Posts

Showing posts from 2019

ઘી પીવાની પધ્ધતિ

હવે જાણે તંદુરસ્ત સમાજ નું નિર્માણ થઈ રહ્યું હોય તેવા અણસાર આવતા જાયછે. આજકાલ સૌને   દેશી ગાય નું દૂધ ને ઘી પીવાની જાણે હરિફાઇ લાગી હોય તેવુ જણાય છે , જૈવિક ખેતી ને તેના જ શાકભાજી પ્રત્યે ના પ્રેમ ની   વાતો ચોરે ને ચૌટે   થાયછે , આયુર્વેદ ની ઔષધી   લેવા નું ગૌરવ વધ્યું છે. પહેલા પંચકર્મ ને પછી દવા તેવો આગ્રહ હવે વધ્યો છે. બિમારી આવે જ નહી તે માટે પંચકર્મ કરાવવાની સમજણ   સામાન્ય જનમાનસ માં ઉભી   થતી   જાયછે.   એક સમયે ઘી નું નામ સાંભળી ને મોઢું   બગાડનારા હવે ખુશી થી ઘી પીવાની વાત કરેછે.     જે લોકો સારી ભૂખ ની   ઇચ્છા રાખતા હોય , જેમને નિર્ણાયક બુધ્ધિ , એક જ વખત સાંભળેલું યાદ રહી જાય તેવી સ્મૃતિ , મેધા નામની ધારણા શક્તિ ની જરુર છે તે બધાએ દેશી ગાય ના દૂધ માં થી બનતું સાચા ઘી નું તેમણે   સેવન કરવુ જોઇએ. એટલુંજ નહી જેમને ઉત્તમ સ્વર , તંદુરસ્ત આયુષ્ય અને સૌંદર્યવાન- વર્ણ ની ઇચ્છાવાળા માટે પણ ઘી નું સેવન ઉત્તમ છે.   જેમને ઝાડા , આમદોષ , ગળા ના , પેટ ના , કફ ના , કૃત્રિમ ઝેર ના , તરસ ના કે દારુ પીવાથી જે રોગ...

કફ ને બહાર કાઢો..

  શિયાળો આવ્યો , સવાર ના 4 - 5   વાગ્યા ના સમયે અંતરિયાળ રોડ ઉપર યુવાનો ને દોડતા જોઇને સમજી શકાય કે , હવે બળ ભેગુ કરવાનો સમય આવી ગયો છે. બિમારી હટાવવા ને યૌવન નો ઉત્સાહ , સ્ફુર્તિ ને ચૈતન્ય મેળવવા નો સમય એટલે જ શિયાળો.   શિયાળા મા સૌ કોઇ તંદુરસ્ત હોય પરંતુ શરદી , ખાંસી , શ્વાસરોગ -દમ , કફ નો ભરાવો હોય તે વિશેષ હેરાન થતા હોયછે. ફેફસાં અને સર્વત્ર ચોંટી ગયેલો કફ થોડી પણ ગરમી મળતાં જ પીગળે છે , જે શ્વાસ મા અવરોધ કરે , શરદી , ખાંસી ને શ્વાસરોગ ઉત્પન્ન કરે , ઉપરાંત કફ ના રોગો ... આળસ , ખંજવાળ ,   ધાધર , પાક , સોજા જેવા રોગો થાયછે.   આ બધા જ દર્દ માં   થી બચવાનો ને થયેલા કફ ના રોગો દૂર કરવાનો , દિર્ઘાયુષ્ય   મેળવવા નો , થાક દૂર કરવા ને વાયુ નું શમન કરવા , ભૂખ લગાડવા ને ઊંઘ સારી લાવવા , આંખો નું તેજ વધારવા ને મજબૂત શારીરિક બાંધા થી સૌંદર્યવાન બની રહેવા માટે માલિશ જરુરી છે.   દરરોજ આખા શરીરે માલિશ કરવુ જોઇએ. શિયાળા માં   તો વિશેષ. પરંતુ તેવુ શક્ય ના બને તો માથું , કાન અને પગ માં તો ખાસ માલિશ કરવુ જોઇએ.   દરરોજ સવારે તલ ના તેલ ...

માથાનો દરવાજો ' નાક '

આબરુ વિનાનો માણસ એટલે ' નાક ' વિનાનો માણસ. આબરુ , પ્રતિષ્ઠા , સૌંદર્ય નું પ્રતિક જેમ ' નાક ' છે , તેમ તમાં માનસિક રોગો , માથા ના રોગો , વાળ ના રોગો , નાક , કાન , ગળું , દાંત , પેઢા , હડપચી , ખીલ , સૌંદર્ય ના રોગો અને શરીર નો લકવો જેવા જ્ઞાનતંતુ ના રોગો તથા આરોગ્ય માટે ' નાક ' થી ઉત્તમ કોઇ અંગ કે સાધન ઇશ્વરે શરીર મા આપ્યું નથી તેવુ ઘણી વખત લાગેછે.   માણસ શરીર થી ઘરડો થતો નથી , મન થી ઘરડો થાયછે. અન્યથા 180 વર્ષ ના ભિષ્મ પિતામહ યુવાન ન કહેવાયા હોત!!. મન ને મજબૂત કરનાર જેમ આધ્યાત્મિક સાધના સ્વાધ્યાય છે તેમ ચિકિત્સા ની દ્રષ્ટિ એ નાક દ્વારા થતા પ્રયોગો.... જલનેતી , સૂત્રનેતી જેવા યૌગિક પ્રયોગો છે તેમ ઔષધિય પ્રયોગો માં નસ્ય કર્મ છે.   1, સ્નેહ નસ્ય - નાક માં   ઔષધ યુક્ત તેલ ના વિધિવત ટીંપા નાખવા. 2, પ્રધમન નસ્ય - નાક માં ચૂર્ણ ફુંકવુ. 3, અવપિડ નસ્ય - નાક માં વનસ્પતિ નો તાજો રસ ના ટીંપા પાડવાં.   જેમ બ્રહ્માંડ માં   વાયુ બળવાન છે તેમ આપણા   શરીર માં   પણ બધાજ દોષ , ધાતુ , મળ , અગ્નિ માં વાયુ જ બળવાન છે. વાયુ સર્વત્ર વ્યાપ્ત છે તેથી તો વાયુ...

પંચકર્મ પદ્ધતિ

એપ્રિલ’ ૮૫ માં અમે જયારે “ અમૃત આયુર્વેદ કેન્દ્ર ” માં સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિ થી થતાં “પંચકર્મ સારવાર કેન્દ્ર” ની શરૂઆત કરી ત્યારે દર્દી થી અધિક આ “ પંચકર્મ ” શું છે ?.   તે પુછવા   વધુ આવતા. હવે તો ઘણું પરિવર્તન આવ્યું છે.   હવે લોકો સારી તંદુરસ્તી જળવાઈ રહે તે માટે , ઉત્તમ સંતાન ની પ્રાપ્તિ માટે , કોઈથી પણ ના મટી શકે તેવા દર્દ મટાડવા માટે , દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ માટે , શ્રેષ્ઠ સૌંદર્યની પ્રાપ્તિ માટે , મન- બુદ્ધીની તાકાત વધારવા માટે , યાદશક્તિ ને મેધાશક્તિ વધારવા માટે , તમામ દર્દ સહેલાઈથી ને ઝડપથી મટાડવા માટે , દર્દની દવા પહેલા , દવા ખાવા પ્રત્યે અરુચિ રાખનારા લોકો (કારણકે બસ્તિ માં માત્ર ગુદા માર્ગથી જ દવા આપીને દર્દ દૂર થાયછે.).... આવા અનેક કારણથી હવે લોકો પંચકર્મ માટે જાગૃત થયાં છે ત્યારે હવે સૌએ એ જાણવું જરૂરી થયું છે કે આયુર્વેદ ના ગ્રંથો માં વર્ણવેલ પંચકર્મની સાચી પદ્ધતિ શું છે ?. તે કેવી રીતે કરવામાં આવેછે.   નિશાન ચૂક માફ .. આ કહેવતને પંચકર્મ ખોટી પાડીને કહેછે કે , “ નિશાન ચૂક પણ માફ નહિ , નહિ માફ નીચું નિશાન.” ... તો આવો આપણે સમજીએ પંચકર્મ...

વજન વધારવું છે?.

વર્ષો પહેલા એક વાર્તા સાંભળેલી કે , એક દુ:ખી માણસ પ્રાર્થના કરેછે , પ્રભુ પ્રસન્ન થાયછે. તે સુખ માંગે છે.   ભગવાન કહે , જે કોઇ સુખી , આનંદી   હોય તેનો કોટ પહેરીશ.. તને સુખ મળશે. તે ખૂબ ફરેછે. કોઇ સુખી મળતો નથી.   આવી જ સ્થિતિ આજે વજન વધારવા ને ઘટાડવા વાળા લોકો ની છે.   વજન ના વિચારો અને તેની ચિંતા માં , તેની ભ્રમ જાળ માં અહી થી તહીં ફર્યા કરેછે. અશ્વગંધા , જીંન્સેંગ , માંસ , ઇંડા , અડદિયા પાક નું સેવન કરેછે. આથી કોઇ ને ફાયદો થાય પણ ખરો.... ➖ કોઇ.. વળી ઉંટ ડોકટરો ની સલાહ પ્રમાણે સ્ટિરોઇડ પણ લ્યે..!!! પરંતુ તેઓ બિચારા જાણતા નથી. પરંતુ દવા તેમને માફ કરે નહિ. તેમની કિડની ને હાડકા નબળા પડે છે.   તેથી સાચી વાત તો એ છે કે વજન વધારવા માટે આમ તેમ ફરવા કરતા સ્થિર મન થી વિચારી ને વજન નહિ વધવાનું કારણ   શોધીને તેની યોગ્ય સારવાર કરવી જોઇએ અથવા તેવા યોગ્ય અનુભવી વૈદ્ય ની   સલાહ લેવી જોઇએ.   મન શાંત રાખવુ :   ➖ ચિંતા થી ચતુરાઇ ઘટે , ઘટે રુપ , ગુણ ને જ્ઞાન.. મન કે જીતે જીત , મન કે હારા હાર.. મન શાંત ને મજબુત હોય તો શરીર પણ બલવાન બને....

ભોંય આમલકી – તામલકી

આમળાં નું વૃક્ષ તો બધાયે જોયું જ હોય અને કોઈએ ભૂલ થી ના જોયું હોય તો આજે જ જોઈ આવજો.... અન્યથા તમારી મશ્કરી થશે. આ જે આમળાં છે અને તે જેવી રીતે તેના વૃક્ષ ઉપર તેના પાંદડા ની આડસ માં રહેલા છે... તેવી જ રીતે રહેલા ને ચોમાસા માં ઠેર- ઠેર ઉગી નીકળતા પરંતુ સાઈઝ માં સાવ નાના અને તેનું વૃક્ષ નહિ પણ સાવ નાનો ક્ષુપ- એકાદ ફૂટ ની જ ઉંચાઈ નો જ છોડ ભોંય આમલકી નો થાયછે. આ છોડ ને સંસ્કૃત માં તામલકી કહે ને લેટીન માં ફાયલાન્થાસ નીરૂરી કહે. આ છોડ અત્યારે લોકો ના પગ તળે કચડાય છે ત્યારે આ દ્રશ્ય જોઇને કવિ વૈદ્ય શોભન થી એક હૃદય ને રડાવે તેવી કવિતા લખાઈ જાયછે...... રડતી.... આ રડતી.... આ દિવ્ય ઔષધી રડતી. લોકોના અજ્ઞાન ને કારણે તે આગ મહીં   હડહડતી દર્દ દુનિયા ના દૂર કરનારી... આ દિવ્ય ઔષધી રડતી.   અશક્તિ , ધાતુક્ષય , શ્વાસ નો રોગ , ચામડી ના રોગો , તાવ , કમળો , પાંડુ , કિડની ફેલ્યોર , અપચો , મરડો , લીવર- બરોળ- અગ્ન્યાશય- કીડની નો સોજો- આંતરડા નો સોજો મટાડવાની શક્તિ ધરાવનારી   ઔષધી - આ તામલકી વન- વગડા માં ઉભી- ઉભી રડતી રહેલી છે... કારણ...        ...