Posts

Showing posts from March, 2018

“સાંધા નો દુઃખાવો” મટી શકેછે.

આ માન્યતા ખોટી છે કે....  સાંધા નો દુઃખાવો કાયમી મટતો નથી. એ ચોક્કસ છે કે વૃદ્ધાવસ્થા માં સહજ રીતે વાયુ નો પ્રકોપ થાય તેથી ધડપણ માં “વા “ ના રોગો મટાડવા મુશ્કેલ છે. તથા આજની ખાણી- પીણી  ને રહેણી- કરણી એવી છે કે , બાલ્યાવસ્થા , કિશોરાવસ્થા થી જ આમદોષ , સ્થૂળતા , હાઈ કોલેસ્ટેરોલ ને હૃદયરોગો , મધુમેહ જ્યાં જોવા મળેછે ત્યાં સાંધાનો દુઃખાવો ઝડપ થી મટાડવો મુશ્કેલ બનેછે. હાડકા માં ને સાંધા માં વાયુ નું સ્થાન છે , વાયુ આખા શરીર માં ફરતો રહેલો છે , અને ફરવું તે વાયુ નું કર્મ છે.  “વા ગતિ ગંધનયો: વાયુ:” . પરંતુ જયારે વાયુ ની ફરવા ની ગતિ માં અવરોધ આવે , સાંધાઓ માં આમદોષ , કાચોરસ જમા થઇ જાય ત્યારે વાયુ ની ફરવાની ગતિ રોકાઈ  જાયછે અને સાંધા માં સોજા ને દુઃખાવો થાયછે.   “ ન વાતેન  વિના શૂલમ”.  વાયુ વિના દુઃખાવો થાય નહિ. આજે જેમ મોટા ભાગના છાતી ની બળતરા ને એસીડીટી ની ફરિયાદ સાથે આવતા દર્દીઓ ને ખરેખર એસીડીટી નહિ પરંતુ અપચો હોયછે. તેવા દર્દી ને આદુ , હરડે , સુંઠ , મરી આપવાથી એસીડીટી મટી જાયછે .. તેવી જ રીતે  સાંધા નો દુઃખાવો એટલે સંધિવાત ને  “વ...

એપેન્ડીક્ષ નો સોજો (Appendicitis) ? આયુર્વેદ છે ને.

ભગવાન ની જાણે ભૂલ થઇ હોય તેમ ..... જરૂર નથી , કઢાવી નાંખો. સહેજ અમથો પેટ માં જમણી બાજુ દુઃખાવો થાય અને સોનોગ્રાફી માં આવે કે અપેન્ડીક્ષ છે , હવે બાળકો ની જરૂર નથી ને બ્લીડીંગ થાય તો તે બહેન બિચારી ને સૌ કહે કે કોથળી કઢાવી નાંખો......                  ભગવાન ની ભૂલ !!! તો ત્યાં થઇ છે કે બબ્બે નાક , કાન , આંખ , હાથ , પગ , કીડની આપી છે. બધું જ EXTRA. તો ય માણસ એકે ય કઢાવતો નથી.!! અને સ્વાર્થ પૂરો થયો કે કોથળી કઢાવે , ને દવા થી ના મટાડી શકે એટલે એપેન્ડીક્સ કઢાવે.                  અરે! ભાઈ ,.... આયુર્વેદ છે ને. નિષ્ણાત વૈદ્ય ને પૂછો ને , આયુર્વેદ થી અપેન્ડીક્ષ નો સોજો હોય કે બ્લીડીંગ હોય , નાક ના મશા હોય કે ગુદા ના મશા હોય , વાઢીયા હોય , કાન માં થી રસી આવતી હોય કે કાણું હોય , કીડની ફેઇલ્યોર થઇ ને કીડની બદલવા નો કે કઢાવવાનો વિચાર કરતા હો ત્યાં .    ... આયુર્વેદ ને પૂછો ને ભાઈ , આયુર્વેદ પાસે ઉપાય છે. તમને ઓપરેસન નહિ થવા દ્ય...

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

સ્વચ્છતા ની જેટલી જરૂર ઘરમાં છે , કપડા માં છે , હાથ - પગ - નાક - કાન - દાંત- ને માથા માટે છે તેથીય અધિક જરૂર............ મળ માર્ગ , મૂત્ર માર્ગ માટે છે.   ગુદા ના સ્થાને સ્વચ્છતા ના અભાવે , કબજિયાત ના કરને , કડક સ્થાને વધુ બેસી રહવાને કારણે , પાચન બગડવાથી , દારૂ- બીડી- તમાકુ- સોપારી- ગુટખા ના સેવનથી , ઘી , દૂધ , છાસ નું સેવન યોગ્ય પ્રમાણ માં નહિ કરવાથી        ગુદા ના ભાગે વાઢીયા- ચીરા થાય છે. પરંતુ આ બધામાં મુખ્ય કારણ છે સ્વચ્છતા નો અભાવ. ગુદા ના ચીરા થયા પછી પણ યોગ્ય કાળજી , સ્વચ્છતા , જીવાણું રહિતતા નહિ   કરવા થી મહા ભયંકર તેવો ભગંદર રોગ થાય છે.   ગુદા ના સ્થાન ને હિન્દી માં મૂળ સ્થાન કહેવાય છે. કારણ કે ત્યાં અપાન વાયુ અને આખા શરીર માં ફરતા રહેલા વાયુ નું સ્થાન છે અને તેથી ત્યાં થતા નાનકડા રોગ માં પણ થતી પીડા અતિ અધિક હોયછે. અને આ પીડા ને મટાડવા તાત્કાલિક ઓપરેશન કરાવવા કોઈપણ તૈયાર થઈ જાય તે સ્વાભાવિક છે. પરંતુ થોડીક કાળજી રાખવામાં આવેતો આ મૂળ સ્થાન ના રોગો......     વાઢીયા ,   મસા , લોહી પડવું , દુઃખાવો , બળતરા , ખ...

હવે, ... હું... “જાડીઓ” નથી.

મયંક બાર વર્ષ નો બાળ , પરંતુ તેની મુશ્કેલીઓ અપરમ્પાર.મમ્મી સિવાય ના સૌ કોઈ તેને ચીડવે , તેનું ખાવું , ઊંઘવું , તેનો દિવસ નો આરામ બધું જ સૌ કરતા વધુ. તેમાય તેની આળસ તો તેના નાક ઉપર બેઠેલી માંખી પણ ના ઉડાડે તેવી.... પછી વજન ના વધે તો જ આશ્ચર્ય કહેવાય ?   વજન વધે જ વધે. મયંક ને વાર્તાઓ વાંચવા નો ખુબજ શોખ. તેમાંય ભીમ ને હનુમાન ની વાર્તા માં તેને ઘણી જ મજા આવે. તેણે ગદાધારી ભીમ ની વાર્તા  ની ચોપડી તો ત્રણ વખત વાંચી દીધેલી. એક વખત તેને વિચાર આવ્યો કે ભીમ નું શરીર તો મારા જેવું જ હશે ને !! તો પછી મારા માં ભીમ જેવી તાકાત કેમ નથી ? ભીમ ને ઝેર ખવડાવ્યું હોય તો ય તે કસરત કરીને પરસેવા થી બહાર કાઢે.. તો હું તેવું કેમ ના કરી શકું ? બાળકો ને બાળકો ગમે , બાળકો ને વાર્તા ગમે અને  બાળકો ને રમત ગમે. રમતાં રમતાં જીવન ના પાઠ ક્યારે શીખાઈ જય તે ખબર પણ ના પડે તેવું શિક્ષણ હોવું જોઈએ... જે ... સ્વાધ્યાય ના બાલ સંસ્કાર કેન્દ્ર માં જોવા મળે છે. ઘણી વખત જે કામ દવા , સૂચના , શિખામણ પણ કામ ના કરે તે વાર્તા ને રમત દ્વારા શીખાઈ જાય. તેને જ અંત: પ્રેરણા કે સંસ્કાર કે અજ્ઞાત મન માં પડેલી છ...