Posts

Showing posts from June, 2018

અમ્લપિત્ત ? ? ? Acidity

એસીડીટી   નામ થી પ્રચલિત , સાચો કે ખોટો છતાં ઘર- ઘર માં દરેક ને પજવતો વ્યાધી , સામાન્ય પાણી , દૂધ , સાકર કે આદુ , મરી , લીંબુ થી કાબુ માં આવતો છતાં ભલ ભલા તબીબો થી ય નહિ મટતો ને ક્યારેક હાર્ટ એટેક નું પૂર્વરૂપ બતાવતો અમ્લપિત્ત- એસીડીટી એક સામાન્ય છતાં મહારોગ પણ છે.                   છાતી માં બળતરા થવી , તરસ વધુ લાગવી , ચક્કર આવવા , ઉબકા- ઉલટી થવી , ગભરામણ થવી ...... આ બધા જ લક્ષણો વિદગ્ધાજીર્ણ , અમ્લપિત્ત , સગર્ભાવસ્થા , હાઈ બી.પી ને હૃદયરોગ માં જોવા મળેછે. જેને અનુભવી ને અભ્યાસુ વૈદ્ય જ પારખી શકેછે. સામાન્ય લોકો તો આ બધું જ એસીડીટી સમજી ને ચૂસવા ની એન્ટાસીડ થી શરૂ કરી ને પેન્ટાપ્રાઝોલ સુધી ની દવાઓ કાયમી ચણા- મમરા ની જેમ ખાતા થઈ ને બીજા અનેક ઉપદ્રવો ના શિકાર થાયછે. અને આજની દવાઓ પણ એવી ગરમ હોય છે કે મોટા ભાગ ની દવાઓ ની સાથે તે ગરમ પડે નહિ તે માટે સાથે એન્ટાસીડ આપવી પડતી હોયછે.     આખરે તો.... માણસ ની પાચન શક્તિ નબળી પડી તેથી તો તે બીમાર થયો હોયછે ને તેમાં વણ જોઈતી દવાઓ નો મારો... પછ...

ત્રિફળા રસાયન

આજ નો યુવાન જાણે ઘરડો થયો છે. અકાળે સફેદ વાળ થઇ જાય.... તે તો જાણે આજના રાસાયણિક આહાર ને ભેળસેળિયા જમાના ના કારણે હશે , પરંતુ ઋષિ ની કલ્પના મુજબ ..... निस्कारनेन् षडंगो वेदाध्ययन .... કારણ વિના અભ્યાસ ની વૃતિ જ જાણે ચાલી ગઈ છે. આજે ભારતીય સંસ્કૃતિ રડતી રહેલી છે. આજે મંદિર , મૂર્તિપૂજા , યજ્ઞ , એકાદસી જેવા સંસ્કૃતિ ના સાધનો માં થી તેનું સત્વ ને તત્વ ચાલ્યું ગયું છે..... તેને હું ઉભું કરીશ.... આવું વિચારનાર ને ૧૦૦ સૂર્ય નમસ્કાર કરનાર કોઈ યુવાન છે ખરો ? આજે આપણા પ્રધાન મંત્રી , ક્રિકેટર વિરાટ કોહલી ને કેન્દ્રીય મંત્રી રાજવધઁનસિહ રાઠોડ .. શરીર , મન ની તંદુરસ્તી માટે યોગ-આસન ના પોતાના વીડીઓ બહાર પાડી ને સૌને કૈક અંશે યુવાન બંનાવવાની પ્રેરણા આપી રહ્યાછે. આયુર્વેદ માં આવી સમજણ ને જીવન માટે આચાર રસાયણ કહ્યું છે. તથા ઔષધ રસાયણ એટલે..... ત્રિફળા જેવા અનેક પ્રયોગો આપ્યા છે.       👉🏼 હરડે , બહેડા અને આમળા ના મિશ્રણ ને આયુર્વેદે ત્રિફળા કહ્યા છે. જેના થી સૌ કોઈ પરિચિત છે. આયુર્વેદ નું આ ઔષધ સામાન્ય રીતે કબજિયાત , હાઈ બી.પી , હરસ-મસા , વાઢીયા , આંખ ના , વાળ ના રોગો માટે...

સાંધા નો દુઃખાવો ..... દૂધ, કેળાં થી મટે ?

બાળપણ માં શરદી - કફ થાય , યુવાની માં ખીલ ને ગરમી થાય અને ઘડપણ માં સાંધા ના દર્દો ને “વા” – વાયુ ના રોગો જેવા કે .... મધુમેહ , અનિદ્રા , માનસિક રોગો , રાંઝણ , લકવો , હાઈ બી.પી , હૃદય રોગો થાય. ...... પરંતુ આ બધી જૂના જમાના ની વાતો થઈ ........ આજ નો બાળક મેગી , ચોકલેટ , આઈસ્ક્રીમ ખાઈ ને ટી.વી સામે બેસી રહે ને દડા જેવું શરીર બનાવે છે.   યુવાન પણ આઠ વાગે ઉઠતો ને ઝટપટ તૈયાર થઈ ને સ્કૂલ , ટ્યુશન કે કમાવા ભાગતો ને ટેન્શન માં દિવસ- રાત વિતાવતો તે અકાળે ઘરડો થઈ જતો જોવા મળેછે.   જો બાળક ને યુવાન આવા આળસુ બની જાય તો   આ દેશ ની આવતીકાલ ઘરડી જ હશે.   શું થયું માજી ને ? શું થયું દાદા ને ? .... આ શબ્દો જૂના થઈ જશે. ૨૫ વર્ષ ના યુવાન- યુવતી પણ ઘડપણ ના રોગો- સાંધા ના દુખાવા ના દર્દ થી દુઃખી જોવા મળશે. અને પછી તો એવું ભવિષ્ય માં કહેવાશે કે જે યુવાન કે બાળક ને સાંધાનું દર્દ કે ઘડપણ રોગો ના હોય તેને એવોર્ડ આપવો... શું આવું ભવિષ્ય જોવું છે આપણે ? ... આવું ભવિષ્ય , આવો મારો માયકાગલો ભારત ના જોવો હોય તો .... નિયમિત વ્યાયામ કે સૂર્ય નમસ્કાર ને વેદ- વિચારો નો અભ્યાસ- સ્વાધ્યાય ની પ્રત...

મરડો માઠો રોગ (Irritable bowel syndrome (IBS))

👉🏻 ગરમી   કે વરસાદી વાતાવરણ માં પાચન બગડે. તરસ થી અધિક કે પાચન શક્તિ થી અધિક પાણી કે પ્રવાહી લેવામાં આવે ત્યારે અતિસાર એટલેકે ઝાડા થાય. પાચન બગડ્યું તેથી ઝાડા થયા હોય , તે અતિશય વધુ પ્રમાણ હોય તો તાત્કાલિક ઝાડા બંધ થાય ને સૂંઠ ની જેમ પાચન સુધારે , ભૂખ ઉઘાડે   તેવી સારવાર   થવી જ જોઈએ. અને જ્યાં સુધી પાચન સુધરે નહિ ત્યાં સુધી ખોરાક કે બાટલા ચડાવવા જોઈએ નહિ અન્યથા પાચન બગડે ને મરડો થાય જેને સંસ્કૃત માં પ્રવાહિકા કે ગ્રહણી કહેવાય. 👉🏻 આયુર્વેદ ના આચાર્ય ચરક કહેછે કે अतिसारे निवृते अपि ,   मंदाग्ने अहितासन |   भूयः संदुसितो वह्निं: ,   गृहणीम अभी दूषयेत || •   અતિસાર :  જેમાં અધિક માત્રા માં પ્રવાહી મળ પ્રવૃત્તિ થાય તેને અતિસાર એટલેકે ઝાડા કહેછે. •   પ્રવાહિકા :  જેમાં પેટ માં ચૂંક વધારે આવે , સંડાસ જતી વખતે જોર ઘણું કરવું પડે ને તોય મળ બકરી ની લીંડી જેવો , ચિકાશ યુક્ત આવે ને વારંવાર સંડાસ જવા ની ઈચ્છા થાય તેને પ્રવાહિકા – મરડો કહેછે. •   ગ્રહણી :  આપણા   શરીર માં મોઢા નું કામ ખોરાક ને ચાવવાનું છે , હોજરી ...