Posts

Showing posts from October, 2018

કાનની સંભાળ

આપણો આરોગ્યનો વારસો – આયુર્વેદ , તેના આઠેય અંગોથી વિભૂષિત છે. ..તેના આઠ અંગોમાં ઉર્ધ્વાંગ એટલેકે શાલાક્ય તંત્ર એટલેકે આંખ , નાક , કાન , ગળું , દાંત , મગજ અને માથા ને લગતાં તમામ રોગોને સમાવતો વિભાગ. અહી આટલા બધા અંગોના રોગો એકજ વિભાગ માં શા માટે ઋષીએ મુક્યા હશે ?  ૧ , આંખ , કાન વિગેરે બધાજ અંગોના રોગ અને આરોગ્ય એકબીજા સાથે સંકળાયેલા છે. ૨ , આ બધાજ અંગોના રોગોમાં મુખ્ય કારણ કફ છે. ૩ , આ બધાજ અંગો ની સારવાર માં સાધન તરીકે નાના સળી જેવા યંત્ર નો ઉપયોગ વિશેષ થાયછે અને તે યંત્ર ને સંસ્કૃતમાં શલાકા કહેવાય તેથી આ વિભાગ ને શાલાક્ય તંત્ર કહેછે અને આ બધાજ અંગો શરીરમાં ઉપરની તરફ હોવાથી તથા ગાડીમાં એન્જીન જેટલા મહત્વના હોવાથી તેને ઉર્ધ્વાંગ કહેછે.   તત્વજ્ઞાનની ની ભાષામાં કહેવું હોયતો , “ માથાથી ચાલે તે માણસ અને પગથી ચાલે તે પશુ.” તેથી ઉર્ધ્વાંગ નું વિશેષ મહત્વ છે. ઉર્ધ્વાંગ ના અંગોમાં... તેજ મહાભૂત નું સ્થાન આંખમાં , જલ મહાભૂતનું સ્થાન કંઠમાં , વાયુ ને આકાશ મહાભૂતનું સ્થાન કાનમાં છે. એટલેકે મહાભૂતની દ્રષ્ટીએ પણ કાનનું વિશેષ મહત્વ છે. વાયુ બધામાં બળવાન છે ને આકાશ ની સારવાર કરવ...

હૃદય ની સારવાર, શરીર નો સાર.... ઓજસ

  સંતો , ભગવંતો ના શિર ની પાછળ બતાવાતું વલય- એ ઓજ નું પ્રતિક. પ્રત્યેક વ્યક્તિ માં ઓછા- વત્તા અંશે અન્યને ખેંચવાની શક્તિ રહેલીછે તે ઓજ છે. શરીર ની સાતેય ધાતુઓ નો સાર એટલે ઓજસ. જેમ શેરડી ના કણ-કણ માં રસ ભર્યો છે તેમ શરીર નો પ્રત્યેક અંશ ઓજ થી સમાયેલો છે. જેમ ભમરાઓ બધાજ પુષ્પોમાં થી સારરૂપ મધ એકત્ર કરેછે તેમ માણસ ના ગુણ , કર્મ , આહાર , આચાર માંથી ઓજ વિકસીત થાયછે.   સગર્ભાવસ્થા ના આઠમા મહિના માં ગર્ભ અને માતા માં ઓજ નું આદાન- પ્રદાન થાયછે. ત્યારે જો પ્રસુતિ થાય અને ઓજ બાળક માં હોય તો માતા નું મૃત્યુ થાય ને ઓજ જો માતામાં હોય તો બાળક નું મૃત્યુ થાયછે. તેથી એક વાત ચોક્કસ છે કે ઓજ છે તો જ જીવન છે ને ઓજ નથી તો મૃત્યુ છે. સગર્ભા ના સાતમાં માસ માં પ્રસુતિ થાય તો માતા ને બાળક બંને જીવેછે પરંતુ આઠમા માસ માં એક નું મૃત્યુ થાય આ હકીકત હોવાથી આજના પ્રત્યક્ષવાદી વિજ્ઞાનને આયુર્વેદ ની આ ઓજ ની વાત માન્ય વિના છૂટકો નથી.     આ ઓજસ શરીર માં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં તેનું મુખ્ય સ્થાન હૃદય હોવાથી હૃદય ની તંદુરસ્તી એ ઓજસ ને આધારિત છે   એટલેકે   સત્ય , સંતોષ , સેવા , જ્...

રાત્રી ભોજન દૂર થશે, શરદી, શ્વાસ મટી જશે.

જાણ્યું છતાં અજાણ્યું.   આપણે આજે   ઘણા કામ કરવા યોગ્ય હોવા છતાંય કરતા નથી. અને ના કરવાના ઘણા કામ કરીએ છીએ. આરોગ્યના અને ધર્મના વિષય માં આવું વિશેષ જોવા મળેછે. લગ્ન સમારંભ હોય કે મિત્રો ની પાર્ટી માં જાણતા હોવા છતાં ના ખાવા નું ખાઈએ છીએ ને બહાનું આપીએ કે મિત્રો ને ખરાબ લાગે , તેમનો આગ્રહ ખૂબ જ હતો. બધાજ પારકા છે , પેટ પોતાનું છે. અંદર ભગવાન બેઠો છે. તે ભૂલી જઈએ છીએ.   ઉણોદરી અને ચૌવિહાર એ જૈન ધર્મ ના આયુર્વેદ માન્ય સિદ્ધાંતો સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. ચૌવિહાર એટલે સૂર્યાસ્ત પછી પાણી કે ખોરાક નું સેવન કરવું નહિ. અને ઉણોદરી એટલે ભૂખ થી અડધું ભોજન કરવું.   કમળ સમાન અંગ: આપણા શરીર માં હૃદય અને હોજરી આ બંને અંગો એવા છે કે જેને કમળ સાથે સરખાવી શકાય. કાદવ માં ઉગતું ને લક્ષ્મીજી નું આશ્રયસ્થાન એવું કમળ એ સુર્યમુખી છે. સૂર્યાસ્ત પછી તેનું પોયણું બંધ થઈ જાય ને સૂર્યોદય પછી જ તે ખીલે છે. તેવી જ સ્થિતિ આપણા આ બંને અંગો ની છે. સૂર્યાસ્ત પછી હોજરી ને નાના આંતરડા ખોરાક ને વલોવવા નું ને પચાવવાનું કામ ધીમું કરી દેછે. અને સૂર્યાસ્ત પછી હૃદય ની ગતિ એક્દમ મંદ કે ધીમી થઈ જ...

તાવ એક – રૂપ અનેક...

જેમ ઈશ્વર એક છે પરંતુ તેને સૌ પોતપોતાની રૂચિ પ્રમાણે સ્વરૂપ આપીને પૂજા કરેછે. કહ્યું છે ને કે ,” કબીરા કૂવા એક હૈ , પનિહારી અનેક. બરતન સબકે ભિન્ન હૈ , પાણી સબકા એક. .............. તેવીજ રીતે પ્રત્યેક વ્યક્તિ , ઋતુ , સ્થિતિ પ્રમાણે તાવ દેખાય આપણ ને જુદો જુદો પરંતુ કોઈપણ તાવ નું મુખ્ય કારણ તો એક જ છે. આયુર્વેદ માં તાવ ના ૬૪ પ્રકાર બતાવ્યા છે. તાવ ને તમામ રોગો નો પર્યાય બતાવ્યો છે. તાવ વિષયે  આયુર્વેદ માં ઘણું જ ખેડાણ થયું છે. છતાં પણ હજુ તે વિષય માં કૈક ખૂટતું હોય તેવો ભાસ આયુર્વેદ અને તમામ પેથી ના તમામ તબીબો ને થઈ રહ્યો છે. આજે આપણે તેના મૂળભૂત સિદ્ધાંત ને સમજવા નો પ્રયત્ન કરીએ. તાવ ની વ્યાખ્યા:..... પાચનશક્તિ , ઋતુ , ઉંમર , સ્વભાવ થી વિરુદ્ધ જઈ જયારે માણસ અયોગ્ય આહાર કે વિહાર અપનાવે છે ત્યારે પાચન શક્તિ નબળી પડેછે. ત્યારે વાયુ , પિત્ત , કફ માંથી કોઈપણ એક , બે કે ત્રણેય દોષો નો એકસાથે કે અલગ- અલગ રીતે જયારે પ્રકોપ થાયછે. તે પ્રકુપિત થયેલા દોષો કોઠા માં રહેલા અગ્નિ ને બહાર ફેંકી દે છે. તે અગ્નિ ચામડી ને રસ , લોહી વિગેરે સાત ધાતુઓ માં આવી ને ફરેછે જેને આપણે   તાવ કહીએ ...