Posts

Showing posts from March, 2019

વન – વન માં ફાગુન ~ વનવાસી સમૃતિ

                  ઋતુઓ ની યૌવન એટલે વસંત અને જીવન ની વસંત એટલે યૌવન. ફાગણ માં વસંત ખીલી છે. ચારેકોર વસંત ની ફોરમ છે.   જ્યાં- જ્યાં નજર મારી ઠરે , યાદી ભરી ત્યાં આપની..... તેમ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર કેસુડો ને શીમળો. બન્ને ના દૂર થી એક જેવા જ દેખાતા ફૂલો થી લચી પડતા બંને વૃક્ષો જોઇને મન ઝૂમી ઉઠે. ત્યારે એક ગીત મન માં ગવાઈ જાયછે. નાચ ઉઠા , ઝૂમ ઉઠા , ખીલ ઉઠા હૈ મન.... ચારો ઔર દીખ રહા હૈ એક હી રંગ. .... આજ પ્રકૃતિ ને દિયા કિતના બડા ઉપહાર , ખીલ્યું માનવ જીવન ને ખીલ્યા કેસુડાં   હમણાં પૂજ્ય પાંડુરંગદાદાજી ના આશીર્વાદ થી વારંવાર અમીરગઢ તાલુકાના કેટલાક ગામ માં જવાનું થયું. પર્વતો માં વસેલા એ ગામ. કોઈપણ એક થી બીજા ઘરે જવું હોય તો... એક થી બીજા ભાંખરે જ જવું પડે. સર્વત્ર ગીરીમલ્લિકા એટલેકે કુટજ , શ્વેત કુટજ , પલાશ – ખાખરો - કેસુડો , શાલ્મલી- શીમળો જોવા મળે. જાણે આ બધાજ વૃક્ષો સૌંદર્ય ની હરીફાઈ લગાવતા હોય તેવા ખીલેલા ને પોતાના ફળ ને ફૂલો થી લચી પડેલા જોવા મળ્યા કે આ બધું જોઇને અમારુ...

સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ સંશોધન

જૂના જમાના ની તાજી કહેવત છે કે ......... “ ઓકી દાતણ જે કરે , નરણા હરડે ખાય. દૂધે વાળું જે કરે , તે ઘર દર્દ ના જાય.”                                                                 આ જ વિષય ને મહર્ષિ વાગ્ભટ્ટ શાસ્ત્રીય રીતે સમજાવે છે કે ,” शितोद्भावम शीतोद्भवं दोषचयम वसन्ते | विशोधयन ग्रीष्मजमभ्रकाले || હેમંતઋતુ ( શિયાળાની ઠંડી ) માં ચોંટી ગયેલા કફને વસંતઋતુ ( ફાગણ- ચૈત્ર ) ની શરૂઆતમાં શોધન કરીને વમનકર્મ એટલેકે વૈદ્યની પાસે વિધિવત રીતે ઉલટી કરાવવાનું કર્મ જેમાં પાંચ દિવસ સુધી કકડીને ભૂખ લગાડી , આમદોષ નું પાચન કરાવીને ઔષધયુક્ત ઘી પીવડાવી , ઘી ની એટલી માત્રા પીવડાવવામાં આવેછે કે ઘી સંપૂર્ણ શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચીને ઉભરાઈ આવે , જે માટે પાંચ થી સાત દિવસ ચડતા ક્રમે ...

સ્વાઇન ફ્લુ ના ઘરેલું ઔષધો

દર્દ કરતા પણ દર્દ નો ભય વધુ મોટો હોય છે. સર્પદંશ થી પણ જેને મૃત્યુ  ની સજા આપવાની છે તેવા કેદી ને અંધારી રાત્રે જયારે માત્ર સાપ નો ફુંફાળો સંભળાવી ને  ટાંકણી મારવા માં આવે ત્યારે તેનું મૃત્યુ થાય અને તેના લોહી માં સર્પ નું ઝેર આવે કારણ કે તે ઝેર તેના ભય થકી આવેલું હોય છે.      विष्णो: पद निर्भयम | આજે માણસ ભય થી જ જીવતો રહેલો છે. સુખ ના શોફા ઉપર બેસી ને પણ જેમ ઉંદર ભય થી જ મીઠાઈ ખાતો હોય છે તેમ આજે માણસ અનેક પ્રકાર ના ભય હેઠળ જ  જીવતો રહેલો છે. તમામ પ્રકાર  ના ભય ને દૂર કરવા માટે માત્ર ને માત્ર ઈશ્વર નું ચિંતન , મનન અને ધ્યાન જ મદદરૂપ થાય. આયુર્વેદ વનસ્પતિ ના ઔષધો પ્રભુ ના પ્રતિનિધિ છે તેમ સમજી ને તેનો ઉપયોગ થશે તો દર્દ મટશે , દર્દ નો ભય જશે , ભક્તિ થશે , ભાવ વધશે , આરોગ્ય સુધરશે અને દીર્ઘાયુ પ્રાપ્ત થશે. ૧. તુલસી – વિષ્ણુ પ્રિયા તુલસી સૌની જાણીતી છે , જ્યાં હોય તુલસી ત્યાં પ્રભુ નો વાસ હોય. તુલસી સ્વાદ માં તીખી છે , કડવી છે , હૃદય ને ગમે તેવી છે , ગુણ માં ગરમ છે , ભૂખ લગાડનાર છે , પિત કરનાર છે , બળતરા કરે છે. તમામ પ્રકાર ના ચામડી ના રો...