Posts

Showing posts from 2023

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)

 આયુર્વેદ નું અમૃત..... વૈદ્ય મહેશ અખાણી. 📄 ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)   👉🏻 એક પ્રશ્ન આજે મારે તમને પૂછવો છે. કહો જોઈએ. પંજાબમાં ભટીન્ડા જતી ટ્રેનનું નામ શું? કેન્સર ટ્રેન. 👉🏻 આપણા દેશમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન અને વપરાશ પંજાબમાં છે. ઘઉંને વાવવામાં ઉધઈની દવામાં પલાળીને વાવવામાં આવે, વાવ્યા પછી વિકાસ ઝડપી થાય તે માટે યુરીયા, ડીએપી અને ઘઉંમાં થતું નિંદામણ કાઢવા માટે પણ દવા છાંટવામાં આવે અને ઘઉં વાવતા પહેલા મગફળી કે તમાકુ વાવેલું હોય જેમાં પણ ભરપૂર દવાઓ નાખેલી તો હોય જ પછી કહો જોઈએ.... તે ઘઉં ખાનારને કેન્સર થાય કે નહિ? અને ઘઉં જ શા માટે? ખાવા યોગ્ય જે કાંઈ છે તે બધુંજ આજે આપણને પેસ્ટીસાઈડથી ભરપૂર મળે છે.  👉🏻 ત્યારે આ બધાનું સેવન કરવાથી કદાચ કેન્સર નહિ થાય તો પણ ધાતુઓનો ક્ષય, લોહીનો ઘટાડો, વાળ ખરવા, અકાળે વાળ સફેદ થવા, આંખોમાં ઝાંખપ આવવી, થોડું પણ કામ કરવામાં થાક લાગવો, યાદશક્તિ ઘટવી જેવી તકલીફોની વણઝાર થવાની કે નહિ... વિચાર કરો.. ઉપરાંતમાં ઘરથી, સમાજથી, ધર્મથી, સ્વાધ્યાયથી  દૂર રહેલો યુવાન વ્યસનના રવાડે ચડી જાય છે ત્યારે અકાળે ઘડપણ તે...

કાર્ડિયાક એરેસ્ટ – 4

આપણું હૃદય ચોવીસે કલાક કામ કરે છે, સતત કામ કરી રહેલ હૃદય પણ ચોવીસ કલાકમાં છ કલાક આરામ કરી લ્યે છે. “શ્રમમાં પણ વિશ્રામ” એ હૃદયની આપણને શિખામણ છે. આ શિખામણને આપણે અવગણીએ તો સ્વાભાવિક છે કે, હૃદય થાકી જાય અને હૃદય બંધ થઇ જાય જેને આપણે કાર્ડિયાક  એરેસ્ટ કહીએ છીએ.   ઊંઘની વ્યાખ્યા છે કે, જ્યારે મન પોતાના કામથી થાકી જાય છે ત્યારે તે તે કામથી પાછું વળે છે અને બધાજ વિષયોમાંથી મન બધીજ ઇન્દ્રિયોને સમેટી લ્યે છે ત્યારે આપણને ઊંઘ આવે છે. અહી જાણવા જોગ છે કે, મનનું સ્થાન હૃદય છે.    ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય એ જેમ યુવાનની વ્યાખ્યા છે તેવીરીતે તંદુરસ્ત મન હોવા માટે પણ આ જ ગુણો જરૂરી છે. સ્વાર્થ વિના જ્યારે કામ કરવાની ટેવ આપણને પડવા લાગે અને તે માટેનો ઉત્સાહ સતત વધતો રહે તો તે યુવાન છે અને તેમનું મન સ્વસ્થ બની રહે એટલેકે હ્રદય પણ સ્વસ્થ બને. મન બિમાર થાય એટલે બ્લડપ્રેસર પણ હાઈ થાય અને તેની સીધી અસર હૃદય ઉપર થાય સાથે હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં જ્યારે અવરોધ આવે એટલેકે કોલેસ્ટેરોલ વધી જાય ત્યારે અને  કિડની પોતાનું કામ ઓછું કરે કે બંધ કરે ત્યારે બી.પી વધી જાય છે. કિડનીની બ...