Posts

Showing posts from December, 2018

ઠંડી આવી... શું શું લાવી ?

" ઠંડી આવી... ઠંડી આવી...   તંદુરસ્તી નો સંદેશ લાવી... ઉત્સાહ ને ઉમંગ લાવી... ઘર- ઘર માં તેજ લાવી... ઠંડી આવી... ઠંડી આવી..." " યુવાની ને સ્ફૂર્તિ આપે...   આળસુ ને ઊંઘ આપે...    બાળક ને બળ આપે...   વૃદ્ધો ને વ્યથા આપે...       ઠંડી આવી... ઠંડી આવી..." " દક્ષ ને સચેત બનો... વહેલા ઉઠી વીર બનો... માલીશ કરી દેહ ચમકાવો... વ્યાયામ કરી બળવાન બનો... ઠંડી આવી... ઠંડી આવી..." " ઘી , દૂધ ને બદામ ખાઓ... મગ , ચણા ને ખજૂર ખાઓ...   તલ , અડદ ને ગોળ ખાઓ... તાજી તાજી ભાજી ખાઓ... ઠંડી આવી... ઠંડી આવી..." " સંયમ નું જીવન અપનાવો...    સ્વાધ્યાય કરી સાધક બનો...    તેજસ્વી બનો... ધ્યાન કરી ધ્યેય ઉઠાવો... ઠંડી આવી..... ઠંડી આવી." " ક્ષણ- ક્ષણ કિમતી સમજી લ્યો... આરોગ્ય ઉત્તમ ધન સમજી લ્યો... મળ્યા છે અનેરા દિવસો... ફરી જલ્દી નહિ આવે આ દિવસો... ઠંડી આવી... ઠંડી આવી..."                    ...

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

આ શરીર માં પ્રભુ નો વસવાટ છે. શરીર એ ભગવાન નું મંદિર છે. જેમ મંદિર સ્વચ્છ અને સુઘડ હોય , તેવી રીતે ....... શરીર ને પણ મંદિર સમજીએ તો મોટા ભાગના દર્દ થાય જ નહિ. અરે! તો પછી દારૂ , બીડી પીવાય નહિ ને ભૂખ વિના ખવાય નહિ ને સમજ્યા વિનાનો કચરો પેટ માં પધરાવાય નહિ. આટલી સમજણ માત્ર થી જ શારીરિક કે માનસિક કોઈપણ પ્રકારના રોગો થાય જ નહિ.   ગુદાના વાઢીયા : સ્વચ્છતા ના અભાવે , કબજિયાત ના કારણે , કડક સ્થાન માં વધુ બેસવાથી , પાચન બગડવાથી , દારૂ , બીડી , તમાકુ-ગુટખા ના સેવનથી , દૂધ- ઘી- છાસ નું સેવન યોગ્ય પ્રમાણ માં નહિ કરવાથી ગુદાના સ્થાને વાઢીયા- ચીરા પડેછે. આ બધામાં મુખ્ય કારણ છે ➖ સ્વચ્છતા નો અભાવ . ગુદાના ભાગે ચીરા થયા પછી પણ જો યોગ્ય કાળજી લેવાય નહિ , ચોખ્ખાઈ ના હોય , જીવાણુંરહિતતા ના હોય તો મહાભયંકર એવો ભગંદર રોગ થાયછે.   શ્રીમદ્ભગવતગીતા માં... ઉર્ધ્વમૂલમ અધ:શાખમ || કહ્યું છે. એટલેકે માણસ માથાથી ચાલેછે. વિચારીને ડગલું ભરે છે. પરંતુ શારીરિક આરોગ્ય ની દ્રષ્ટીએ હિંદી ભાષામાં ગુદાના ભાગને મૂળસ્થાન કહેછે. કારણકે ત્યાં અપાનવાયુ અને સંપૂર્ણ શરીરમાં ફરતા રહેલા તમામ વ...

વ્યાયામ: પથ્ય ભુજામ નરાણામ|

  “ માયકાંગલા માનવી ને ગીતા વાંચવાનો અધિકાર નથી.” આવું જયારે સ્વામી વિવેકાનંદ કહે ત્યારે કોઈને વિવેકાનંદજી ઉપર ગુસ્સો નહિ આવે પરંતુ પોતાના આળસુ મન ઉપર ચોક્કસ ગુસ્સો આવશે. એક ગામમાં શિયાળાની સવારે એક નરેશ નામના સુકલકડી ને હાડપિંજર જેવા યુવાનને ખુલ્લા શરીરે બેઠેલો જોઈને , તેના શરીર પર પ્રેમ થી હાથ ફેરવ્યો ત્યારે તે શરમાઈ ગયો કે પોતાના ઉપર ગુસ્સો પણ આવ્યો હશે , છ મહિના પછી ફરી ત્યાં જ   તે યુવાનને જોયો ત્યારે આશ્ચર્ય થયું કે તે યુવાન માં મજબૂત , લશ્કરના સૈનિક જેવું તેનું શરીર જોયું. તેણે દરરોજના ૧૫ કી.મી દોડવાનું ને ૧૫૦ દંડ કરવાનું શરુ કરી દીધેલું.     અંગ્રેજોએ આપેલી કાલાપાની ની સજા ને યાતનાઓ તથા આઝાદી પછી ખોટા આરોપોમાં ફસાવીને આપેલી સજા છતાં તેજસ્વીતાથી ૯૦ વર્ષ સુધી યુવાનો ને ભારતીય સંસ્કૃતિ ની પ્રેરણા આપનાર વીર સાવરકર ની તંદુરસ્તી નું રહસ્ય બાળપણ ને યુવાની માં અખાડાની કસરત ને પણ આભારી છે. વિશ્વભરમાં   વૈદિક વિચારોની આહલેક જગાડીને લાખો- કરોડો યુવાનોને   દૈવી જીવન થી દોડતા કરનાર પૂજ્ય પાંડુરંગદાદા ની તંદુરસ્તી નું રહસ્ય સૂર્ય નમસ્કાર માં રહેલુ છે. ...

આરોગ્ય આટલું સસ્તું નહી મળે... આમળાં ખાઈ લ્યો.

ફાગણ મહિના ની અજવાળી એકાદશી ને આપણે “આમલકી એકાદશી” કહીએ છીએ. મહર્ષિ ચરક પણ શિયાળો પૂરો થાય ત્યારે જ  એટલેકે ફાગણ મહિનામાં જ આમળાંની શ્રેષ્ઠ ઔષધી ચ્યવનપ્રાશ બનાવવાનું સૂચન કરેછે. પરંતુ અત્યારે ભરપૂર આમળાં  બજારમાં મળેછે ત્યારે... દરરોજ આમળાંનો ઉપયોગ શરુ કરીદ્યો .... આરોગ્ય આટલું સસ્તું નહી મળે. આપણામાં એક કહેવત છે કે  ત્રણ જામફળ = એક સફરજન અને  ત્રણ સફરજન = એક આમળું.   વૃદ્ધ માંથી જુવાન બનાવનાર આમળું એ નાના- મોટા , પુરુષ- સ્ત્રી , બીમાર- સાજા સૌ કોઈ માટે એક સરખું ઉપયોગી હોવા છતાં બીમાર માણસે નજીકના વૈદ્ય નું જરૂરથી માર્ગદર્શન લેવું જોઈએ. આમળાં સ્વભાવે ખટાશ વાળા હોવા છતાં તેમાં નમક સિવાયના પાંચેય રસ છે. હરડે અને લસણમાં પણ પાંચ રસ હોવાથી આ ત્રણ દિવ્ય ઔષધીને સંપૂર્ણ ઔષધી કે આહારનું બિરૂદ આપી શકાય કારણકે સમગ્ર પૃથ્વી ઉપર આ ત્રણ સિવાય એક પણ શાકાહારી દ્રવ્ય નથી કે જેમાં પાંચ રસ પૂરતા પ્રમાણમાં હોય. તેમાં હરડે નો મુખ્ય રસ તૂરો હોવાથી ને સગર્ભા , કૃશ , ઝાડા થતા હોય તેના માટે તે યોગ્ય નથી. તથા લસણ ધાર્મિક નિયમો માં ક્યાંક બાધ્ય છે અને તે ઘણું ગરમ પણ છે જયારે આમળાં...