Posts

Showing posts from May, 2018

શ્રીખંડ, આઈસ્ક્રીમ....... ના લાભાલાભ

👉🏻 ઉનાળો ધોમ ધખે છે , ગરમી સતત આપણ ને સૂચવે છે કે વૃક્ષ વાવવાની વાતો હવે બંધ કરો ને ઓછા નામે વૃક્ષો જે કઈ બચ્યા છે તેને કાપશો નહી ને તોય કૈક ધરતી માતા ની સેવા કરી ગણાશે અને વ્યક્તિ દીઠ એક વૃક્ષ નું ભક્તિ ભાવ થી જતન કરીશું  તો... તો.. ઘણું મોટું પુણ્ય નું કામ કહેવાશે , તેની નોધ ભગવાન લેશે. 👉🏻 આવી ગરમી માં આપણે સૌ ઠંડક માટે સરબત , આઈસ્ક્રીમ , શ્રીખંડ , લસ્છી જેવા દ્રવ્યો નો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના લાભાલાભ પણ જાણવાનું મન થાય તે સહજ છે. શ્રીખંડ:    શ્રીખંડ દહીં માં થી બનેછે પરંતુ દહીં ગરમ છે તેથી તેમાં ખાંડ કે સાકર ઉમેરવાથી ગરમી દૂર થાય , દહીં અભિસ્યન્દી છે એટલેકે શરીર ના સ્રોતસ ને રોકનાર છે. સાંધા નો દુઃખાવો કે હાઈ બી.પી , હાઈ કોલેસ્ટેરોલ , સોજા , શરદી , સાયનસાયટીસ , કાકડા નો સોજો , ચામડી ના તમામ રોગો..... આ .. દહીં થી થઇ શકેછે , તેથી શ્રીખંડ બનાવવા માં તેને કાપડ ઉપર ઘસી ને કે કાપડ થી નિચોવી ને તેમાં તજ , એલચી , લવિંગ નાખવા માં આવે જેથી દહીં નો તે અવગુણ દૂર થાય ને ઉનાળા ની ગરમી માં ગુણકારી બને. તેથી જેમને બરાબર ભૂખ લગતી હોય , શરીર ભારે ના હોય , ચામડી નો રોગ...

નાના સાંધા માં થતો ગાંઠિયો..“વા“- વાતરક્ત (Gout)

👉🏻 જ્યાં જ્યાં દુઃખાવો ત્યાં ત્યાં વાયુ છે તેમ સમજો. વાયુ સંપૂર્ણ શરીર માં ફરતો રહેલો છે. પરંતુ જયારે તેને ફરવા ની ગતિ માં અવરોધ આવે ત્યારે તે દુઃખાવો કરે છે. વાયુ ની ફરવા ની ગતિ માં સાંધા ના સ્થાને આમદોષ થી કે કોઈપણ દોષ થી બગડેલા લોહી થી સોજો થઇ જાય ત્યારે ત્યાં વાયુ ની ગતિ માં અવરોધ આવે ને ત્યાં દુઃખાવો , લાલાશ , બળતરા , સોજો થઈ આવે તેને ગાંઠિયો વા કે વાતરક્ત અમે વૈદ્યો કહીએ છીએ જેને કેટલાક ગાઉટ કે યુરિક એસીડ નું પ્રમાણ વધવાથી થયેલો સોજો કહેછે અને ક્યાંક તો વિટામીન બિ.૧૨ ની ખામી નો રોગ કહેછે...  પરંતુ તે નિદાન બરાબર બંધબેસતુ નથી તેથી અમને તો લોહી બગાડ થી થયેલો વા નામનો રોગ જ લાગેછે. કારણકે નિદાન થી જ સાચી સારવાર શક્ય બનેછે. અંગમર્દ અરુચિ તૃષ્ણા આલશ્યમ ગૌરવમ જવર: | અપાક: શુનતામ  અંગાનામ આમવાતસ્ય લક્ષણમ || 👉🏻 જયારે ખાધેલો ખોરાક પચે નહિ ને તેમાંથી બનતો કાચો રસ સાંધામાં જમા થાય ત્યારે સોજા થઈ આવે છે. જે મોટા સાંધામાં થાયછે જેને આમવાત કહીએ.  પરંતુ તીખા , તળેલા , ખાટા કે ગરમ ખોરાક થી , ચિંતા , ક્રોધ થી લોહી બગડે છે  ત્યારે તેનાથી જે સોજા આવેછે તે નાના સ...

ધોળો કોઢ.... શ્વિત્ર કેવી રીતે મટે ? (Vitiligo treatment - Ayurveda)

કોઢ શબ્દ સાંભળતાજ જ્યાં આંખો ભારે થઇ જાય ત્યાં ધોળો કોઢ સાંભળતા જ શું થતું હશે ? એ તો જેમને થયો હોય તે જ સમજી શકે ! આયુર્વેદ દ્રષ્ટિ થી તો જ્યાં ચામડી નો વર્ણ બગડે તેને કોઢ કહ્યો છે. ચામડી ના રોગો માટે આયુર્વેદ માં ઘણું ખેડાણ થયું છે.  તેથી જ સમાજ માં છાપ છે કે સૌંદર્ય માટે , ચામડી ના રોગો મટાડવા માટે આયુર્વેદ પાસે જ જવાય.  લઘુ કુષ્ઠ -૧૧ , મહાકુષ્ઠ - ૭ , ક્ષુદ્ર રોગો-૪૨ , ત્રીદોષ જ , અન્યોન્ય દોષ જ , દોષ ધાતુ જન્ય , ઉપરાંત કાળો કોઢ , ધોળો કોઢ , લાલ કોઢ , આવા અસંખ્ય પ્રકાર ના ચામડી ના રોગો નું વર્ણન અને સારવાર એ આયુર્વેદ ની ઉપલબ્ધી છે. આ બધાજ ચામડી ના રોગો માં માત્ર ધોળો કોઢ એક એવો રોગ છે કે  જેમાં ખંજવાળ નહિ હોવા છતાં તથા ઘણું કરી ને પાક , પરુ , સોજા નહિ હોવા છતાં તે રોગ ગમતો નથી. ચીતરી ચડે છે. કારણકે તેનાથી સૌંદર્ય ઘટેછે. તડકો સહન થઈ સકતો નથી. રોગ પ્રતિકાર શક્તિ ઘટે છે. ઘણો જુનો હોય તો તે વારસા માં આવે છે. તેથી તેને મટાડવા માટે સૌ કોઈ તત્પર રહેછે. પરંતુ જે સફેદ દાગ- ધોળો કોઢ એક વર્ષ જુનો હોય તે સરળતા થી મટે છે. એક વર્ષ થી જ્યાં વધુ સમય થયો હોય તે મુશ્કેલી ...

શરીર ની મધુરતા....મધુમેહ

ભૂખ્યા પેટે લેવાતો લોહી નો રીપોર્ટ અને જમ્યા પછી ના બે કલાક પછી ના રીપોર્ટ માં સુગર આવે , તો તેને મધુમેહ છે તેમ આપણે કહીએ... આજ વાત ને મહર્ષિ વાગ્ભટ્ટ અષ્ટાંગહૃદય માં લખેછે કે ,           “ માધુર્યાચ્ચ તનોરત: |”    આખા શરીર માં મધુરતા એટલે મધુમેહ. માત્ર લોહી માં જ નહિ , શરીર ની સાતે સાત ધાતુઓ માં મધુરતા એટલે મધુમેહ. આપણે તો માત્ર લોહી- પેશાબ ની તપાસ કરાવી ને જ ખાંડ ની જાણકારી લઈએ છીએ. કોઇપણ રોગ સાતેય ધાતુઓ માં પ્રસરી જાય તો તે મટાડવો કષ્ટસાધ્ય તો છે જ પરંતુ વંશ વારસા માં પણ આવેછે , આ જ વાત ને મહર્ષિ ચરક કહેછે કે , “ જાત પ્રમેહી મધુમેહીનો |” માતાપિતા ના બીજ દોષ ને કારણે સંતાન ને મધુમેહ થાયછે. જેમ થેલેસેમિયા રોગ માં માતા , પિતા બંને ને થેલેસેમિયા માઇનોર હોય તો બાળક ને થેલેસેમિયા મેજર થશે. પરંતુ બંને માંથી કોઈ એક ને માઈનોર ને એક નોર્મલ હોય તો  બાળક ને માઇનોર થેલેસેમિયા થશે. તેવી જ રીતે મધુમેહ આજે વિશ્વવ્યાપી થયો છે તેનું એક કારણ આ પણ છે કે ...લગ્ન પહેલા માતા-પિતા ની , દાદા-દાદી ની મધુમેહ ની હિસ્ટ્રી તપાસતા નથી.........