Posts

Showing posts from August, 2018

વર્ષા માં વાયુ

  મહર્ષિ ચરક ને વાયુ માં પ્રભુ દેખાયો. જેમ પ્રભુ સમગ્ર સૃષ્ટિ નું ધારણ , પોષણ અને વિસર્જન કરેછે તેવી જ રીતે વાયુ પણ તેવું જ કામ કરતો હોવાથી   વાયુ: પ્રભુ: | વિશેષ માં ઋષિ કહેછે કે......   પિત: પંગુ , કફ: પંગુ , પંગવો મલધાતવ: | વાયુનામ યત્ર નિયન્તે તત્ર ગચ્છન્તિ મેઘવત ||   આપણા    શરીર માં રહેલા બધાજ વાયુ સિવાય ના દોષ- પિત્ત અને કફ બંને પાંગળા છે , સાતેય સાત ધાતુઓ પાંગળી છે , મળ-મૂત્ર ને પરસેવો એ ત્રણેય મળ પણ પાંગળા છે. બળવાન છે એકમાત્ર- વાયુ. અને આખા વર્ષ માં સૌથી વધુ વાયુ નો પ્રકોપ વર્ષાઋતુ માં થાયછે અને પાચન ની નબળાઈ   પણ આ જ ઋતુ માં વિશેષ થાયછે જેમાં થી બધા જ રોગો ઉત્પન્ન થાયછે. रोगाः सर्वे अपि मन्देग्नौ || તેથી સાજા માણસે સાજા રહેવા માટે અને બિમાર ની બિમારી વધે નહિ તે માટે જ આ ઋતુ માં ઋષિ એ ઉપવાસ , લંઘન અને સંયમ નું વિશેષ મહત્વ સમજાવવા માટે ચાતુર્માસ , ભગવાન ના સુઈ જવાની કલ્પના અને પર્યુષણ દ્વારા જીવન જીવવાની કળા શીખવેછે.   પ્રાણ , અપાન , વ્યાન , સમાન , ઉદાન એ વાયુ ના પાંચ પ્રકાર છે. જે નામો ને આપણે પૂજા ના વિધિ- વિધાન માં બોલીએ ...

વિટામીન...B 12.. ની ખામી અને તેના ઉપચાર

વિટામીન એટલે જીવનીય તત્વ. જેનું કામ છે પાચન માં ને શરીર ના વિકાસ ને ઉપયોગી અંતઃસ્ત્રાવ ને ઉત્પન્ન કરવામાં મદદ કરવાનુ. વિટામીન B12 એ શરીર ના Nervous System ઉપર અસરકર્તા પરિબળ છે.   B12 જો ઘટે છે તો તેનાથી નર્વસ સિસ્ટમ નું કાર્ય ખોરવાય છે.   કારણ વિના થાક લાગવો , શરીર દુઃખવું , ભૂખ ઓછી થઈ જવી , શરીર માં હાડ નો તાવ- જીર્ણજ્વર રહેવો , આંખ ની દ્રષ્ટિ નબળી પડવી , ચિંતા સતત રહ્યા કરે , માનસિક થાક લાગે , ઉત્સાહ- સ્ફૂર્તિ નો અભાવ. આવા બધા લક્ષણો જોવા મળે એટલે તબીબ ને દર્દી બધા જ એક મતે આવી જાય કે , આ ભાઈ કે બહેન ને B12 ની ખામી છે , અને પછી ચક્કર ચાલુ થઈ જાય તેના ઈન્જેકશન કે ટીકડી નો વારંવાર નો કોર્ષ કરવાનો... પરંતુ આથી દર્દ દૂર થતું નથી પણ થોડા સમય માટે સારું લાગે... ખરેખર આ B12 ઘટવાનું કારણ શું છે ? તેનો વિચાર થવો જોઈએ. માંસાહારને પ્રકૃતિદત પાણી માં આ વિટામીન હોયછે. જે શાકાહારી ને મિનરલ પાણી પીવાથી આની ખામી ઉત્પન્ન થાયછે. આ કારણો   સાચા છે તે ચોક્કસ પરંતુ આયુર્વેદ કહેછે કે છ રસ યુક્ત ખોરાક તે સંપૂર્ણ ખોરાક છે , તથા તે તે ખોરાક- પાણી નું પાચન કરે તેવો અગ્નિ- ભૂખ પ્...

ક્ષય ભગાવે સિતોપલાદિ

આયુર્વેદ ના ઔષધો ની મસ્તી જ કૈક અનેરી છે. જેમકે....અરડુષી માટે રાજનિઘંટુ માં લખ્યું છે કે... વાસાયામ વિદ્યમાનાય , આશાયામ જીવિતસ્ય ચ | રક્તપિત ક્ષયી કાસી , કિમર્થમવસીદતી ||   આપણા ઋષિ કેટલા વિશ્વાસ થી કહેછે કે... જ્યાં સુધી અરડુષી તમારી પાસે હોય ત્યાં સુધી લોહી પડતું હોય તેમણે , ક્ષય કે ઉધરસ હોય તેમણે ગભરાવાની જરૂર નથી.   આવો જ મિજાજ.... ડોડી , ગળો , આમળા , હરડે , બ્રાહ્મી , કુંવારપાઠું , લીમડો... એમ બધાજ ઔષધો નો છે. ... આવા જ કેટલાક ઔષધો ના મિશ્રણ પણ છે... તેમાંનું એક એટલે.. સિતોપલાદી ચૂર્ણ છે.   જે ક્ષય નો પણ ક્ષય કરનાર છે. જેમાં સાકર અડધો- અડધ આવેછે , ઉપરાંત માં ક્રમ થી અડધા- અડધા ભાગ માં ... વંશલોચન , લીંડીપીપર , એલાયચી ને તજ આવેછે.   સાવ સામાન્ય જણાતું , ઘરે જાતે જ બનાવી શકાય તેવું , બજાર માં સર્વત્ર સરળતાથી મળતું તેવું આ ઔષધ છે. જેનો સામાન્ય રીતે લોકો ખાંસી માટે જ ઉપયોગ કરેછે અને તેનાથી ખાંસી ના મટે ત્યારે જાણે સંપૂર્ણ આયુર્વેદ વિશ્વ ને બદનામ કરતા હોય તેમ કહે , અમે , દેશી દવા પણ કરી તો પણ અમારું દર્દ ના મટ્યું !!.. તેથી આ ને આવા લેખ વાંચી ને જાતે દવા ...