Posts

Showing posts from June, 2017

“કૃમિ રોગ” નો ઉપાય

કૃમિ રોગ એટલે આપણે એવું માનીએ કે પેટ માં કરમિયા થયા જે જાજરૂ માં મળ સાથે બહાર નીકળે છે. આજનું એલોપથી વિજ્ઞાન તો આખુય જાણે કૃમિ ઉપર જ ઉભું હોય તેમ ડગલે ને પગલે એન્ટીબાઓટીક  એટલેકે જીવાણું ને મારનાર દવાઓ આપવામાં આવેછે. છતાં પણ ઘણા રોગો માં આજે સૌ કોઈ કૃમિ ને ભૂલી ગયા હોય તેવું લાગે છે. હાર્ટ એટેક એટલેકે માયોકાર્ડિયાક  ઇન્ફાક્ષન- M.I  રોગ આયુર્વેદ દ્રષ્ટીએ કૃમિ થી થાય છે. તાવ, ઝાડા થવા, ચામડી નો વર્ણ બદલાઈ જવો, મરડો, અપચો, પેટ નો દુખાવો. ચક્કર આવવા, ભૂખ લાગે પરંતુ ખાવા ની ઈચ્છા ના થવી, ગભરામણ થવી, માથા નો દુખાવો થવો.... આ અને આવા અનેક રોગો કૃમિ થી થાયછે. અરે... માથા માં ને ચામડી ઉપર પણ કૃમિ થાયછે. અમે.. એક દર્દી ને માથા ના દુખાવા માં નાક ની અંદર બકરી નો પેસાબ ણે કાળામરી નું ચૂર્ણ નાખી ને ૫૦ થી પણ વધુ જીવતા કાળા જીવડા બહાર કાઢી ને  માથા નો દુખાવો મટાડેલો છે.  પરંતુ આ કૃમિ એકાદ ભારે કૃમિ નાશક દવા આપવાથી કે બે- પાંચ દિવસ દવા આપવાથી આ રોગો જડ મૂળ થી મટવાના નથી. કારણ કે આ કૃમી આંતરડા માં થી ધાતુઓ માં ગયા હોય છે અને ત્યાં પોતાના ઈંડા મુકતા હોય છે. તેથી કૃમિ ને મારવ...

ઉપચાર “ કબજીયાત ” નો (Treatment of Constipation )

સામાન્ય સૌની સમજણ એવી છે કે રોગ નું મૂળ કબજીયાત છે. ના... તેવું નથી. કબજિયાત તો ઉપદ્રવ છે, તે તો એક લક્ષણ છે. રોગ અને રોગ નું મૂળ તો છે  “અપચો”. પાચન સુધરે તો, તો કોઈ રોગ રહે જ નહિ. પરંતુ આળસ નો ગુલામ ને  ખાવા- પીવા નો શોખીન જે હોય તેને ભલા કયો રોગ ના થાય. અપચો એટલેકે પાચન બગડે તેનો તેને ખ્યાલ જ આવતો નથી. જેમ ઊંઘ માં ઉંદર કે મચ્છર કરડી જાય તો ખ્યાલ આવતો નથી પરંતુ તેનું ઝેર જયારે શરીર માં પ્રસરવા મળે પછી જ ખ્યાલ આવે તેમ અપચા માંથી કબજિયાત ને પેટ ના અન્ય રોગો થવા માંડે પછી જ  ખ્યાલ આવે છે. વાયુ, પિત્ત ને કફ એ ત્રણ દોષ છે. શરીર ની તંદુરસ્તી ને બીમારી માં મુખ્ય તે કારણ છે. તેમાં પણ મુખ્ય વાયુ છે. વાયુ ના પાંચ પ્રકાર છે. પ્રાણ, ઉદાન, સમાન, વ્યાન અને અપાન. આ પાંચેય વાયુ સરખી રીતે રહીને કામ કરે તો જ તંદુરસ્તી અન્યથા બીમારી. प्राणापान समायुक्त: पचामि अन्नं चतुर्विधम् ||श्रीमद्भगवद्गीता || ૧,  અપાન વાયુ નું કામ છે મળ, મૂત્ર, વાયુ ને ગર્ભ ને બહાર કાઢવાનું. અપાન વાયુ બગડે એટલે કબજીયાત થાય. પાચન બગડે, વ્યાયામ અટકે, ખાધા પછીએ ખાવા માટે આમતેમ ભટકે, આખો દ...

ઉપચાર.......”અપચો” રોગ નો.

ક્યાંય સાંભળ્યું કે માણસ નું મૃત્યુ ભૂખ થી થયું હોય.... અને કદાચ કોઈ નું મોત ભૂખ થી થયું હોય તો તેના ગુનેગાર હું, તમે ને આપણો આખોય સમાજ છે. પરંતુ વધુ ખાવાથી , ના ખાવાનું ખાવાથી કે પાચન ખરાબ હોવા છતાંય ખાવાથી, વારંવાર ખાવાથી બીમારી ને મૃત્યુ આવ્યું હોય તેવા જ મોટાભાગના કેસ જોવા મળેછે. એનો અર્થ એ છે કે સાજા રહેવું કે સાજા થવું સાવ સરળ છે જો આપણે સંયમ રાખી શકીએ તો.... આયુર્વેદ માં લખ્યું છે કે .... धी धृति स्मृति विभ्रस्ट कर्म यत् कुरुते अशुभं| प्रज्ञापराधं तं विज्ञात सर्व दोष प्रकोपनं|| . માણસ જયારે પોતાની બુદ્ધિ નો, સમજણ નો, ધીરજ નો દુરપયોગ કરેછે ત્યારે તેને કોઇપણ રોગ થઈ શકેછે. એટલેકે સંયમ નો અભાવ થાય છે ત્યારે રોગોની હારમાળા શરુ થાય છે. આચાર્ય મજાક માં પણ ગંભીર વાત કહી દેછે કે...... अनात्मवन्त: पशुवत् भुञ्जते यो अप्रमाणत:|                       रोगानिकस्य ते मूलं अजीर्णं प्राप्नुवन्ति:| જયારે માણસ આત્મા, મન ઉપર કાબુ રાખ્યા વિના પશુની જેમ પ્રમાણ થી અધિક ખોરાક ખાય...

ઘરેલું ઉપચાર..... ઝાડા

ઘરેલું ઉપચાર..... ઝાડા | Vaidya Mahesh Akhani 🌿 ઘરેલું ઉપચાર..... ઝાડા ✍️ by Vaidya Mahesh Akhani 📌 "અતિસારે પરં ન વિશ્વા" અતિસારમાં વિશ્વા એટલે કે સૂંઠ જેવી શ્રેષ્ઠ દવા બીજી કોઈ નથી. રુધિપ્રવાહમાં સાદી, સરળ પણ અસરકારક દવા હોવા છતાં આપણે રીપોર્ટ અને દવાઓ પાછળ દોડી તન-મન-ધન ગુમાવી દઈએ છીએ. 🌿 આયુર્વેદ શું કહે છે? અગ્નિ નબળો થાય, વાયુ વધે અને પ્રવાહી વધે ત્યારે તે મળમાર્ગે બહાર જાય – તેને અતિસાર કહેવાય છે. અતિસાર – મળ પાણી જેવો, સરકતો. આમાતિસાર – મળમાં ચીકાશ, પાણીમાં ડૂબતો. પ્રવાહિકા – ચૂંક, વાઢ, પ્રવાહ સાથેનું ઝાડા. ગ્રહણી – દુર્ગંધ યુક્ત, કાચા મળના પાયદાર ઝાડા. ✔️ "रोगा: सर्वे अपि मन्देग्नो सुतरां उदराणि च" સૌ રોગો પાચન તંત્ર નબળું થવાથી થાય છે – ખાસ કરીને પેટના રોગો. 🍲 ખોરાકમાં શું લેવું? ભાત + દહીં લીંબુ સાથે મગની દાળ છાસ + સુંઠ દૂધ અને દૂધના ઉત્પાદનો ટાળવા! 🧄 સૂંઠ – ચમત્કારીક ગ્રહણ શક્તિ શરીરમાંથી વહી જતા પ્રવાહી રોકવા માટે સૂંઠ શ્રેષ્ઠ છે...