Posts

Showing posts from July, 2017

રોગો નો રાજા – ક્ષય

જન્મ થી યુવાની સુધી વૃદ્ધિ, યુવાની માં સ્થિરતા અને ઘડપણ માં ક્ષય થાય તે સ્વાભાવિક છે. નાનું બાળક સૌને વહાલું લાગે કારણકે તેમાં દિવસે ને દિવસે નિત નવી વૃદ્ધિ દેખાય છે. વિકાસ દેખાય છે. વિકાસ થાય નહિ તો તે બીમારી છે. યુવાની માં સ્થિરતા છે, ધાતુઓ માં સ્થિરતા છે, જોશ છે, જોમ છે, ઉત્સાહ છે, કશુંક નવું જ કરવાની તેનામાં ધગસ છે. ... આ બધાજ ગુણોમાં વૃદ્ધિ છે. આ જો નથી તો તે યુવાન નથી, તે અકાળે બની ગયેલો ઘરડો છે. અને વૃદ્ધાવસ્થા માં તે અનુભવથી, જ્ઞાનથી, વિચારોથી ખુબજ વધી ગયેલો છે પરંતુ તેનામાં ધાતુઓ નો ક્ષય સહજ થતો જોવા મળે છે. આ બધું પ્રાકૃતિક છે, સાહજિક છે. આથી ઉલટું અકાળે ધાતુઓ નો ક્ષય જોવા મળે તો તેને રોગો નો રાજા ક્ષયરોગ, શોષરોગ, યક્ષ્માં કે રાજ્યક્ષમાં કહેછે. જે ચેપી છે. જેમાં શરીર ની રસ થી શુક્ર સુધી ની બધીજ સાતેય ધાતુઓ નો ક્ષય થાય છે. જેને આજે ટી.બી સાથે સરખાવવામાં આવે છે. ટી. બી માં ટ્યુબરક્યુંલસ બેસિલસ જંતુ ને મુખ્ય કારણ માનેલ છે. ·          ક્ષય ના કારણો અને લક્ષણો: ૧, વેગો ને રોકવાથી;.. મળ, મૂત્ર, વાયુ, છીંક, તરસ, ભૂખ, ઊંઘ, ખાંસી, ...

લોહી વહી જાય તે – “રક્તપિત”

શરીર માં થી કોઇપણ માર્ગ થી લોહી વહી જાય તેને આયુર્વેદે રક્તપિત કહ્યો છે. લોહી પ્રવાહી, ગરમ ને ખાટું છે. પિત પણ તેવું જ છે. બંને એક જેવા ભેગા થાય પછી શું થાય? પૂર જોશ માં વહેતી બે નદી ભેગી થાય ત્યાં ભમરી ઉભી થાય. આ ભમરી માં ભલભલો તરવૈયો પણ ડૂબી જાય. સંસાર માં પણ બેઉ ગરમ મિજાજ ના હોય તો શું થાય? ખટપટ બંધ જ ના થાય, સંસારિક જીવન જોખમ માં મુકાઈ જાય. એક વ્યક્તિએ તો બીજી માં સમર્પણ કરવું જ પડે તો જ સંસાર ચક્ર બરાબર ચાલે. ખારું, ખાટું, તીખું, તળેલું, જંકફૂડ,   દારૂ, તમાકુ, બીડી ને તડકા નું સેવન વધુ થતું હોય ને   ગરમ સ્વભાવ હોય, હાઈ એન્ટીબાયોટીક, સ્ટીરોઇડ ને પેઇનકિલર દવાઓ નું સેવન અધિક થાય ત્યાં પિત થી લોહી બગડે અને લોહી ના રક્તકણ, પ્લેટલેટ તૂટે, લોહી ની સંધાવાની પ્રક્રિયા અટકે તેથી લોહી વહેવા લાગે. લોહી ના આધારે તો જીવન ટકી રહ્યું હોયછે તેથી જીવન જોખમ માં મુકાય. તેથી   લોહી ને શુદ્ધ કરવું પડે, પિત નું વિરેચન કરવું પડે અને લોહી ના કણ સંધાય તેવા કડવા, તૂરા ને મધુર રસ વાળા ઔષધો ને ખોરાક નું સેવન કરવું જોઈએ તો જ આરોગ્ય ચક્ર બરાબર ચાલે. “નવ દ્વારે પૂરે દેહી”   આ શરીર મ...

કમળો મટાડવો સહેલો

                     એક યુવાન ની આંખો, ચામડી, નખ, મોઢું બધું જ હળદર સમાન હતું. એકાદ માસથી સારવાર ચાલતી હતી, છેવટે વૈધ ને બોલાવવાની સામાજિક ટેવ પ્રમાણે જવાનું થયું. જ્યારે એક માસથી તેના હળદર જેવા રંગમાં કોઈ ફાયદો ન હતો ત્યારે કંઈક ચમત્કાર કરવાનો વિચાર આવ્યો અને દ્રોણપુષ્પી ના ફળ નું પાણી ના નાકમાં ટીપા અમે સતત વારંવાર નાખતાં રહ્યા. એક વખત પાંચ સાત ટીપાં બને નાક માં નાખીએ એટલે પાંચ – દસ મિનીટ માં જ પીળા પાણી ની ધાર નાક માંથી થવા લાગે. આવું અમે દસ – દસ મિનીટ ના અંતરે કલાકેક સુધી ટીપા નાખ્યાં અને આંખ, મોંઢા ની સંપૂર્ણ પીળાશ તરત જ  ચાલી ગઈ. આ પ્રયોગના સાક્ષી મારા મિત્ર તે સમય ના જીલ્લા આયુર્વેદ અધિકારી મહેડું સાહેબ હાજર હતા.                    વડગામ તાલુકા ના એક યુવાન નું કુટુંબ સંપૂર્ણત: આયુર્વેદ ને જ સમર્પિત . યુવાન ને કમળો થયો જેનું Total Bilirubin Level નોર્મલ કરતા ઘણું જ વધારે આવેલું. તે યુવાન ને માત્ર સાત દિવસ માં જ રીપોર્ટ નોર્મલ આવ્યો તેની સારવાર મા...

એક કીડની માં દસ લાખ નેફ્રોન

ઈશ્વર આપણી ચોવીસે કલાક સેવા કરે છે બદલામાં કશું જ તે માંગતા નથી. નિરપેક્ષ અને નિરાકાંક્ષ પ્રેમ, આવો પ્રેમ હું સમગ્ર સૃષ્ટિ પ્રત્યે કરતાં જાંઉ તો માનવતા કહેવાય. ઈશ્વર ની સેવા ને સમજવા મટે તેના ગુણો ગાઈએ તેટલા ઓછા પડે છતાં આજે આપણે કીડની ને સમજવા નો પ્રયત્ન કરીએ.         ચાર ઇંચ લાંબી, અઢી ઇંચ પહોળી અને દોઢ ઇંચ ઉંચી આવી નાનકડી એક કિડનીમાં ભગવાને લોહીને શુદ્ધ કરવા માટે સુક્ષ્માતિસુક્ષ્મ નલિકાઓ ના સમૂહનાં બનેલાં અને વાંકાચૂકા ગૂંચળામાં ગોઠવાયેલા  બે ઇંચ લંબાઈ ના નેફ્રોનની સંખ્યા એક કીડનીમાં દસ લાખ ની છે એટલે કે બે કીડનીની બધી નેફ્રોનની લંબાઈ ની ગણતરી કરીએ તો આશરે એંસી કિ.મી. લાંબી નળી થાય અને નેફ્રોનની ચારેબાજુ ધમનીની કેશવાહીની વીંટળાઈ ને લોહી ચોખું કરે છે.                  લોહી ફરતું ફરતું કેશવાહીનીઓ માં આવે એટલે નેફ્રોન તેમાંથી પાણી અને ક્ષાર ગાળી લે છે. જે દોઢથી બે લીટર સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એમોનીયા ના ક્ષાર ને મીઠું હોય છે ઉપરાંત યુરિક એસીડ, પણ હોય છે.      ...

એક કીડની માં દસ લાખ નેફ્રોન

ઈશ્વર આપણી ચોવીસે કલાક સેવા કરે છે બદલામાં કશું જ તે માંગતા નથી.  નિરપેક્ષ અને નિરાકાંક્ષ પ્રેમ, આવો પ્રેમ હું સમગ્ર સૃષ્ટિ પ્રત્યે કરતાં જાંઉ તો માનવતા કહેવાય.  ઈશ્વર ની સેવા ને સમજવા મટે તેના ગુણો ગાઈએ તેટલા ઓછા પડે છતાં આજે આપણે કીડની ને સમજવા નો પ્રયત્ન કરીએ.         ચાર ઇંચ લાંબી, અઢી ઇંચ પહોળી અને દોઢ ઇંચ ઉંચી આવી નાનકડી એક કિડનીમાં ભગવાને લોહીને શુદ્ધ કરવા માટે સુક્ષ્માતિસુક્ષ્મ નલિકાઓ ના સમૂહનાં બનેલાં અને વાંકાચૂકા ગૂંચળામાં ગોઠવાયેલા  બે ઇંચ લંબાઈ ના નેફ્રોનની સંખ્યા એક કીડનીમાં દસ લાખ ની છે એટલે કે બે કીડનીની બધી નેફ્રોનની લંબાઈ ની ગણતરી કરીએ તો આશરે એંસી કિ.મી. લાંબી નળી થાય અને નેફ્રોનની ચારેબાજુ ધમનીની કેશવાહીની વીંટળાઈ ને લોહી ચોખું કરે છે.                  લોહી ફરતું ફરતું કેશવાહીનીઓ માં આવે એટલે નેફ્રોન તેમાંથી પાણી અને ક્ષાર ગાળી લે છે. જે દોઢથી બે લીટર સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એમોનીયા ના ક્ષાર ને મીઠું હોય છે ઉપરાંત યુરિક એસીડ, પણ હોય છે.      ...

કમળો કેવીરીતે મટે ? [How to treat Jaundice ?]

કારણ વિના કાર્ય ની ઉત્પતિ થતી નથી. કોઈ પણ રોગ થવા માં ખોરાક, રહેણી-કરણી કે માનસિક ભૂલો જવાબદાર છે જ. લોહી ઓછું થવું એ કદાચ અપચો, પોષણ નો અભાવ જેવા ઘણા કારણો નો આપણે હમણાં જ ગયા લેખ માં જ વિચાર કર્યો. પરંતુ કમળો થવા માં પણ તે જ કારણો ઉપરાંત લોહી ઓછું હોય ને ગરમ ખોરાક, ગરમ દવાઓ વધુ પ્રમાણ માં લેવા માં આવે તો કમળો થાયછે. દર્દી ને સામાન્ય તાવ આવેછે ને તરતજ  તાવ દબાવનારી દવા લેવામાં આવેછે ને  આપણે સંતોષ માનીએ કે “તાવ તરતજ મટી ગયો હો.......” પણ ભાઈ તમે તાવ ને દબાવી ને મરડો ને કમળો ના બીજ વાવી આવ્યા છો તેની તમને ખબર જ નથી. અને કમળા ની દવાઓ માં પણ જ્યાં સુધી કડવા રસ થી યુક્ત શક્તિ તથા અગ્નિ જાળવી રાખીને પંચકર્મ વૈદ્ય ના માર્ગદર્શન થી કોમળ વિરેચન- ઝાડા કરવામાં ના આવે ત્યાં સુધી કમળો મટતો નથી અને કમળા માંથી અન્ય રોગો મરડો, મધુમેહ, ક્ષય, લીવર નો સોજો, સીરોસીસ ઓફ લીવર, જલોદર- પેટ માં પાણી ભરાઈ જવું, કીડની નબળી પડવી જેવા રોગો  ઉત્પન્ન થાય છે. જે માણસ ને લોહી ઓછું હોય ને પછી કમળો થાય તેમાં તેની આંખો, ચામડી, નખ તથા મોઢું  હળદર જેવાં જ પીળાં થઈ જાય, તેને કોઈપણ કામ કરવાનો ઉ...

“પાંડુ”...... લોહી ઓછું થઇ જવું.

તમને વિટામીન બી ૧૨, ડી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ની જરૂર છે, મિનરલ ની જરૂર છે આવું બધું તબીબ રીપોર્ટ કે લક્ષણો થી કહે પરંતુ  સામાન્ય માણસ તો આ બધું કેવી રીતે સમજે? લોહી ઓછું થાય તો તે તરત સમજે. ........હા.... શ્વાસ ચડે, થાક લાગે, ભય લાગે, હૃદય ના ધબકારા વધી જાય, અશક્તિ લાગે, ચહેરા ઉપર ફિકાશ જોવા મળે, ચહેરા ઉપર સફેદ છાપ – ઝાંય દેખાય, ખંજવાળ આવે, ચક્કર આવે, તાવ- તરસ વધુ લાગે, આંખ ની નીચે સોજા- થેથર થઈ આવે, કામ માં આળસ આવે, વારંવાર થૂંકવા નું મન થાય  કે તરત સમજી જવાય કે લોહી ઘટ્યું છે.   લોહી તો જીવન છે. શરીર માં સાત ધાતુઓ છે. રસ, લોહી, માંસ, ચરબી, અસ્થિ, મજ્જા અને શુક્ર. બધી જ ધાતુઓ ની અગત્યતા છે. બધી જ ધાતુઓ સંપૂર્ણ શરીર માં રહેલી છે દરેક નું પોતપોતાનું કાર્યક્ષેત્ર છે.  છતાં પણ લોહી એ જીવન છે કારણકે શરીર ના પ્રત્યેક અંગ ને જરૂરી પ્રાણવાયુ અને ધાતુ પહોચાડવાનું કામ – ટ્રાન્સપોર્ટેશન  નું કામ લોહી કરેછે. તેથી લોહી ની યોગ્ય માત્રા ની સાથે શુદ્ધતા ની પણ ખૂબજ જરૂરી છે. આજે લોહી નો વિચાર ખૂબજ થયો છે પણ લોહી ની શુદ્ધતા ના વિષય માં આયુર્વેદ નું જ્ઞાન ઘણુંજ ઊંડું અને...