Posts

Showing posts from October, 2017

હઠીલો વ્યાધિ – શ્વાસ

એવું લખાણ છે કે ૧૨૦ વર્ષ ની ઉમરે ભગવાન શ્રીકૃષ્ણે સૌરાષ્ટ્ર માં દેહત્યાગ કર્યો ત્યારે મથુરા માં વસુદેવજી કહેછે કે, પિતા પહેલા પુત્ર નો દેહત્યાગ......  ટૂંક માં મૃત્યુ સૌને માટે નિશ્ચિત છે છતાં પણ દરેક રોગ નો ઉમર સાથે પણ સંબંધ છે. હેડકી અને શ્વાસ એ ઘડપણ ના જ નહિ, એક સમયે તો માત્ર અંતકાળે જ થતા હતા. પરંતુ આજે તો પાંચ વર્ષ ના બાળક ને પણ પૂછવું પડે કે, શ્વાસ ચડે છે? આજ ની આ સ્થિતિ ને માટે  તમે કદાચ કળિયુગ ને જવાબદાર ગણી ને પલાયન વાદી બનશો, પરંતુ હું આજે મારા ૩૩ વર્ષ ના અનુભવ થી કહીશ કે, જે બાળક નું સંવર્ધન ગર્ભ માં થી જ આયુર્વેદ આધારે થયું હોય તેની તન, મન, બુદ્ધી, સ્મૃતિ ની જીવનભર ની તંદુરસ્તી બેજોડ હોય. આજે આપણે આપણું ભૂલ્યા, સાચો આયુર્વેદ ભૂલ્યા, ભારતીય જીવન પદ્ધતિ ભૂલ્યા તેનું આ પરિણામ છે. ઘરના આંગણા માં તુલસી હોય ને શરદી માં, અરડૂસી ને શતાવરી ની વેલ હોય ને શરીર માં થી લોહી વહી જાય ત્યારે, લીમડો બાજુમાં હોય ને ઓરી અછબડા, ગરમી ને ગુમડા થયા હોય ત્યારે દવાઓ માટે દર- દર ભટકીયે ત્યારે આપણા થી અધિક કોણ અભાગી? શ્વાસ રોગ ના પાંચ પ્રકાર છે. ૧, ઊર્ધ્વ શ્વાસ. ૨, મહા શ્વાસ. ૩, છિન્...

વિશ્વ આયુર્વેદ દિવસે – “વાહ ધરો વાહ”

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આરોગ્ય વિના અધૂરા છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એ ચારેય આંગળીઓ સમાન વેદ માં આયુર્વેદ એ અંગુઠા સમાન છે. આયુર્વેદ એ અથર્વર્વેદ નો ઉપવેદ છે. આવા આયુર્વેદ ને લઈ ને સમુદ્ર મંથન માં પ્રકટ થયેલ ધન્વન્તરી ભગવાન આવ્યા હતા તે દિવસ આપણે સૌ ધન્વન્તરી જયંતી- ધનતેરસ તરીકે ઉજવીએ છીએ. આજે અજ્ઞાન, આળસ ને આકર્ષણ ના અભાવે આપણે સાચા આરોગ્ય થી વંચિત રહી ગયા છીએ. નાની અમથી બીમારી માં દુખાવા ની કે દર્દ દબાવનારી દવાઓ લઈ ને જયારે આપણે કીડની બગાડીએ છીએ, હાઈ બી.પી ને લોહી ઘટે તેવા ડેન્ગ્યું જેવા રોગો ને આમંત્રણ આપીએ છીએ, હૃદય રોગો ને માનસિક રોગો ઉભા કરીએ છીએ ત્યારે ભારત સરકાર ને પણ આયુર્વેદ પ્રતિ જાગૃતિ આવે તે માટે ધનતેરસ ને આયુર્વેદ દિવસ જાહેર કરવાની આવશ્યકતા લાગી છે. આવા આજના મંગલ દિવસે સૌ વાંચક મિત્રો ને એક કવિતા બનાવી ને ભેટ આપવાનું મન થયું છે. “વાહ ધરો વાહ, તું છે કીડની સુધારનારી.”  વાહ ધરો વાહ....................... તું છે કીડની સુધારનારી.  અમે, તને પગ માં ચગદીએ.  અમે, તને ગ્રહણ ટાણે જાણીએ,   લોહી બનાવનારી,  મૂત્ર લાવનારી....

માથાનો દુ:ખાવો Headache, Migraine

પગ થી ચાલે તે પશુ અને માથા થી ચાલે તે માણસ. જે નવું નવું વિચારે છે, સંશોધન કરેછે, સમગ્ર જગત ને સુખી કરવા માટે પ્રયત્ન કરેછે તેવો આજનો યુવાન છે. પરંતુ ભાગદોડ ના જમાના માં તે તેના મન ને સારો વિચાર, ખોરાક તો જવા દ્યો સારી હવા પણ આપી શકતો નથી તેથી તે ઝડપ થી મન થી ને શરીર થી થાકી જાયછે અને શરીર, મન ના અનેક રોગો નો શિકાર થાયછે.          શરદી, ખાંસી, તાવ, હાઈ બીપી, લો બીપી, કબજીયાત, ગેસ – વાયુ, અપચો, કૃમિ, આંખના રોગ, માનસિક રોગ, કાન ના રોગો, દાંત ના રોગો, સાંધા ના રોગો, અધિક ઠંડી, અધિક ગરમી, વાદળ છાયું વાતાવરણ, આવા અનેક કારણો અને રોગો ના લક્ષણ સ્વરૂપે કે સ્વતંત્ર રૂપે માથા નો દુઃખાવો થાય છે.     આ દુઃખાવો ની પીડા સામાન્ય થી શરુ થઇ એટલી અસહ્ય હોય છે કે દર્દી પોતાનું માથું જાતે જ દિવાલ સાથે ટકરાવે – અફ્ડાવે ત્યારેજ શાંતિ થાય તેવી અસહ્ય વેદના થાય, અર્ધું માથું જ દુખે, સવારે દુખે તો સાંજે મટે, સવારે શાંતિ તો સાંજે દુખે, એક, બે કે ત્રણ દિવસ છોડી ને દુખે... આમ, ઘણા બધા સ્વરૂપે દેખાતો માથાનો દુઃખાવો તાત્કાલિક ઘરેલું ઉપચાર સ્વરૂપે કેવીરીતે મટાડવો તેનો થોડોક વિચ...

તાવ, ગરમી ને પિત્ત પ્રકોપ

  એક પણ વ્યક્તિ એવી નહિ હોય કે તેને ક્યારેય તાવ આવ્યો ના હોય. તાવ ને તમામ રોગો નો પર્યાય પણ કહેછે. તાવ લાવનારી કોઈ ઋતુ હોય તો તે છે શરદ ઋતુ. તેથી જ  रोगाणां शारदी माता| તેવી કહેવત સમાજ માં પ્રચલિત થઈ છે. તાવ તો રાજા છે. તાવ એકલો ક્યારેય આવે જ નહિ ... તેની સાથે શરદી, કફ હોય તો કફજ જવર.   ગરમી, બળતરા, ચક્કર, હાઈ બી.પી, ગરમી ના ઝાડા, પેશાબ માં બળતરા, માથાનો દુખાવો થવો, મળ માર્ગ થી લોહી પડવું આ બધાજ લક્ષણો શરીર માં પિત્ત વધવાથી અને  પિત્તજ તાવ માં થાયછે. જે વિશેષ કરીને શરદ ઋતુ માં થાયછે.    સંપૂર્ણ શરીર દુખે, થાક, અશક્તિ, ગભરામણ થાય તો વાતજ જવર.અને વાયુ, પિત્ત,કફ નાસાથે બધાજ લક્ષણો હોય તો સંનિપાતજ જવર કહેછે. અત્યારે શરદ ઋતુ માં આખા વર્ષ માં સૌથી વધુ પિત્ત નો પ્રકોપ થતો હોવાથી અને પિત્ત વિના તાવ આવે નહિ તેથી ઋષિઓ એ આશીર્વાદ આપતાં કહેછે કે          जीवेम शरदः शतम् | मोदाम शरदः शतम् | अजितास्यां शरदः शतम् | તું સો શરદ જીવ.     પિત્ત એ પ્રવાહી છે. તેથી પિત્ત ના વધવાથી પણ પાચન નબળું પડી ને ઝાડા, મરડો થઈ શકેછે અને તાવ,...