Posts

Showing posts from July, 2019

સુકુમાર સૌંદર્ય એટલે રસ સાર

નાના બાળક માં સૌને ભગવાન દેખાય. બાળક નિર્દોષ છે , નિષ્પાપ છે , સરળ છે , સૌને તે પ્રેમ કરેછે... તે તો છે જ.. પરંતુ તેનું સૌંદર્ય સુકુમાર છે. સૌંદર્ય જ્યાં જ્યાં છે ત્યાં મન સહજ જ ખેંચાઈ જાય. સીતા માતા ના સૌંદર્ય માટે   “સૌંદર્ય ખનીચી”   શબ્દ વપરાય. તેમના થી અધિક સૌંદર્ય વિશ્વમાં કોઈનું નહિ.   મૂર્તિપૂજા એટલા માટે છે કે તેમાંથી પ્રેરણા મળે કે , ‘ મારે સુંદર રહેવું છે’ ... કારણ મારો ભગવાન સુંદર છે. કૃષ્ણ કનૈયો સુંદર છે.   સુંદરતા એ સાપેક્ષ છે. પ્રત્યેક માતા ને પોતાનો બાળક સુંદર જ લાગે. થોડોક આધ્યાત્મિક વિચાર કરીએ તો...   જેમનું કર્તુત્વ , બુદ્ધિમતા અને કુશળતા પ્રત્યેક માણસ સુખી થાય તે માટે વપરાય છે તે વ્યક્તિ મનોહારી છે , તે સૌને માટે સુંદર છે. આવું વર્ણન ભાગવત માં રાજસૂયયજ્ઞ ના સમય માં ઉદ્ધવજી એ કૃષ્ણપ્રભુ ને માટે મનોહારી સૌંદર્ય શબ્દ નો ઉપયોગ કર્યો છે.   સુકુમાર સૌંદર્ય એટલે સાતેય ધાતુઓ જેની પરિપૂર્ણ છે તે પરંતુ વિશેષ કરીને જે રસધાતુ થી પુષ્ટ છે , રસધાતુ એ હૃદય ની તંદુરસ્તી નું પણ સૂચક છે. રસધાતુ નો ક્ષય થાય તો હૃદય ના ધબકારા વધી જાય....

ભગવાન ( અગ્નિ ) સૂઈ જાય ત્યારે...

કેયુર ભોજન કરતા સમયે ભગવાન ને યાદ કરે , ભોજન ને પણ વંદન કરે ને પછી જ ભોજન કરે. એક સમયે કેયુર તેના શાળાના મિત્રો સાથે વરસાદ ના આહલાદ્ક વાતાવરણમાં કેદાર- જેસોર ના જંગલોમાં ફરવા ગયા , સાથે ટીફીન લઈને ગયા. ત્યાં જંગલ માં સમૂહ માં ભોજન કરતાં પહેલાં કેયુરે આંખો બંધ કરીને ,   “ અહં વૈશ્વાનરો ભૂત્વા....” ને    “ઔમ સહનાવવતુ ...” ની પ્રાર્થના બોલ્યો.   ત્યાં તેનો મિત્ર મનન કહે , અરે ! કેયુર.. તું આ શું બોલ્યો ? કેમ ! હું નિયમિત ત્રિકાળ સંધ્યા કરુંછુ. સવારે ઉઠીને , ભોજન કરતા સમયે અને રાત્રે સૂતા સમયે. ત્રિકાળ સંધ્યા એટલે ભગવાન ને થેંક્યું કહેવું. અરે , વાહ બહુ સરસ.   પરંતુ આ ભોજન કરતાં સમયે જે બોલ્યો તેનો અર્થ શું ?...   ભગવાન ગીતા માં કહે , હું પ્રત્યેક ના શરીર માં   અગ્નિ- જઠરાગ્ની- ભૂખ સ્વરૂપે રહીને , ખાવામાં આવતો   ખોરાક-   ચાવવો , ચૂસવો , ચાટવો અને પીવો   એમ ચારે ય પ્રકાર ના ખોરાક નું હું પાચન કરુંછું પરંતુ તેની એક શર્ત છે કે માણસે પ્રાણ , અપાન , વ્યાન , સમાન ને ઉદાન એમ પાંચ પ્રકારના વાયુ ની જો સમાન ગતિ રાખશો તો જ. ...

ભૂખ એ દરરોજ નું દર્દ

આજે માણસ એટલે કોણ ?. ભૂખ હોય તો ય ખાય નહિ ને ભૂખ ના હોય તો ય ખાય. .. . તેટલું જ નહિ ખાધા પછી ય ખાય , ના ખાવા નું ય ખાય... .   આવા આજના માણસ ને માટે આજ થી ૧૨૦૦ વર્ષ પહેલા આદ્ય શંકરાચાર્ય ના શબ્દો કેટલા યથાર્થ છે જૂઓ....   “ ભૂખ ને કાયમ નો રોગ જાણી   દરરોજ તે ઉપસ્થિત થાય ત્યારે તેની સારવાર કરવી.”   ભૂખ લાગવી તે રોગ , ભૂખ ના લાગે તે પણ રોગ અને ભૂખ ને શાંત કરવા ભોજન લેવું તે રોગ નું કારણ ?.. તો શું આપણે રોગી અવસ્થા માં જ કાયમી રહીએ છીએ... આ જેટલું સત્ય છે તેટલું જ અસત્ય પણ છે.   જે દુઃખ કરનાર છે તે રોગ છે. ખોરાક નું પાચન બરાબર નહિ થતાં , યોગ્ય સમયે ભૂખ ના લાગે તો શરીર ને શિથિલ કરી સર્વાંગ પીડા કરનાર રોગ ઉત્પન્ન થાયછે અને ભૂખ વ્યવસ્થિત લાગે પરંતુ યોગ્ય સમયે યોગ્ય આહાર લેવામાં ના આવે તો પણ તે રોગ નું કારણ બનેછે. ભૂખ ને કારણે માણસ શું નથી કરતો... ?.   ખોરાક ના પ્રયત્નો માં , ભૂખ સંતોષવામાં , જીભ ની લોલુપતા માં તે બધાજ રોગ , પીડા અને અનર્થ સહન કરવા તૈયાર થાયછે.              ...

વાંઝીયા મહેણું ભાંગે – રસોનતેલ

  સ્ત્રી જીવન નું શ્રેષ્ઠ   સુખ એટલે અપત્ય. કુળ ના સંસ્કારો ને વધારી ને તેની સુગંધ પ્રસરાવે છે તે એટલે સંતાન. પૂર્વજોની કીર્તિ વધારે તે પુત્ર. આ બધી વ્યાખ્યા અને ભાવનાઓ ને   કારણે ખોળા નો ખુંદનાર ની ઝંખના એટલી તીવ્ર હોય છે કે તે વિના નું જીવન અધૂરું કે મહેણું લાગે છે.                                    વંધ્યત્વ એટલે કે વાંઝીયા પણું મુખ્યત્વે પુરુષ ના કારણે થાય છે અને તેના કારણ ની તપાસ અને સારવાર પણ સહેલી છે. પરંતુ કેટલીક સ્થિતિમાં સ્ત્રી પણ વંધ્યત્વ નું કારણ હોય છે સ્ત્રી વંધ્યત્વ ના કારણો માટે આયુર્વેદ   માં એક સ્વતંત્ર અધ્યાય લખ્યો છે અને તેના ૩૦ કારણો જણાવ્યા છે. તેમના કેટલાક કારણો અને તેના ઘરેલું ઉપચાર વિષે અહી શાસ્ત્ર નો વિચાર અને અમારા અનુભવ વાગોળીશું. ૧. વામીની યોની – એટલે કે જે યોની શુક્રધાતુ નું વમન- ઉલટી કરી નાખે તે વામીની યોની. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ નો વ્યવાયિક સબંધ થયા પછી દોઢ કલાક પછી શુ...