Posts

Showing posts from November, 2018

લેપ લગાઓ------------- રોગ મટાડો

આયુર્વેદ નું આ મહાન આશ્ચર્ય હવે સૌ કોઈ અપનાવવા લાગ્યા છે. લેપ લગાઓ ને રોગ ભગાડો.   ચામડી એ શરીર નું દર્પણ છે.   શરીર માં થતા બધાજ ફેરફાર , ચામડી ના રોગો , માનસિક આવેગો , ચિંતા , ભય , ક્રોધ , હર્ષ , ઉત્સાહ , પ્રેમ , લાગણી.... આ બધું જ ચહેરા ને ચામડી , દેખાવ ને હિલચાલ થી પરખાઈ આવેછે. તેથી જ લોકો આજે સૌંદર્ય પ્રસાધનો , બ્યુટી પાર્લર ને પંચકર્મ પાછળ પાગલ થયાછે. તેમાં પંચકર્મ થી સાચી શરીર શુદ્ધી ને નીરોગીતા , સૌંદર્ય ને દીર્ઘાયુશ્ય મળતું   હોવાથી તેના તરફ   વિશેષ સૌની અમીભરી મીટ છે.   પરંતુ સાચુ આત્મિક સૌંદર્ય તો આધ્યાત્મિક ભક્તિ ને સાધના થકી જ   પ્રાપ્ત થાયછે. અને તે માટે સતત selfless love and selfless work કરતાં રહેવું જોઈએ.   સૌંદર્ય સૌને ગમે અને સૌંદર્યવાન થી સૌ પ્રભાવિત થાયછે. શરીર ના સૌંદર્ય માં કાળા , ઘાટા , લાંબા , ભરાવદાર વાળ તથા સ્વસ્થ , ચમકતી ચામડી , દાડમ ના દાણા જેવા દાંત , તેજસ્વી આંખ ની જેમ શરીર ના બધાજ અંગો ને નીરોગી બનાવવા માટે લેપ થેરાપી નું આયુર્વેદ ના શારંગધર નામના ગ્રંથ માં વિસ્તાર થી વર્ણન છે. લેપ એ આયુર્વેદ ની એવી થેરાપી છે...

પેશાબ ની પથરી ( Renal Stone ) ...... નું પથરાતું દુઃખ

આપણે સહુ સમય અને સંજોગો પ્રમાણે સતત દોડતાં અને ભાગતાં રહેલા એકવીસમી સદી ના માનવીઓ છીએ.આવા સમય માં શરીર ને ભૂલી જઈએ એ સ્વાભાવિક છે જ્યાં સુધી શરીર બુમ પાડી ને કહે નહિ કે ....જરા થોભો शरीरम् आद्य खलु साधनम                                   જેમ બાઈક કે કાર માં એન્જીન ઓઈલ બદલાય છે અને સર્વિસ થાય છે એમ આ મશીન નું ઓઈલ નથી બદલાતું પછી પરિણામ આવેછે..... પથરી સ્વરૂપે. ઘર નો જે હિસ્સો સાફ ના થાય ત્યાં જાળા બાઝે એમ શરીર માં પણ થાય. સામાન્ય રીતે પથરી એટલે જે કીડની માં કે પિત્તાશય માં થાય એ. પરંતુ હકીકત માં જ્યાં જ્યાં કચરો જામે એ બધા ને જ એક પ્રકારે પથરી કહી શકાય જેમકે દાંત માં થતી ટાર્તર, લોહી ની નળી માં જામી જતો મેદ એટલે કે કોલેસ્ટેરોલ અને આંતરડા માં પડ્યો રહેલો મળ પણ પથ્થર જેવો થઈને scabloid બને છે.એટલે કે શરીર ની   સમયાંતરે દિવાળી ની જેમ સાફ સફાઈ થાય તો પથરી ને રોકી શકાય.         ...

લાભ પાંચમ – જ્ઞાન પંચમી

નવા વર્ષ માં નથી નવું કઈ બધું પુરાણું ભાસે છે. એ જ સૂર્ય ને એ જ ચંદ્ર છે , એ જ ઘટમાળ ચાલે છે. નવું વર્ષ , ભાઈબીજ , લાભપાંચમ – જ્ઞાન પાંચમ... આ બધા ઉત્સવો એ ..... સૌના જીવન માં , મન માં , બુદ્ધિ અને ભાવ માં ઉત્સાહ નો સંચાર કરવા માટે , તેજસ્વી જીવન જીવવાને માટે દ્રષ્ટિ આપનાર છે.                  આજે સૌની નજર લાભ –ફાયદા તરફ છે તેથી જ્ઞાન નું મૂલ્ય ઘટ્યું ને વિત નું મૂલ્ય વધ્યું અને તેમાં લાભ જોવાની દ્રષ્ટિ થી લાભ પંચમી આવી. આયુર્વેદ માં ચરક સંહિતા માં લખ્યું છે કે.... “ શરીર ઇન્દ્રિય સત્વ આત્મા સંયોગો ધારિ જીવીતમ |” ➖ અર્થાત માણસ , પશુ , પક્ષી પ્રત્યેક ના જીવન માં શરીર , ઇન્દ્રિયો , મન અને આત્મા નો સંયોગ છે. આ બધા જ અંગો નું સ્વાસ્થ્ય ટકી   રહે , તંદુરસ્ત બની રહે તે માટે વિચારવાનો સમય છે. સ્વાસ્થ્ય અને તંદુરસ્તી શબ્દો કેવળ બિમાર ન પડવું એ અર્થ માં જ નથી , કારણકે આજે આયુર્વેદ ની સ્વાસ્થ્ય ની વ્યાખ્યા પ્રમાણે તો બધા જ બિમાર છે. કારણકે તેમાં પ્રસન્નતા ઉપર ભાર મુક્યો છે.     ...

વિશ્વ આયુર્વેદ દિન... ધનતેરસ

આજે ચારેબાજુ ધન એટલે રૂપિયા , પૈસા જ સમજાય. કારણકે બધાના મગજમાં તેના જ બટાકા બફાતા હોયછે. જયારે આપણા ઋષીઓ એ શ્રીસૂક્તમ માં અગ્નિ , વાયુ , સૂર્ય , પૃથ્વી , પ્રકૃતિ , માતા- પિતા આ બધું જ ધન કહ્યુછે. તેમ આરોગ્ય પણ આપણું આદર્શ ધન છે. જો કે બીમારી આવે ત્યારે રૂપિયા ખર્ચાઈ જાય તેથી આરોગ્યને આપણે ધન માનવા લાગ્યા છીએ. પરંતુ આપણા ઋષીઓની આવી ટૂંકી કે સ્વાર્થી દ્રષ્ટી નથી રહી.   ઋષિ કહેછે........ મારે તંદુરસ્ત રહેવું છે કારણકે મારે ખૂબજ પ્રભુનું કાર્ય કરવું છે. મારે ધર્મ કાર્ય કરવું છે. આયુર્વેદ ની ઉત્પતિ નો હેતુ પણ આ જ છે ને !!!. હિમાલય ની તળેટી માં વિશ્વ ની પ્રથમ મેડીકલ કોન્ફરન્સ ભરાઈ ત્યારે તેમાં પ્રમુખ વિષય જ આ હતો કે આજે લોકોને ધર્મ કાર્ય કરવા માટે અવરોધ રૂપ માત્ર રોગો જ છે. અને આ રોગો ની સારવાર નું જ્ઞાન દેવો પાસે છે છે તો તેમની પાસે થી જ્ઞાન કોણ લેવા જશે ? અંત માં ભરદ્વાજ ઋષિ પોતાની ટીમ સાથે તે જ્ઞાન લેવા માટે ગયા છે. જે આપણને આજે ચરક સંહિતા , સુશ્રુત સંહિતા સ્વરૂપે સર્વત્ર સુલભતાથી પ્રાપ્ય છે. આજે આપણે ભાગ્યશાળી છીએ કે સ્વતંત્ર ભારત માં પ્રથમ વખત આયુર્વેદ ને આટલું સન્માન મળ્ય...