Posts

Showing posts from September, 2019

પિત્તવાત જવર- ડેન્ગ્યું નો હાહાકાર Dengue fever in Ayurveda

ડેન્ગ્યું નામ સાંભળતા જ પગ ભાગી જાય , મન મરી જાય , ભૂખ ઘટી જાય ને   ઢીલો ને વીલો માણસ થઈ જાય તેવો ભય આજે જનમાનસ માં ફેલાયેલો છે . તાવ આવે , લોહી નો રીપોર્ટ કરાવે ને તેમાં પ્લેટલેટ ને સફેદ કણ ઘટે એટલે દર્દી ને તેના સગા અડધા થઈ જાય . શરદઋતુ માં સહજ   પિત્ત નો પ્રકોપ સર્વત્ર થાય જ અને પિત્ત વિના તાવ આવે નહિ . તાવ એ રોગો નો રાજા અને રોગ નો પર્યાય શબ્દ છે . અન્ય ઋતુ માં જ્યારે તાવ આવેછે ત્યારે તેમાં માત્ર પિત્ત નો અનુબંધ હોયછે અને તે - તે ઋતુ કે અન્ય કારણ જન્ય દોષ મુખ્ય હોયછે જ્યારે શરદ માં તો પિત્ત જ મુખ્ય દોષ હોય છે . પિત્ત ગરમ છે અને સામાન્યત : તાવ માં અપાતી અંગેજી દવાઓ પણ ગરમ છે , તેથી ગરમી નું બળ , ધાતુક્ષય ને વર્ષાઋતુ થી સફેદ કણ ને પ્લે ટલેટ તૂટેછે ને ડેન્ગ્યું નું નામ આપણે આપીએ છીએ . હકીકતમાં તો હાથના કર્યા હૈયે વાગેછે . તાવ , માથા નો દુઃખાવો , શરીર ની તોડાવડ , અશક્તિ , ચક્કર , બળતરા , ક્યારેક લોહી પડવું , બી . પી વધવું ......

પિત્તવાત જવર- ડેન્ગ્યું નો હાહાકાર

ડેન્ગ્યું નામ સાંભળતા જ પગ ભાગી જાય , મન મરી જાય , ભૂખ ઘટી જાય ને   ઢીલો ને વીલો માણસ થઈ જાય તેવો ભય આજે જનમાનસ માં ફેલાયેલો છે. તાવ આવે , લોહી નો રીપોર્ટ કરાવે ને તેમાં પ્લેટલેટ ને સફેદ કણ ઘટે એટલે દર્દી ને તેના સગા અડધા થઈ જાય.   શરદઋતુ માં સહજ   પિત્ત નો પ્રકોપ સર્વત્ર થાય જ અને પિત્ત વિના તાવ આવે નહિ. તાવ એ રોગો નો રાજા અને રોગ નો પર્યાય શબ્દ છે. અન્ય ઋતુ માં જ્યારે તાવ આવેછે ત્યારે તેમાં માત્ર પિત્ત નો અનુબંધ હોયછે અને તે- તે ઋતુ કે અન્ય કારણ જન્ય દોષ મુખ્ય હોયછે જ્યારે શરદ માં તો પિત્ત જ મુખ્ય દોષ હોય છે.   પિત્ત ગરમ છે અને સામાન્યત: તાવ માં અપાતી અંગેજી દવાઓ પણ ગરમ છે , તેથી ગરમી નું બળ , ધાતુક્ષય ને વર્ષાઋતુ થી સફેદ કણ ને પ્લેટલેટ તૂટેછે ને ડેન્ગ્યું નું નામ આપણે આપીએ છીએ. હકીકતમાં તો હાથના કર્યા હૈયે વાગેછે.   તાવ , માથા નો દુઃખાવો , શરીર ની તોડાવડ , અશક્તિ , ચક્કર , બળતરા , ક્યારેક લોહી પડવું , બી.પી વધવું... જેવા લક્ષણો જોવાં મળે એટલે રીપોર્ટ કરાવીએ ને ચિંતા શરુ થાય. રીપોર્ટ ને લક્ષણો થી ગભરાવાની બિલકુલ જરૂર નહિ.   આયુર્વેદ નો ...

અસ્થિ સાર એટલે ગ્રોથ હોર્મોન

·          માતા પિતા ની પોતાના બાળક માટેની કેટલીક ચિંતાઓ સામાન્ય છે કે , બાળક ખોરાક બરાબર ખાતો નથી , શાક ખાતો નથી , ખોરાક પચતો નથી , શરીર વળતું નથી , વજન વધતું નથી , વારંવાર બીમાર થઈ જાયછે , ઊંચાઈ ઓછી છે . ·          મોટાભાગ ના લોકો એક વાત ભૂલી જાયછે કે , ભોજન ના સિદ્ધાંતો માં આહાર કરતા પોષણ નું અને પોષણ કરતા પાચન નું મહત્વ સવિશેષ છે . ·          બાળક માટે ચિંતા કરતા માતા – પિતા બાળક ને વધુ ફળ , વધુ શાક ખવડાવવા માટે જ જાણે દર - દર ભટકે છે ને દવાઓ ના થોકે થોક ખવડાવે છે ત્યારે તે બાળક ને ખોરાક તો જવાદ્યો ….... દવાઓ પણ પચતી નથી . ·          પુસ્તક ને પરીક્ષા ના ભારણ નીચે દટાયેલા બિચારા બાળક ને ખુલ્લા આકાશ નીચે ને વડ - લીમડા ની છાયા માં દોડવું છે , આંબલી - પીપળી રમવું છે .... પણ તે બધું ક્યાં ?   પછી કેવી ...