Posts

Showing posts from February, 2019

કબજીયાત ની કઠણાઈ

  આયુર્વેદ યુનિવર્સીટી ના ભૂતપૂર્વ ઉપકુલપતિ રાજવૈદ્ય રસિકભાઈ પરીખ ઘણીવાર કહેતા કે , “ હું બુદ્ધિશાળી તેને જ કહું કે જેને સવારે ઉઠતાંની સાથે જ જેમ કાચની સપાટી પરથી તેલ સરી જાય   તેમ તેને મળ સરી જાય.” સંત વિનોબાજી કહેતા કે , સવારે ઉઠતાં ની સાથે જ મળ નું દર્શન કરવું જોઈએ. મળ તરે તો તંદુરસ્તી ને ડુબે તો બીમારી. આયુર્વેદ માં પણ અષ્ટાંગ હૃદય માં લખ્યું છે કે , પ્રત્યેક વ્યક્તિએ સવારે ઉઠતાં ની સાથે જ વિચાર કરવો જોઈએ કે મને આગળ ના દિવસ નું ખાધેલું પચ્યું છે કે નહિ ?. જો યોગ્ય રીતે આગલા દિવસ નું પચ્યું નથી તો સવારે કશું જ નહિ ખાતા ને સુંઠ થી ઉકાળેલું પાણી પીવાથી ખોરાક નું યોગ્ય પાચન થશે. જૈન સિદ્ધાંત પ્રમાણે રાત્રી ભોજન નહિ કરવાનું કારણ આ જ છે કે જેથી ખોરાક નું યોગ્ય પાચન થાય. બધાજ રોગો થવાનું મૂળ છે ભૂખ- પાચન ની નબળાઈ. જેમને ભૂખ સારી રીતે લાગતી હોય , યોગ્ય સમયે તેનું પાચન બરાબર થતું હોય , છ એ રસ યુક્ત ખોરાક યોગ્ય રીતે લેવાતો હોય , ખોરાક ના જેટલું   જ પાણી , છાસ કે દાળ પીવાતી હોય , દિવસ દરમિયાન પણ જરૂરીયાત પ્રમાણે પાણી વારંવાર પીવાતું હોય , શરીર ના બધાજ અંગો ને માટેનો વ્યાયા...

ચામડીના રોગો હઠીલા શા માટે ?

  તુલસીકૃત રામાયણમાં લખ્યુંછે કે , “ ભય વાત , ક્રોધ પિત્ત , કફ લોભ અપારા....” ભય થી વાયુ વધે , ક્રોધ થી પિત્ત વધે , લોભ થી કફ વધે છે. બીજા બધા માનસિક દોષો દૂર કરવા સહેલા છે પરંતુ લોભી માણસ માં થી લોભ નામનો અવગુણ કાઢવો અતિશય અધરો છે. અહી , સંત તુલસીદાસજીનો કહેવાનો મતલબ કફ પ્રકૃતિ નો માણસ લોભી હોય તેવો નથી પરંતુ લોભ એ કફ જેવો જલ્દી થી ના જાય તેવો છે. કફ એ ચોંટી જનાર ચીકણો છે. વાયુ અને પિત્ત ની સારવાર સહેલી છે પરંતુ કફ ની સારવાર અતિશય અઘરી છે કારણકે કફ એ ઠંડો , ભારે , ચીકણો ને   દુર્ગંધી છે. કફ પ્રાકૃત હોય તો તે બળ આપેછે. પરંતુ તે જયારે વિકૃત થાયછે ત્યારે શરદી , ખાંસી , શ્વાસ , ખોડો , ખંજવાળ , સફેદ દાગ , તમામ ચામડીના રોગો , શરીર ની અંદર ને બહાર સોજા , સાંધા ના સોજા , પાક , પરુ , મળ માં ચિકાશ , આંખ- કાન- દાંત ના રોગો , કાકડા , કેન્સર જેવા બધાજ રોગોમાં કફ જ મુખ્ય કારણભૂત છે. ચામડીના જ નહિ આ તમામ કફ ના રોગો લોભની જેમ હઠીલા છે.   આપણે સામાન્ય રીતે નાક કે મોઢા માં થી કફ- ચિકાશ આવેછે તેને જ કફ કહીએ છીએ. જયારે આયુર્વેદમાં છાતી નું બળ- અવલંબક કફ , સાંધાઓ નું ઉંજણ- શ્લેષક કફ...

મહાન ઔષધ --- સૂંઠ + હરડે

ખૂબજ સમજી વિચારીને એક- એક અક્ષરનો ઉપયોગ કરનારા ઋષિઓએ સૂંઠ ને મહૌષધ- મહાન ઔષધ , વિશ્વભેષજ- દુનિયાના તમામ દર્દોની દવા જેવા શબ્દો આપ્યા છે. જે ભૂખ લગાડે , ખાધુપચાવે , આમદોષ નું પાચન કરે , શરદી , ખાંસી , તાવ , ઝાડા , મરડો , અપચો , ચિકાશ જેવા દર્દો મટાડે છતાં ગરમ ના પડે , સૌને ગમે , સૌને પરવડે , ઘર-ઘર માં વપરાય , વૈદ્ય ના દવાખાનામાં ય વપરાય , મશ્કરીમાં ય બોલાય કે સૂંઠ ના ગાંગડે વૈદ્ય ના થવાય છતાંય મહાન ઔષધ નું બિરૂદ મળે.... તે સૂંઠ કેટલી મહાન છે તેની જરા કલ્પના તો કરી જુઓ !!!   હરડે પણ આવું જ ઔષધ છે. જેની માતા ઘરે ના તેની માતા હરડે કહેવાય. ➖ હરિના સ્થાન માં જેની ઉત્પતિ છે તે હરડે. જે બધા દર્દો નું હરણ કરેછે- દૂર કરેછે તે હરડે. હરડે ઝાડા કરનાર છે તે માન્યતા ખોટી છે. હરડે પાચન કરનાર છે. અપચાના કારણે જો ઝાડા થયા હોય તો તેમાય હરડે આપી શકાય. હરડે વાયુ નું અનુલોમન કરનાર છે- વાયુ ની અવળી ગતિ- ઉપર તરફ ની ગતિ ને સુધારી સવળી ગતિ કરનાર- વાયુને નીચે ઉતારનાર છે. આજના ખરેખર જોવા મળતા હાર્ટ એટેક ના રોગોના ઘણા કારણો માં – કૃમિ , વાયુની અવળી ગતિ , અપચો , હાર્ટ બ્લોકેજ , આમદોષ- જેને આજે ખરાબ ક...