Posts

Showing posts from November, 2019

ભોંય આમલકી – તામલકી

આમળાં નું વૃક્ષ તો બધાયે જોયું જ હોય અને કોઈએ ભૂલ થી ના જોયું હોય તો આજે જ જોઈ આવજો.... અન્યથા તમારી મશ્કરી થશે. આ જે આમળાં છે અને તે જેવી રીતે તેના વૃક્ષ ઉપર તેના પાંદડા ની આડસ માં રહેલા છે... તેવી જ રીતે રહેલા ને ચોમાસા માં ઠેર- ઠેર ઉગી નીકળતા પરંતુ સાઈઝ માં સાવ નાના અને તેનું વૃક્ષ નહિ પણ સાવ નાનો ક્ષુપ- એકાદ ફૂટ ની જ ઉંચાઈ નો જ છોડ ભોંય આમલકી નો થાયછે. આ છોડ ને સંસ્કૃત માં તામલકી કહે ને લેટીન માં ફાયલાન્થાસ નીરૂરી કહે. આ છોડ અત્યારે લોકો ના પગ તળે કચડાય છે ત્યારે આ દ્રશ્ય જોઇને કવિ વૈદ્ય શોભન થી એક હૃદય ને રડાવે તેવી કવિતા લખાઈ જાયછે...... રડતી.... આ રડતી.... આ દિવ્ય ઔષધી રડતી. લોકોના અજ્ઞાન ને કારણે તે આગ મહીં   હડહડતી દર્દ દુનિયા ના દૂર કરનારી... આ દિવ્ય ઔષધી રડતી.   અશક્તિ , ધાતુક્ષય , શ્વાસ નો રોગ , ચામડી ના રોગો , તાવ , કમળો , પાંડુ , કિડની ફેલ્યોર , અપચો , મરડો , લીવર- બરોળ- અગ્ન્યાશય- કીડની નો સોજો- આંતરડા નો સોજો મટાડવાની શક્તિ ધરાવનારી   ઔષધી - આ તામલકી વન- વગડા માં ઉભી- ઉભી રડતી રહેલી છે... કારણ...        ...

કેન્સર ને ઓળખો

જંગલની ગાઢ ઝાડીની વચ્ચે જ્યાં પાણી ભરાઈ રહે ત્યાં શરીર પર ચોંટી જનાર કરચલા ને તમે જોયો હશે. તેને અંગ્રેજી માં CANCER કેન્સર કહેછે. આપણા શરીર માં થતા આવા જ રોગ ને કેન્સર કહેછે. તેના માટે આયુર્વેદ માં અર્બુદ શબ્દ છે. અર્બુદ એટલે આબુપર્વત. જેને TUMOUR કે NEOPLASM કહેછે. જે સોજો ઉપસી ગયેલ હોય , કઠણ હોય , પાકવાવાળો ના હોય , ધીરે- ધીરે વધતો હોય ને માંસ ધાતુ માં સ્થિર થયેલ હોય તેને અર્બુદ કહેછે. પ્રકાર: ૧. વાતજ ,   ૨. પિત્તજ , ૩. કફજ , ૪. મેદજ અર્બુદ ના લક્ષણો ADENITIS થી મળતા આવેછે. ૫.રક્તજ અર્બુદ , ૬. માંસ અર્બુદ એ MALIGNANT TUMOR થી મળતા આવેછે. જ્યારે ૭.અધ્યાર્બુદ અને ૮.દ્વિરાર્બુદ આ બંને METASTATIC અને MALIGNANT TUMOR કહેવાય છે.       આમ , શરીરમાં થતાં કોઈપણ અર્બુદ કે ગાંઠ ની જ્યારે શરૂઆત થાય ત્યારે તેનાં વાત , પિત્ત , કફ કે મેદજ ના આધારે પ્રકાર પાડી ને સમજીને આયુર્વેદની યોગ્ય સારવાર લેવામાં આવેતો... અર્બુદ ની પ્રાથમિક અવસ્થા-ગ્રંથી અવસ્થા ADENITIS ની સ્થિતિમાં જ કાબુમાં લઈ શકાય કે મટાડી પણ શકાય અન્યથા આ રોગ ઉત્તરોત્તર ઝડપ થી MALIGNANT ની ...

કુષ્ઠ, વાતરક્ત, વિવર્ણતા, વિબંધ, પાંડુ નું ઔષધ- મંજીષ્ઠાદિ

નહિ જાહેરાત , નહિ પ્રચાર , નહિ વૈદ્ય છતાં પણ લોકમાનસમાં વિરુદ્ધાહાર અને લોહીબગાડના કારણે થતાં ચામડીના રોગો અને અન્ય મોઢાનાં ચાંદા , વંધ્યત્વ જેવા રોગોની સારવારમાં મજીઠ એ પ્રસિદ્ધ ઔષધ છે.   મજીઠ માંથી બનતું ને બજારમાં સુલભતાથી મળતું ઔષધ મહામંજીસ્થાદિ કવાથ કે જે ત્રણ સ્વરૂપે મળેછે. 1. ભૂકો ઉકાળો , 2. તૈયાર કવાથ , 3. ઉકાળામાં થી બનતી ઘનવટી.    આ ત્રણેય માં ઉત્તમ પરિણામ ભૂકા ઉકાળામાં થી જાતે ઘરે બનાવાતો ઉકાળો.   આ ઉકાળામાં મજીઠ , નાગરમોથ , કડાછાલ , ગળો , ઉપલેટ , સૂંઠ , ભારંગમૂળ , બેઠીભોરીંગણી , વજ , લીમડાની અંતરછાલ , હળદર , દારુહળદર , ત્રિફલા , પટોલપત્ર , કડુ , મોરવેલ , વાવડીંગ , અશ્વગંધા , ચિત્રકમૂળ , શતાવરી , ત્રાયમાણ જેવા ૪૫ ઔષધોના ઉકાળામાં ગુગળ ને લીંડીપીપર થી બનતો ઉકાળો એટલે મહામન્જીસ્થાદિ ઉકાળો.       આ ઉકાળો................ ➖          વર્ણ ને સારો કરનાર: મજીઠ , આમળાં , જેઠીમધ , ચંદન , શતાવરી જેવા ઔષધો ગરમ નથી. ગળો , હળદર થોડાક ગરમ છે છતાં આ બધાજ લોહીને શુદ્ધ કરનાર , ચામડીનો વર...