Posts

Showing posts from 2020

તુલસી થકી ભોજન પ્રસાદ

તુલસી શ્રી સખી શિવે, પાપહારિણિ  પુણ્ય દે. નમસ્તે નારદનુતે નમો નારાયણ પ્રિયે.. વિચાર કરીએ કે ભગવાન પણ ભોજન માં તુલસીપત્ર હોય તો જ ભોજન કરેછે.. તો... આપણે તો તેવું કરવું જ જોઇએ ને! કોરોના જેવા કેટલાય વાયરસ ને અન્ય ઉપદ્રવો થી બચવા માટે આપણા ઋષિઓ એ કેવી સુમધુર કલ્પના આપી છે કે... ભોજન પહેલા પ્રભુ ને તુલસીપત્ર સાથે થાળ ધરાવવાનો પછી તે ભોજન પ્રસાદ બની જાય..પ્રસાદ એટલે પ્રસન્નતા. જ્યારે તે ભોજન દોષમુક્ત બને તો જ પ્રસન્નતા આપે ને! અત્યારે એવું કહેવાય છે કે, કોરોના થી કોણ બચી શકશે? .. તો .. જેમની રોગપ્રતિકાર શક્તિ કોરોના ની સામે ટકી શકે તેવી હશે તેમને જ તે નહી થાય. રોગપ્રતિકાર શક્તિ વધારવાના ઘણા ઉપાયો છે તેમાં મુખ્ય છે તુલસી, ગળો, આમળાં ને અશ્વગંધા. આમાં સૌના ઘરે સરળતા થી આખું વર્ષ મળતી દિવ્ય ઔષધી એટલે તુલસી. તુલસી થી ભૂખ લાગે, ખાધેલો ખોરાક પછી જાય, હૃદય ને તે બળ આપેછે, ગરમ ને તીખી હોવાથી કફ ને વાયુ ના રોગો હટાવે છે. તુલસી પાપહારિણિ છે એટલેકે.. મચ્છર, કોરોના જેવા વાયરસ ને અને તેથી થતા રોગોનો નાશ કરનાર છે. શરદી, ખાંસી, તાવ, મલેરિયા, ગળાનો સોજો, આંખ નો સોજો, અરુચિ, આધાશીશી, કરમિયા...

એરંડ પ્રધાન.

👉🏻 ખેતીવાડી માં સાચે જ કહ્યું છે કે, જ્યાં કશુંજ ના ઉગે ત્યાં  એરંડો તો ઉગે જ. તેથી કહેવત પણ આવી કે, 'ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન'. પરંતુ આ એરંડ તો રોગ મટાડવા માં  પણ પ્રધાન ઔષધ છે. 👉🏻 વાયુ શમન માં - પિત્ત પાંગળો, કફ પાંગળો, પાંગળા છે સર્વ મળ ને ધાતુઓ.. તેમાં વાયુ છે એક જ બળવાન. જેમ વાદળ ને ખેંચી ને લઈ જાયછે વાયુ.... આવા વાયુ ને કાબુ માં રાખનાર કોઇ ઔષધ હોય તો તે છે...   'એરંડો'. 👉🏻 એરંડ પ્રધાન : ઓછા પાણીએ, ઓછી દવાએ, રેતાળ જમીન માં પણ ઉગે, લાંબા પાન ને ઊંચો ઉગે, ઉંડા મૂળ ને ઢંકાયેલા બીજ ની માળ આપનારો એરંડો .. ઔષધ માં આખોય ઉપયોગી છે.   👉🏻 વીર્ય વધારનાર, બળ આપનાર, વાંઝિયા મહેણું  ભાગનાર, આમવાત, સંધિવાત, વાતકંટક, રાંઝણ, ઉરુસ્તંભ, આફરો, વાયુ થી થતો માથાનો દુ:ખાવો, હૃદય નો દુ:ખાવો, મુશ્કેલી થી થતી પ્રસુતિ, જૂની કબજિયાત, સૂકા મસા, કાન નો દુ:ખાવો, કમર નો દુ:ખાવો, યોનિ નો દુ:ખાવો મટાડનાર એરંડ છે. 👉🏻 વાંઝિયા મહેણું ભાંગનાર છે એરંડ: એરંડા ના મૂળ ના ઉકાળા માં  એરંડતેલ - દિવેલ મેળવી ને વારંવાર ગુદા માર્ગ થી બસ્તિ આપવાથી પુરુષ ના શુક્ર ના કણ માં વધ...

મજબૂત બનો..એ જ ઉપાય.

60 થી વધુ દિવસો ના લોકડાઉન થી ચોક્કસ કોરોના ના વધુ ફેલાવા ઉપર કાબુ રાખી શક્યા…. પરંતુ…શું કોરોના સંપૂર્ણ જશે ? … આ પ્રશ્ન નો જવાબ….. " મજબૂત બનો" આ એક જ આપી શકાય. "વીર ભોગ્યા વસુંધરા" સૂત્ર ને આધાર બનાવીને જીવવાની ટેવ પાડવી પડશે. 👉🏻 આ સૂત્ર માં બીજા ઉપર આક્રમણ ની વાત નથી પરંતુ.. તન ને મન થી મજબુત બનવાની વાત છે. .. નિત્ય નિયમિત વ્યાયામ, આસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર ની સાથે પ્રાર્થના, પૂજા, મૂર્તિપૂજા, ધ્યાન દ્વારા તન ને મન ને મજબૂત બનાવીને વીર બનીશું.. તો જ કોરોના થી દૂર રહી શકીશું. 👉🏻 આજે દુનિયા માં 50 લાખ થી વધુ સંક્રમીત થયા છે તેમાં.. 22 લાખ લોકો સાજા થયા છે. .. એટલેકે રોગ ગંભીર નથી, તેનો ફેલાવો ગંભીર છે.. અને તે તેમને ચોક્કસ થાયછે કે જે લોકો.. માસ્ક પહેરવો, એકબીજા થી સામાજિક અંતર એક મીટર નું જાળવી રાખવું, વારંવાર સાબુ થી અથવા સેનેટાઇઝર થી હાથ ધોવા ની કાળજી જે લેતા નથી તેમને આ રોગ ઝડપથી ફેલાય છે.. આ બધી વાતો તો હવે તો…. નાના ગામડા ની અભણ બહેન થી માંડી ને આરોગ્ય ના નિષ્ણાત સુધી બધાજ જાણતા થયા છે. પરંતુ… 👉🏻 આટલું પૂરતું હવે નથી.. જેને આજની ભાષા માં હર્ડ ઇમ્...

સહુ નો સાથ, કોરોના નો નાશ

મહામારી - કોરોના ,   આ મારક વ્યાધિ જરુર છે પરંતુ તેની સામે આપણે સૌએ સાથે મળીને પ્રતિકાર કરીશું તો ચોક્કસ તેનો નાશ કરી શકીશું.   સાથે મળીને , પવિત્ર ભાવના થી , સૌના હિત માટે , ભારતમાતા ની સેવા ની ભાવના થી કોઇપણ કામ કરીએ તો તે યજ્ઞ બની જાય.   સૌ પોતાને આ રોગ ને નાથવા માટે ના યજ્ઞ નો જવાબદાર સમજે અને સરકાર   દ્વારા અપાતી પ્રત્યેક સુચના નું બરાબર પાલન કરે.   સૌ પોતાના ઘરે દરરોજ તુલસી , આદું , હળદર , લીમડો ,   કાળામરી , ગોળ સાથે નો ઉકાળો દરરોજ પીવાનું રાખે.   સુદર્શન , દશમૂલ , પથ્યાદિ , ભારંગ્યાદિ માં થી કોઇપણ એક અથવા તેમાં થી કોઇપણ ભેગા કરીને તેનો ઉકાળો સવારે ને સાંજે 15 થી 40 મી.લી જેટલો વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય.   ઉકાળો બનાવવાની વિધિ : ઉપર બતાવેલ ઔષધી નો ભૂકો 10 ગ્રામ + લીમડો , તુલસી , આદું ને કાળામરી 10 ગ્રામ તેમાં 10 ગ્રામ ગોળ.   આ મિશ્રણ ને 500 મી.લી. પાણી સાથે સ્ટીલ ના વાસણ માં ઉકાળવું 125 મી.લી રહે ત્યાં સુધી ઉકાળી , ગાળી , ઠારી ને નાના બાળક ને 15 મી.લી ને મોટી વ્યક્તિ ને 40 મી.લી પીવો. સવારે ને સાંજ...

આંખ ને વાળ માટે... સપ્તામૃત

આંખ ના નંબર થી સૌ પરેશાન.   નાના બાળક ને જ્યારે નંબર આવે ત્યારે તો ઘર ના સભ્યો ને તેના ભવિષ્ય ની ચિંતા સતાવે પરંતુ કરે પણ શું ?. તેનો કોઇ ઉપાય જ કોઇને મળતો નથી ને!!!   ડુબતા ને જેમ તરણા માં આશા દેખાય તેમ વિચારી ને પણ આયુર્વેદ ના ઔષધ ને અનુભવી વૈદ્ય ની સલાહ ઉપયોગી બનેછે.   આ ઔષધ થી નંબર જાય જ તેવી કોઇ ખાત્રી નથી કારણ કે દરેક રોગ ના કારણો વ્યક્તિ પ્રમાણે અલગ - અલગ હોય તેમ ઉપચાર પણ અલગ થાય તેથી વૈદ્ય નું માર્ગદર્શન જરુરી છે.   આંખ માટે : આંખે અંધારા આવવા , ઓછું દેખાવું , ચશ્મા ના નંબર વધવા માં આ ઔષધ ઉત્તમ છે. આ ઔષધ ના સેવન થી આંખો નુ તેજ વધેછે , આંખો ની   નબળાઇ દૂર થાયછે.   વાળ માટે: વાળ એ   અસ્થિ ધાતુ માં થી બનેછે. જેમની સાતેય ધાતુ પુષ્ટ હશે , ચિંતા મુક્ત જીવન હશે , મન પ્રસન્ન હશે તેમના વાળ સુંદર , ઘટ્ટ , જાડા , મુલાયમ , લાંબા હશે.   સૌંદર્ય ની ભાષા માં કહેવું હોય તો... જે છોકરી ના વાળ લાંબા , સુંદર , મુલાયમ , ઘટ્ટ ને કાળા હશે તેનું મન પ્રસન્ન હશે , તે શાંત હશે , હોશિયાર ને બુધ્ધિશાળી હશે... તેથી જ તેવી છોકરી વધુ સૌંદર્યવ...

હોળી આવી, કોરોના નો ઉપાય લાવી

  ધરતી ઉપર ભગવાન નુ નામ ને તેની ભક્તિ ના માધ્યમ થકી નંદનવન સર્જવા ની કલ્પના કરનાર પ્રહ્લાદ ને મારી નાખવાનું   આયોજન થયું તે હોલિકા દહન અને તે નિષ્ફળ બન્યો ને પ્રહલાદ ને જીવન મળ્યું તેની ખુશાલી એટલે ધુળેટી નો તહેવાર.   આપણા જીવન માં પણ રાગ , દ્વેષ , રોગો નું નિંદામણ કરવા માટે , કોરોના જેવા રોગો આવે જ નહી તે માટે-- બધાજ રોગો નું કારણ એવા મંદાગ્નિ ને દૂર કરવા ને અગ્નિ ને પ્રજ્વલિત કરવા , હતાશા , નિરાશા ને માનસિક થાક દૂર કરવા ઇશ્વર ઉપર ની શ્રધ્ધા ને ભક્તિ દ્વારા જીવન સ્વસ્થ ને પ્રસન્ન બનાવવા નો પ્રયત્ન આ હોળી ને ધુળેટી ના ઉત્સવ દ્વારા થાય તે જરુરી છે.   કોરોના વ્યાધિ આપણી આસપાસ આવી ગયો. ત્યારે હોળી ઉત્સવ તેનો ઉપચાર સુચવેછે. રાત્રે જ્યારે શેરી માં   ને કોમન પ્લોટ માં હોળી પ્રગટાવાય ત્યારે હોળી ના અગ્નિ માં આપણે   ધાણી , ખજુર ને શ્રીફળ તેમાં પધરાવીએ છીએ તેની સાથે હળદર , કપૂર , ગુગળ , લિંબડો પણ જો હોળી ના અગ્નિ માં પધરાવીશુ તો... કોરોના જેવા ચેપી ને માણસો ના સમૂહ નો નાશ કરનારા રોગો ને આપણે નાથી શકીશું.   મંદિરો માં આરતી સમયે સવારે ને સાંજે આપણે...

ચાલો... વસંત માં વિહાર કરીએ!

તુલસીકૃત રામાયણ માં વર્ણન છે કે શિવજી નો તપોભંગ કરાવવા માટે આબાલ વૃધ્ધ સૌને મોહિત કરનાર કામદેવે વસંત ની   રચના કરી. સૃષ્ટિ ની સુંદર સજાવટ કરી , પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી , તેને જોઇ મોર , પોપટ , કાબર , કોયલ નાચવા લાગ્યા , જંગલો માં તો જાણે પોપટ નુ સામ્રાજ્ય ઉભું થયુ - પોપટ ખુદ ભૂલો પડી જાય કે અહી મારી ચાંચ ક્યાથી આવી તેવા કેસુડા સૌનું મીઠું , મધુરુ હસતાં - હસતાં સ્વાગત કરે ત્યારે કહો જોઇ , કોણ દિલ થી ખુશ થયા વિના રહી જાય ?   શિવ બનવુ હોય તો કામ ને બાળો:   દિવસે ગરમી ને રાત્રે ઠંડી , ઠંડો ગુલાબી પવન ફુંકાતો હોય ને લગ્ન ની શરણાઇઓ ના સુર ચારેબાજુ સંભળાતા હોય , અવનવું ચટાકેદાર ખાવાનું મન થતું હોય , ગલ્યુ , ખાટુ , ખારુ ને ઠંડુ ખાવાનું મન થતું હોય ત્યારે ખોરાક ઉપર નો સંયમ રાખવો ઘણો અધરો બની જાય ત્યારે જાતિય સંયમ નું તો પૂછવું જ શું ?   શિવ નો તપોભંગ કરવા આવેલા કામદેવે વસંત નું સર્જન કર્યુ ત્યારે   શિવ ની જેમ જ્ઞાન નું ત્રીજુ લોચન ખોલીને કામ ને બાળવો જ પડે અન્યથા શિવ થવાય નહી.   વસંત માં કફ નો પ્રકોપ: આખા વર્ષ મા સૌથી વધુ કફ નો પ્રકોપ વસંત ઋતુ માં ...