Posts

Showing posts from October, 2019

નૂતન વર્ષે નિયમિત બનીએ

અત્યારે જેમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહીછે તેમણે –   પૂજ્ય પાંડુરંગદાદાજીએ - પ્રવચનમાં કહેલું કે , જીવનમાં મોટા માં મોટો જો કોઈ ગુણ ની જરૂર હોયતો તે છે “ શીલ ”. જેના જીવનમાં શીલ છે તેના જીવનમાં ગયેલા બધાજ ગુણો પાછા આવી જશે.   શીલ એટલે ચારિત્ર્ય. શીલવાન બની રહેવા માટે જરૂરી છે - સંયમ , અભ્યાસ , અધ્યાત્મ , ભક્તિ , વ્રત , ઉપવાસ , સત્સંગ , સ્વાધ્યાય , નિયમિતતા આ બધું જ જરુરી છે. આજે નૂતન વર્ષારંભે નિયમિતતા વિષે વાત કરીએ.   આયુર્વેદમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ને પ્રથમ વર્ષના પ્રથમ દિવસે જ શાસ્ત્ર અભ્યાસમાં પ્રથમ જ એક વાક્ય જરૂર થી ભણાવવામાં આવેછે કે , બ્રાહ્મે મુહુર્તે ઉત્તિષ્ઠેત્ સ્વસ્થ: રક્ષાર્થમ આયુષ: |   તંદુરસ્તી અને આયુષ્ય નું રક્ષણ કરવું હોયતો .......... બ્રાહ્મ મુહુર્તમાં એટલેકે સવારે ચાર વાગે ઉઠવાની ટેવ પાડવી જ જોઈએ.   સંત કવિ નરસિહ મહેતા કહેછે કે , રાત રહે જાહરે પાછલી ષટ ઘડી સાધુ પુરુષે સુઈ ના રહેવું. નિંદ્રા ને પરહરી , સમરવા શ્રીહરિ એક તું એક તું એમ કહેવું.   ષટ ઘડી એટલે છ ઘડી. એક ઘડી= ૨૪ મિનીટ. સૂર્યોદય ના છ ઘડી= લગભગ અઢી કલા...

ગાય નું દૂધ --- સગર્ભા નું અમૃત

          આયુર્વેદ માં જ્યાં ને જ્યારે દૂધ શબ્દ નો ઉપયોગ થાયછે ત્યાં ને ત્યારે ગાયનું દૂધ જ સમજવું. આપણા ઋષીઓ તો દરરોજ સવાર ની પ્રાર્થના માં ગાય ની મધ્ય માં જ રહેવાની માગણી કરેછે. આજે પણ ખેડૂતો ગાય તો પોતાના ખેતર માં રાખેછે છતાં પણ બીમાર ને નબળી બુદ્ધી ના બાળકો ને યુવાનો કેમ પેદા થાયછે ?  ·          કારણકે.... હવે પશુપાલક   હિરણ્યકશિપુ કે હિરણ્યાક્ષ બનીને સંકર કે એચ.એફ ગાયો વધુ રાખેછે કે જે કેન્સર ને નબળાઈ નું કારણ છે. સમાજ જ્યારે સ્વાર્થી , ભોગલંપટ ને હિરણ્યાક્ષ બને તો પછી ખેડૂત કેમ ના બને ?.. જે ગાય ભારતીય નથી તે ગાય જ નથી. તેને કદાચ કાઉ કહી શકાય. ગાય નું અંગ્રેજી GAAY થાય. કાઉ એટલે ગાય જેવું પ્રાણી. જેમકે નીલગાય તે ગાય નથી. તે ગાય જેવું એક પ્રાણી છે.   ·          આવી આપણી કાંકરેજી કે ગીર ગાય નું દૂધ જે સગર્ભા બેન પીએછે તેનું બાળક બળ , બુદ્ધિ , સૌંદર્ય ને રોગ પ્રતિકાર શક્તિ માં શ્રેષ્ઠ હોયછે. ભેંસ નું દૂધ પીનાર નું બાળક વજનદાર , સ્થૂળ , વધુ ચરબી ધરાવનાર કે...

પુષ્ટ, શ્રુત ને સૌંદર્યવાન = મજ્જા સાર

  જેમણે અનેક શાસ્ત્રો નું શ્રવણ કર્યું હોય , જીવન માં ઉતારવાનો પ્રયત્ન થતો હોય , રૂચી હોય , મહેનત હોય , અધ્યયન હોય તેને શ્રુત કહેછે. પ્લેટો કહેછે LETTERS ARE DED. આપણે ત્યાં પણ સત્સંગ , સત શ્રવણ નું ઘણું મોટું મહત્વ છે. નારદ ભક્તિ સૂત્ર માં કહ્યું છે કે , શ્રુત્વા ધર્મમ વિજાનાતિ , શ્રુત્વા નિવર્તતે મોહમ , શ્રુત્વા પાપમ   પરીત્યજેત , શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત || શ્રવણ એટલે આજના સમયમાં સ્વાધ્યાય. આમ , જેમને સતત સ્વાધ્યાય માં જવાનું મન થતું હોય તેમને માટે પણ શ્રુત શબ્દ ઉપયોગ કરી શકાય.   જેમના શરીરના અંગો પુષ્ટ હોય , કસાયેલાં હોય , સૌંદર્યવાન હોય , ભરાવદાર હોય , ઉત્તમ બળ થી સંપન્ન હોય , આંખ ની તંદુરસ્તી ઉત્તમ હોય , ચામડી સ્નિગ્ધ , સુંદર , નીરોગી અને મજબૂત હોય , જેમ કાચ ની સપાટી પરથી તેલ સરી જાય તેવી રીતની મળ પ્રવૃત્તિ સવારે ઉઠતાની સાથે જ થતી હોય , અગ્નિ- ભૂખ- પાચન શક્તિ યોગ્ય હોય તથા શરીર માં વાયુ યોગ્ય રીતે અવરોધ વિના ગતિ કરી શકતો હોય ..... તેમની સર્વાંગી તંદુરસ્તી સારી છે તેની આ નિશાની કહી શકાય.   એક કહેવત છે કે ,   અર્ધ રોગ હરી નિંદ્રા , પૂર્ણ રોગ હરી ક...

અલૂણા વ્રત

લોટ માં નમક ખપે પરંતુ નમક માં લોટ નંખાય ખરો ?. ના .. તેમાંય ચૈત્ર ને આસો મહિના ની નવરાત્રી માં તો અલૂણા જ કરાય . તેવી જ રીતે , ચારિત્ર્ય માણસ નું સ્વચ્છ હોવું જોઈએ . નવરાત્રી ના અલૂણા જેવું . પરંતુ કોઈને ભ્રષ્ટાચાર કરવાની બૂરી આદત જ પડી ગઈ હોય , તેને શરૂ થી જ તેવા સંસ્કાર મળ્યા હોય , લોકોને ખોટી રીતે હેરાન કરવાની ટેવ પડી હોય .. તેવા લોકોને એમ કહેવું પડે કે , ભાઈ , ભ્રષ્ટાચાર કરો પણ લોટ માં નમક ખપે તેટલો જ કરો . ... પરંતુ આજે તો લોકો નમક માં લોટ નાખેછે . જ્યાર થી બજારમાં નાસ્તા ના પેકેટ તૈયાર મળવા માંડયા છે ત્યારથી તો નાના બાળકો પણ ચટકીયા સ્વાદ ના શોખીન બની ગયા છે ને ઘર - ઘર માં ચામડીના રોગો ઘર કરવા લાગ્યા છે . લોકો સ્વાદ ના મોહ માં ને આરોગ્ય ના અજ્ઞાન માં પોતાના સ્વાસ્થ્ય નો વિચાર કરતા નથી . શીળસ કે જેને લોકો એલર્જી કહેછે તે .... જે વિરુદ્ધાહાર , નમક કે ખટાશ વધુ ખાવાથી કે ખોરાક નું પાચન બરાબર નહિ થવાથી થાયછે . તેવી વ્યક્તિઓ સેત્રાઝ...