Posts

Showing posts from January, 2020

એટેક...

કારણ વિના કાર્ય ની   ઉત્પતિ થતી નથી. કોઇપણ બિમારી ના   કારણ માં આપણી કોઇક ભૂલ તો છે જ અથવા પ્રકૃતિ છે.   ભગવાન કહેછે કે , સંપૂર્ણ ચરાચર સૃષ્ટિ નો કર્તા હું છુ. તેના આયોજન ને આપણે કંઈક સમજી શકીએ તો ય ઘણું.   આપણે જ્યારે તેની પધ્ધતિ ના પ્રકૃતિગત માળખા માં યોગ્ય રીતે ગોઠવાતા નથી ને કૃત્રિમતા લાવીએ છીએ ત્યારે શરીર માં   ક્યાંક અવરોધ   ઉભો થાય છે અને નીતનવા દર્દો થાયછે ને ક્યારેક જીવન નો અંત પણ આવેછે.   રોગ થવાના કારણો ત્રણ: 1, આહાર એટલે ખોરાક. 2, વિહાર એટલે રહેણી - કરણી. 3, પ્રજ્ઞાપરાધ એટલે માનસીક દોષો.   હૃદયરોગ અને એટેક આ નામ જ માણસ ને ગભરાવી દે છે. સાજા સારા માણસ ને છાતી માં ડાબી બાજુ દુ:ખે એટલે એટેક સમજી તબીબ પાસે ઍમ્બ્યુલન્સ માં   જાય ને ત્યારે તબીબ કહે કે આ તો અવળો ગેસ હતો. તો દરદી દોડતો ઘરે જાય. આપણે શરીર કરતાં મન થી વધુ બિમાર થઈએ છીએ .   ત્યારે પ્રશ્ન થાય કે શું કરવાથી હૃદય સ્વસ્થ રહે ?. ➖ ચરક ચિકિત્સામાં લખ્યુ છે કે , અતિ વ્યાયામ , તિક્ષ્ણ આહાર એટલેકે તીખા , તળેલા કે જંક ફૂડ , અયોગ્ય પંચકર્મ થવાથી ...

માત્રા બસ્તિ (પીચકારી)

પંચકર્મ ના પાંચ કર્મો માં   અનુવાસન બસ્તિ એક પ્રકાર છે. તેનું લઘુ સ્વરુપ એટલે માત્રા બસ્તિ.   દર્દી ને ભોજન પછી ડાબા પડખે સુવડાવી , જમણો પગ વાળીને છાતી સુધી લઈ જઈને પછી ગુદા માર્ગ થી આપવામાં આવતી તેલ , ઘી , દૂધ , ગૌમુત્ર કે ઔષધ યુક્ત ઉકાળા ની લઘુ માત્રા માં   આપવામાં આવતી બસ્તિ ને માત્રા બસ્તિ કહેછે.   સામાન્ય જનસમાજ જ નહી , અનુભવી વૈદ્ય પણ ખુશ થઈ જાય તેવાં નહી ધારેલાં , નહી કલ્પેલાં , આશ્ચર્યજનક પરીણામ , ઝડપથી ને લાખો ખર્ચતાં ના મટે તેવું દર્દી નું દર્દ મટાડવા નો આનંદ અને ઓછા માં ઓછો ખર્ચ આ માત્રા બસ્તિ ના માધ્યમ થી મળેછે.   આપણા શરીર માં વાયુ , પિત્ત ને કફ એમ ત્રણ દોષ છે. રસ , રક્ત , માંસ , મેદ , અસ્થિ , મજ્જા ને શુક્ર આ સાત અને મલ , મૂત્ર ને સ્વેદ આ ત્રણ મલ છે... આ દોષ , ધાતુ ને મલ ના આધારે શરીર ટકી રહેલું છે. પરંતુ આ બધાજ દોષ , ધાતુ ને મલ માં વાયુ સિવાય ના બધાજ પાંગળા છે. વાયુ એકજ બળવાન છે. તેથી જ આચાર્ય ચરકે વાયુ ને પ્રભુ કહ્યો છે. વાય જ્યાં જાયછે ત્યાં જ રોગ થાયછે અને પ્રત્યેક રોગ ના કારણ માં   વાયુ ઓછા- વત્તા પ્રમાણ માં તો હોય જ છે. ...

આયુષ્ય વર્ધક... " આમળાં ".

  આરોગ્ય આટલું   સસ્તું નહીં મળે... "આમળાં ખાઈ લ્યો". 😃 ધરતી ઉપર નુ અમૃત છે આમળાં. સર્વ રોગપ્રતિકારક છે આમળાં. લવણ સિવાય પાંચરસાત્મક છે આમળાં. સદાકાળ યૌવનદાતા , દિર્ઘાયુષ્ય પ્રદાતા છે આમળાં. પૌષ્ટિક , પાચક ને કફ- ચરબી    શોષક છે આમળાં સ્વર સુધારે , કબ્જીહરે છે આમળાં. આમળાં   ના ગુણો.. 1, દિપન અને પાચન: આમળાં ખાટા , તીખા ને કડવારસ ના કારણે ભૂખ લગાડે છે ને ખાધેલા ખોરાક નુ પાચન પણ કરેછે. 2, ચક્ષુષ્ય: આમળાં   તેના ખાટારસ થી આલોચક પિત્ત વધારી ને આંખ નુ તેજ વધારેછે અને આંખ ને તંદુરસ્ત રાખેછે. આંખ ના રોગો પણ મટાડે છે. 3. વર્ણ્ય: આમળાં   ના સેવન થી ભ્રાજક ને રંજક પિત્ત વધે તેથી શરીર નો વર્ણ લાલ ને તેજસ્વી થાયછે. આમળા નો પાવડર ચોળી ને સ્નાન કરવાથી ચામડી માં   રહેલું ભ્રાજક પિત્ત તરતજ વધેછે ને શરીર ની કાંતિ માં   વધારો કરેછે. 4. મેધ્ય: આમળાં   તેના લઘુ ને રુક્ષ ગુણ થી મગજ નો તર્પક કફ વધતો અટકાવેછે ને ખટાશ થી મગજ ની કાર્યશક્તિ માં   વધારો થાયછે. 5. વયસ્થાપક :   મન સહિત અગિયારેય ઇન્દ્રિયો ને આમળાં બળ આ...