Posts

Showing posts from September, 2017

સોરાયસીસ (Psoriasis) - સમજણ થી સારવાર

कृष्णाति त्वकं अनेन इति कुष्ठः | ચામડી નો વર્ણ જેનાથી બગડે છે તેને કુષ્ઠ કહેછે. આયુર્વેદ માં કુષ્ઠ વિષે... મહાકુષ્ઠ, લઘુકુષ્ઠ, ક્ષુદ્રરોગો. જેવા મુખ્ય પ્રકાર પડ્યા છે. તમામ પ્રકાર ના ચામડી ના રોગો માં મટાડવા માં મુશ્કેલ મનાતો સોરાયસીસ રોગને અમે વૈદ્યો અનુભવ થી .. રોગ ની પ્રથમ અવસ્થા હોય તો કીટીભ નામ નો ક્ષુદ્રરોગ, તેથી વધીને બીજી સ્થીતિ માં એક કુષ્ઠ નામનો લુઘુ કુષ્ઠ અને ના મટી શકે તેવો ઘણો જ વધી ગયેલ હોય તેવી છેલ્લી સ્થિતિ ને મંડલ કુષ્ઠ નામનો મહાકુષ્ઠ રોગ કહેછે. આ સોરાયસીસ રોગ જેટલો શરીર છે તેટલો જ માનસિક પણ છે તેથી તેને મટાડવા ની યોગ્ય સમજણ આવે, તો તે સાવ સહેલો થઈ જાય છે.     શરીર ની સાત ધાતુઓ માં રોગ જેટલી વધુ ધાતુ બગાડે તેટલો તે મટાડવો મુશ્કેલ બને છે. સામાન્ય ખંજવાળ હોય તો રસ ધાતુ બગડી તેમ સમજવું. ચામડી નો રંગ બદલાય ને લાલાશ આવે એટલે રક્ત ધાતુ બગડી, ચામડી ઉપસી જાય, સંન્ય સોજા આવે, ભીંગડા વળે એટલે માંસ ધાતુ બગડી અને ચામડી ઉખાડે, સફેદ ફોતરી ઉખડે, લોહી કે પરુ નો સ્ત્રાવ પણ ક્યારેક દેખાય, ગોળ- ગોળ ચકામાં દેખાય અને તે ચકામાં એક બીજા સાથે ભળી જાય એટલે મેદ ધાતુ બગડી તેમ સમજવું....

મનોબળ વધારો, મનોરોગ ઘટાડો

પગ થી ચાલે તે પશુ .... અને માથા થી ચાલે તે માણસ. પરંતુ આજનો માનવી નથી પગ થી ચાલતો કે નથી માથા થી ચાલતો.  તે તો ચાલે છે માત્ર મોબાઈલ થી, કોમ્પ્યુટર થી, ગાડી થી કે ધક્કા થી ચાલે છે. મન થી કામ કરે તો મનોરંજન થાય, મન તેમાં ખુશ રહે. શરીર થી કામ કરે તો શ્રમ થાય પરંતુ બુદ્ધિ થી કામ કરે અને સાથે પવિત્ર ભાવના હોય તો તે કાર્ય જીવન ને ઉન્નત બનાવે. અન્યથા માનસિક રોગો- બી.પી, ટેન્સન, ગાંડપણ [ઉન્માદ] , ઓછી યાદશક્તિ અને તેથી થતો અપસ્માર નામનો રોગ જેમાં ખેંચ આવે, દાંત કળ પડે છે. ઊંઘ ઘટવી જેવા રોગો થાય છે.  તેથી દરેકે શરીર, મન ને બુદ્ધિ ને સાથે રાખી ને કામ કરવું જોઈએ. આજે જોવા મળતા માનસિક રોગો નું મુખ્ય કારણ છે....ભાગદોડ વાળું જીવન, શરીર –મન ને લાગતો અતિશય થાક અથવા અત્યંત આળસુ જીવન, ચિંતન ના બદલે ચિંતા યુક્ત જીવન, ખોરાક માં શુદ્ધ ગાય ના ઘી નો અભાવ અને જંક ફૂડ નું વધુ સેવન, ઉજાગરા, યોગ્ય વ્યાયામ નો અભાવ અને સર્વત્ર માત્ર ને માત્ર સ્વાર્થ યુક્ત નજર થી સંબંધ, વ્યવહાર ને વ્યવસાય.   લોકો શરીર ને કયું વિટામીન, પ્રોટીન ખૂટે છે તેના દર મહીને રીપોર્ટ કરાવે છે પરંતુ મગજ માં શું ખૂટે છે તે...

શક્તિ મેળવો.... ક્ષય ભગાવો, સ્વસ્થ રહો.

તપસ્વી, કર્તૃત્વવાન, સૌને સુખ, શાંતિ ને સમાધાન આપવા માટે સતત પ્રયત્નશીલ એવા ચંદ્ર રાજા નું બહુમાન સ્વરૂપે લોકોએ આકાશ ના ચંદ્ર સાથે સરખાવી ને તેને અમર બનાવી દીધો. આવા ચંદ્ર રાજા ને ક્ષય લાગુ થયો ત્યારે તેને શક્તિ આપવા સૌરાષ્ટ્રે સોમ[ચંદ્ર]નાથ – મહાદેવ પ્રગટ થયા પુષ્ણામિ: ચૌશધી: સર્વાં, સોમો ભૂત્વા રસાત્મક:|| ગીતા|| પ્રત્યેક વનસ્પતી - ઔષધી માં રસ ચંદ્ર પૂરો પાડે છે. તેથી જયારે શરીર નબળું પડે, અશક્તિ જણાય એટલેકે ધાતુઓ નો ક્ષય જણાય ત્યારે પાચક શક્તિ ને ધ્યાન માં રાખી યોગ્ય આહાર, આયુર્વેદ ની વનસ્પતિ ના ઔષધો નો ઉપયોગ કરવો. શરીર ની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર ધાતુ. આ સાતેય ધાતુ માંથી કોઈ એક ધાતુ કે પછી બધી જ ધાતુ નો ક્ષય થવાથી પણ ટીબી કે ક્ષય રોગ ની ઉત્પતિ થતી હોય છે. ક્ષય યુક્ત ધાતુ ના જોવા મળતા લક્ષણો રસ ધાતુ – શરીર માં રુક્ષતા, થાક લાગી જવો, ગળા માં શોષ પડવો, ગ્લાની તથા કોઈની પણ જોડે વાતચીત કરવી ન ગમે. રક્ત ધાતુ – ખાટા પદાર્થો કે ઠંડા પદાર્થો ના સેવન કરવાની ઈચ્છા વધુ થાય. આ ઉપરાંત શરીર ની શિરાઓ માં શિથીલતા થઇ જાય અને શરીર માં રુક્ષતા ની પ્રતીતિ થા...