Posts

Showing posts from May, 2019

ગરમી માં ઉપયોગી----- ફટકડી

  સૌરાષ્ટ્રી નામથી જે જાણીતી છે તે ફટકડી પરંતુ   હેરકટિંગ સલુન સિવાય ભાગ્યે જ વપરાતી ફટકડીની સ્થિતિ જાણે કાખમાં છોકરું ને ગામમાં શોધવા જેવી છે. જો કે મિનરલ પાણી પાછળ પાગલ પ્રજા હવે પસ્તાઈ ને પારોઠના પગલા ભરીને સાદું પાણી માં ફટકડી નાંખી , પાણી શુદ્ધ કરી ને પીવા લાગી છે ને તેથી ફટકડી સાથે તેનો સંબંધ બાંધવા લાગ્યો છે.       હેર કટિંગ સલૂન માં તમે જાઓ ને ભૂલતા જો લોહી નીકળે તો નાયી તરતજ ફટકડી ને પાણી માં પલાળી ને ઘા ના સ્થાને લગાવી દે છે અને તાત્કાલિક લોહી નીકળતું બંધ થઈ જશે.                   ફટકડી સ્વાદમાં તુરી છે. ગુણ માં ઠંડી છે. વહેતું લોહી અટકાવનાર છે. સોજો મટાડનાર ને સંકોચ કરનાર છે. તત્કાલ પરિણામદાયી છે છતાં ખૂબજ સસ્તી છે. આપણે   જો તેનો ઉપયોગ નહિ કર્યો તો લીંબડા જેવી સ્થિતિ થશે. આપણા જ ઘર આંગણે ઉગતા લીમડામાં થી ઔષધી બનાવીને કંપનીઓ આપણ ને જેમ ખવડાવે છે તેમ એક દિવસ ફટકડી આપશે.               ...

બાળ તંદુરસ્તી – ૨

આયુર્વેદ શાસ્ત્ર છે. તે અનાદી છે. ત્રિકાલાબાધિત છે. જે સૃષ્ટી ની સમગ્ર માનવ જાતિ ને માર્ગદર્શન કરેછે તેથી તે શાસ્ત્ર છે. સૃષ્ટી ની ઉત્પતિ થઈ ત્યારથી આયુર્વેદ ની ઉત્પતિ થઈ હોવાથી તે અનાદી છે.   તેના શબ્દો માં છેલ્લા પાંચહજાર વર્ષો માં કોઈ ફેરફાર હજુ સુધી થઈ શક્યો નથી , તેથી ભવિષ્યમાં ફેરફારની શક્યતા નથી તેથી તે ત્રિકાલાબાધિત છે.    તેથી તંદુરસ્તી જાળવવા અને થયેલા દર્દ ને દૂર કરવા માટે આયુર્વેદના શબ્દો નું પૂરેપૂરું અનુસરણ કરવું તેમાંજ આપણું ડહાપણ છે.   વિરુદ્ધઆહાર ની સમજ એ આયુર્વેદ ની એક અનોખી દેન છે. આજનું આધુનિક સંશોધન ને સંસાધનો થી ભરપૂર વિજ્ઞાન હજુ સુધી આયુર્વેદ ની આ સમજણ સુધી પહોંચી શક્યું નથી તે મોટી નવાઈ છે. જે વાત આપણા ગામડા નો અભણ પણ સમજે છે.   હું પાંચ- સાત વર્ષ નો હતો ત્યારે મારી દાદી કહેતી કે રાત્રે દહીં , ડુંગળી કે દૂધ ને ખટાશ ખવાય નહિ .... તેનાથી વિકાર આવે. જે આયુર્વેદ ની વિરુદ્ધાહાર ની વાત છે.        •              બાળકો ને વિરુદ્ધાહાર આપશો નહિ. દૂધ...

આવો...અંતરીક્ષ જળ સંગ્રહ નું આયોજન કરીએ (Rainwater Harvesting)

સમુદ્રવસને દેવી , પર્વતસ્તન મંડલે |   વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ , પાદસ્પર્શં ક્ષમસ્વમે ||   હે , સમુદ્ર રૂપી કપડા ધારણ કરેલી પૃથ્વી માતા , પર્વતો તારી શોભા છે , પ્રભુ પ્રેમ સ્વરૂપી વર્ષા ની ધારા પર્વતો દ્વારા તું અમને નદી ના માધ્યમ થી મોકલાવે છે . અને અમે હંમેશા તારા ખોળે જ નાચતા , કૂદતા ને ખેતી , વેપાર ને ધર્મ કાર્ય કરતા રહીએ છીએ , આમારા પગ નો તને સ્પર્શ થાય છે તો હે ... “ માં ” તું અમને ક્ષમા કરજે . તને અમારા વંદન હો .               પ્રભુ , પોતાનો પ્રેમ પૃથ્વી પર વર્ષા દ્વારા પ્રગટ કરેછે . પરંતુ   આપણે તે પરમ પિતા નો પ્રેમ   “ મા ”   પૃથ્વી સુધી લઈ જઈએ છીએ ખરા ? અંતરીક્ષ જળ નો સંગ્રહ કરી ને આખું વર્ષ તે જ પાણી પીવા માટે ઉપયોગ કરીશું તો તેટલું પાણી આપણે ધરતી માંથી ઓછું ખેંચીશું ને .. તે પણ આપણે માતા પૃથ્વી ને મદદ કરી ગણાય . ખેત તલાવડી દ્વારા પાણી નો સંગ્રહ કરીએ . કુવા , તળાવ , પાણી ના બોર રીચાર્જ ...