પ્રયત્ન અટકી જાય ત્યારે......... આળસ , પ્રમાદ અને મૂર્ખતા.   આમદોષ દર્દ અને દર્દ માં વધારો આવવો એ સહજ છે , સ્વભાવ છે , પ્રકૃતિ છે.   કોઈપણ ખોરાક ખાવામાં આવે અને તેનું યોગ્ય પાચન થાય તો તેમાંથી ................ અન્ન માંથી અન્નરસ અને તેમાંથી ઉતરોતર ધાતુઓ..... રસ , લોહી , માંસ , ચરબી , અસ્થિ , મજ્જા અને   શુક્ર એમ સાતેય ધાતુઓનું નિર્માણ થાયછે. પરંતુ જયારે ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી એટલેકે અજીર્ણ- અપચો થાયછે ત્યારે અન્ન માંથી અન્ન્રરસ અને રસ આદિ   ધાતુઓ બનતી નથી કે ઓછી માત્રા માં બનેછે અને કાચો રસ બનેછે. જે કાચારસ ને આયુર્વેદ ની પરિભાષા માં આમદોષ કહેછે. એટલું જ નહિ આયુર્વેદ ના આચાર્યોએ તો આ આમદોષ ને ઝેર ની સંજ્ઞા આપીછે.   અહી એક સરસ મજાનો શ્લોક યાદ આવેછે કે .... અનાત્મવંત : પશુવત ભૂંજતે યો અપ્રમાણત: |   રોગનીકસ્ય તે મૂલમ અજીર્ણમ પ્રાપ્નુંવંતી : || એટલેકે જેને પોતાના ...